thumbnail

By

Published : Feb 16, 2020, 12:49 PM IST

ETV Bharat / Videos

ભાવનગરમાં દાંડિયારાસમાં ફાયરિંગ, 1નુ મોત, 2 યુવકને ઈજા

ભાવનગરઃ શહેરમાં વલ્લભીપુરના પચ્છેગામમાં ગત રાત્રીએ લગ્ન પ્રસંગે યોજાયેલ દાંડિયા રાસમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં પચ્છેગામમાં રામદેવસિંહ તખુભા ગોહિલના પુત્ર ધમભા ગોહિલના લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં આવેલા મહેમાન પૈકી કોઈએ પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કરતા ફાયરિંગમાં શક્તિસિંહ સુમનસિંહ જાડેજા તેમજ પ્રયરાજસિંહ બળવંતસિંહ જાડેજાને ઇજા થઈ હતી. જેમાં પ્રયરાજસિંહની હાલત ગંભીર જણાતા તેને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.