ETV Bharat / state

આદિવાસી સમાજની પ્રગતિશીલતા, માં-બાપના લગ્નમાં ઉપસ્થિત રહ્યા બાળકો

વલસાડઃ ભારતમાં લીવ ઈન રિલેશનશિપની માન્યતા મળવાને હજુ થોડો જ સમય થયો છે. સમાજનો મોટો વર્ગ હજુ પણ લીવ ઈન રિલેશનશીપને સ્વીકારવા તૈયાર નથી ત્યારે આદિવાસી સમાજ કેટલો પ્રગતિશીલતા છે તે તેમની પરંપરાઓમાં પણ ઝળકી રહી છે. વલસાડના સમૂહ લગ્નમાં એક જોડીના લગ્ન તેનું ઉદાહરણ છે.

આદિવાસી સમાજની પ્રગતિશીલતા, માં-બાપના લગ્નમાં ઉપસ્થિત રહ્યા બાળકો
author img

By

Published : May 27, 2019, 11:46 PM IST

આદિવાસી સમાજ આર્થિક રીતે સધ્ધર નથી હોતો. સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવા પૂરતી પણ જોગવાઈ આદિવાસી સમાજ પાસે નથી હોતી. આવા સંજોગોમાં આ સમુદાયે સેંકડો વર્ષોથી લીવ ઈન રિલેશનશિપને સ્વીકારેલી છે. જો આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સ્ત્રી-પુરુષ માત્ર ફુલહાર એટલે કે સગાઈ કરીને સાથે રહે છે. આ સંબધ વર્ષો સુધી એવો ને એવો રહે છે. આ દરમિયાન તેઓ લગ્ન કર્યા વગર જ સંતાનોને જન્મ પણ આપે છે. ક્યારેક આખી જીંદગી આવી રીતે જ તેઓ પુરી કરે છે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી થાય ત્યારે વર્ષો પછી લગ્ન કરે છે. કેટલીક વખત એવું પણ બને છે કે, સંતાનોના પહેલા લગ્ન થાય છે પછી તેમના માં-બાપના લગ્ન થાય છે. આવા જ એક લગ્ન વલસાડના સમૂહ લગ્નમાં પણ જોવા મળ્યા.

આદિવાસી સમાજની પ્રગતિશીલતા, માં-બાપના લગ્નમાં ઉપસ્થિત રહ્યા બાળકો

વલસાડ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં માતા-પિતાના લગ્નમાં તેમના જ સંતાનો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના સુરગાનાથી આવેલા દંપતી રાજેન્દ્રકૃષ્ણ વાઘમરે અને રેખા આલગુણે લગ્ન કર્યા વગર છેલ્લા 3 વર્ષથી સાથે રહે છે. 3 વર્ષના લીવ ઈન રિલેશનશિપમાં તેમને બાળકને જન્મ આપ્યો હતો. આ બાળક પોતાના જ માં-બાપના લગ્નમાં હાજર રહ્યો હતો. એ જ રીતે મહારાષ્ટ્રાના સુરગણાથી આવેલા સુભાષ પંઢરનાથ દલવી અને ગુલાબ પાવર 2 વર્ષથી લગ્ન વગર સંબધમાં હતા. બંન્નેને એક બાળકી છે. આ બાળકી પણ લગ્નમાં હતી. આ દ્રશ્ય જોઈ સમૂહ લગ્ન સમારોહમાં આવેલા બીનઆદિવાસી મહેમાનો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે તેમણે આ પરંપરાને બિરદાવી હતી.

આદિવાસી સમાજ આર્થિક રીતે સધ્ધર નથી હોતો. સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવા પૂરતી પણ જોગવાઈ આદિવાસી સમાજ પાસે નથી હોતી. આવા સંજોગોમાં આ સમુદાયે સેંકડો વર્ષોથી લીવ ઈન રિલેશનશિપને સ્વીકારેલી છે. જો આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સ્ત્રી-પુરુષ માત્ર ફુલહાર એટલે કે સગાઈ કરીને સાથે રહે છે. આ સંબધ વર્ષો સુધી એવો ને એવો રહે છે. આ દરમિયાન તેઓ લગ્ન કર્યા વગર જ સંતાનોને જન્મ પણ આપે છે. ક્યારેક આખી જીંદગી આવી રીતે જ તેઓ પુરી કરે છે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી થાય ત્યારે વર્ષો પછી લગ્ન કરે છે. કેટલીક વખત એવું પણ બને છે કે, સંતાનોના પહેલા લગ્ન થાય છે પછી તેમના માં-બાપના લગ્ન થાય છે. આવા જ એક લગ્ન વલસાડના સમૂહ લગ્નમાં પણ જોવા મળ્યા.

