ચરોતરમાં કમોસમી વરસાદ, પાકને નુકશાન થવાની ભીતિ
આણંદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમથી સમુદ્રમાં 'કયાર' નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. જેની અસર અરબી સમુદ્રના કિનારે આવેલ વિસ્તારોમાં સર્જાઇ રહી છે. નવા વર્ષની શરૂઆતમાં જ કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટો થવાથી કમોસમી વરસાદ ત્રાટકી પડયો હતો. જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચરોતર પ્રદેશમાં કોમસમી વરસાદ વરસવાથી ખેડૂતોના તૈયાર થઈ ગયેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ છે.