આદિવાસી સમાજની પ્રગતિશીલતા, માં-બાપના લગ્નમાં ઉપસ્થિત રહ્યા બાળકો

વલસાડ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં માતા-પિતાના લગ્નમાં તેમના જ સંતાનો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના સુરગાનાથી આવેલા દંપતી રાજેન્દ્રકૃષ્ણ વાઘમરે અને રેખા આલગુણે લગ્ન કર્યા વગર છેલ્લા 3 વર્ષથી સાથે રહે છે. 3 વર્ષના લીવ ઈન રિલેશનશિપમાં તેમને બાળકને જન્મ આપ્યો હતો. આ બાળક પોતાના જ માં-બાપના લગ્નમાં હાજર રહ્યો હતો. એ જ રીતે મહારાષ્ટ્રાના સુરગણાથી આવેલા સુભાષ પંઢરનાથ દલવી અને ગુલાબ પાવર 2 વર્ષથી લગ્ન વગર સંબધમાં હતા. બંન્નેને એક બાળકી છે. આ બાળકી પણ લગ્નમાં હતી. આ દ્રશ્ય જોઈ સમૂહ લગ્ન સમારોહમાં આવેલા બીનઆદિવાસી મહેમાનો આશ્ચર્યમાં મુકાયા હતા. જો કે તેમણે આ પરંપરાને બિરદાવી હતી.

Visual send in FTP 


Slag:-વલસાડ ના સમૂહ લગ્નમાં અનોખું દ્રશ્ય માતા પિતાના લગ્ન માં સંતાન પણ જોડાયા 



વલસાડમાં યોજાયેલા સમૂહ લગ્નમાં નવદંપતી સાથે તેમના પુત્ર પુત્રી પણ જોવા મળ્યા એટલે કે માતા પિતા ના લગ્ન માં તેમના ખુદના સંતાન ની હાજરી જોવા મળી હતી જે એક આશ્ચર્ય પમાડે એવી વાત તો કહી શકાય પણ સાથે સાથે આદિવાસી સમાજના રીત રિવાજો પણ છતા કરે જે આર્થિક રીતે પગભર ના હોવા થી તેઓ વર્ષો સુધી માત્ર લગ્ન કરી શકતા નથી અને એક એવા સંબંધ માં સાથે રહે છે કે જેને આજ નો યુગ લિવઇન રિલેશન કહી શકે અને આ રીતે રહેતા તેઓને સંતાન પ્રાપ્તિ પણ થાય છે જેને પણ તેઓ માન્ય ગણે છે 


આદિવાસી સમાજ માં વર્ષોથી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો યુવક યુવતી ઓ લગ્ન કર્યા વિના માત્ર (ફૂલ હાર) એન્ગેજમેન્ટ કરી બંને પરિવાર ની સહમતી બાદ સાથે રહેતા હોય છે અને જ્યારે આર્થિક સ્થિતિ યોગ્ય બને ત્યારે વિધિવત લગ્ન કરતા હોય છે અને લગ્ન કરવા પૂર્વે સાથે રહેતા તેઓ ને સંતાન પણ હોય છે જ્યારે વિધિ વત લગ્ન થાય ત્યારે આ સંતાન તેમના માતા પિતા ના લગ્ન માં હયાત હોય છે એટલે કે પિતા ના લગ્ન માં પુત્ર ની હાજરી .જાણી ને કૈક અનોખું લાગશે કે લગ્ન કરવા પૂર્વે જ આદિવાસી સમાજના લોકો માટે ફૂલહાર વિધિ કરી ને યુવક યુવતી બંને પરિવાર ની સહમતી બાદ સાથે રહે છે જોકે એને હાલના સમય માં લિવિન રિલેશનશિપ કહેવું એ યોગ્ય નથી આવા જ કેટલાક નવ દંપતી આજે વલસાડ ખાતે સમૂહ લગ્ન માં તેમના સંતાન સાથે માયરા માં લગ્ન કરવા બેસેલા નજરે પડ્યા હતા મહારાષ્ટ્રના સુરગાના થી આવેલ એક દંપતી રાજેન્દ્ર કૃષ્ણ વાઘમરે અને રેખા આલગુણ જેઓ લગ્ન કર્યા વિના છેલ્લા 3 વર્ષ થી સાથે રહે છે અને એમને એક વર્ષ નું બાળક પણ છે કેતન એને પણ લગ્ન માં તેઓ સાથે લઈ ને આવ્યા હતા 
તો અન્ય સુરગણા મહારાષ્ટ્રમાં થી આવેલ સુભાસ પંઢરનાથ દલવી અને ગીતા ગુલાબ પવાર બંને છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમય થી લગ્ન કર્યા વિના માત્ર ફૂલહાર કરી ને રહેતા હતા બંને ને 2 વર્ષની પુત્રી પણ છે જેનું નામ છે ભાવના એને પણ તેઓ લગ્નમાં જોડે લઈ ને જ આવ્યા હતા 
જે લોકો માટે આશ્ચર્ય તો પમાંડતા જ હતા પરંતુ વર્ષો બાદ પોતે હિન્દૂ લગ્ન વિધિ થી લગ્ન કર્યા હોવાનો સંતોષ તેમના ચહેરા ઉપર છલકી રહ્યો હતો 

Location:-valsad 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.