ETV Bharat / state

કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ

author img

By

Published : Jul 18, 2020, 3:42 PM IST

કપરાડામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે ઇમાધ્યમ દ્વારા વલસાડ જિલ્લાના વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત 1147 આદેશપત્રો જેમાં 299 હેકટર જેટલી જમીન વનબંધુઓને એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કોરોનાની આપત્તિને અવસરમાં પલટીને વિકાસગાથા ચાલુ રાખવા જણાવ્યું હતું. તેમ જ કોરોનાથી બચવા હમેંશા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે જણાવ્યું હતું. આજે વલસાડ જિલ્લાના 8000 ખેડૂતોને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.

કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ

વલસાડ: કપરાડા ખાતે આવેલ સાંસ્કૃતિક હોલમાં આયોજિત કેબિનેટપ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં વનજમીન અધિકારપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ તકે વસાવાએ કહ્યું કે સરકાર હમેંશા આદિવાસી ની ચિંતા કરનારી સરકાર છે. અત્યાર સુધીમાં ઉમરગામથી અંબાજી સુધીમાં 13 લાખ એકર જમીન આદિવાસીને એનયત કરી છે. આજે વલસાડ જિલ્લામાં તારીખ 13/12/2005 પહેલાંનો કબજો ધરાવતા હોય અને તારીખ 31/12/2007 સુધી અગાઉનો કબજો ચાલુ હોય એવા ખેતી અને રહેઠાણ માટે જમીન માલિકીના અધિકારો આપવામાં આવ્યાં હતાં. આજે કાર્યક્રમમાં 1147 જમીન ફાળવણી આદેશપત્રો જે 299 હેકટર થાય છે. તેના પ્રમાણપત્રો ઉપસ્થિત રહેલા પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવ્યાં, જ્યારે અધિકારપત્રો 8000 જેટલા એનાયત કરવામાં આવ્યાં હતાં.

કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ



કાર્યક્રમ દરમ્યાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે હાલ કોરોનાનો કેેર છે પણ ગુજરાત સરકારે કહ્યું વિશિષ્ટ વ્યવસ્થા કરી છે. તેમ જ રિકવરી રેટ પણ ખૂબ ઝડપી વધી રહ્યો છે ભાજપ સરકાર હંમેશા આદિવાસીની સાથે રહી છે. પ્રકૃતિ અને જંગલનું રક્ષણ વર્ષોથી આદિવાસી કરતાં આવ્યાં છે. આજે આદિવાસીઓને વન અધિકાર અંતર્ગત આદેશપત્રો અને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યાં છે. તેમને કહ્યું કે કોરોનાને આપત્તિ નહીં પણ અવસર બનાવીને કાર્ય કરી વિકાસકાર્ય સતત આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને અધિકારપત્રો મેળવનાર લાભાર્થીઓને જમીન દ્વારા ખેતી કરી પગભર બનવાની શુભેચ્છાઓ આપી હતી.

કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
વલસાડ જિલ્લામાં આજે કુલ 8000 અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યાં. જેમાં કપરાડાના 6956, ધરમપુરના 608, ઉમરગામના 436 મળી કુલ 8000 અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમ્યાન કેબિનેટપ્રધાન ગણપત વસાવા,ધારાસભ્યો ભરત પટેલ,અરવિંદ પટેલ,કનુદેસાઈ,સાંસદ ડો. કે સી પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ આદિજાતિ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદ,આઈ એફ એસ મનીશ્વર રાજા સીસીએફ વલસાડ,પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા નડગા ઉપસ્થિત રહ્યાં હતાં.
કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ

વલસાડ: કપરાડા ખાતે આવેલ સાંસ્કૃતિક હોલમાં આયોજિત કેબિનેટપ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં વનજમીન અધિકારપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ તકે વસાવાએ કહ્યું કે સરકાર હમેંશા આદિવાસી ની ચિંતા કરનારી સરકાર છે. અત્યાર સુધીમાં ઉમરગામથી અંબાજી સુધીમાં 13 લાખ એકર જમીન આદિવાસીને એનયત કરી છે. આજે વલસાડ જિલ્લામાં તારીખ 13/12/2005 પહેલાંનો કબજો ધરાવતા હોય અને તારીખ 31/12/2007 સુધી અગાઉનો કબજો ચાલુ હોય એવા ખેતી અને રહેઠાણ માટે જમીન માલિકીના અધિકારો આપવામાં આવ્યાં હતાં. આજે કાર્યક્રમમાં 1147 જમીન ફાળવણી આદેશપત્રો જે 299 હેકટર થાય છે. તેના પ્રમાણપત્રો ઉપસ્થિત રહેલા પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવ્યાં, જ્યારે અધિકારપત્રો 8000 જેટલા એનાયત કરવામાં આવ્યાં હતાં.

કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ



કાર્યક્રમ દરમ્યાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે હાલ કોરોનાનો કેેર છે પણ ગુજરાત સરકારે કહ્યું વિશિષ્ટ વ્યવસ્થા કરી છે. તેમ જ રિકવરી રેટ પણ ખૂબ ઝડપી વધી રહ્યો છે ભાજપ સરકાર હંમેશા આદિવાસીની સાથે રહી છે. પ્રકૃતિ અને જંગલનું રક્ષણ વર્ષોથી આદિવાસી કરતાં આવ્યાં છે. આજે આદિવાસીઓને વન અધિકાર અંતર્ગત આદેશપત્રો અને અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યાં છે. તેમને કહ્યું કે કોરોનાને આપત્તિ નહીં પણ અવસર બનાવીને કાર્ય કરી વિકાસકાર્ય સતત આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને અધિકારપત્રો મેળવનાર લાભાર્થીઓને જમીન દ્વારા ખેતી કરી પગભર બનવાની શુભેચ્છાઓ આપી હતી.

કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
વલસાડ જિલ્લામાં આજે કુલ 8000 અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યાં. જેમાં કપરાડાના 6956, ધરમપુરના 608, ઉમરગામના 436 મળી કુલ 8000 અધિકારપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમ્યાન કેબિનેટપ્રધાન ગણપત વસાવા,ધારાસભ્યો ભરત પટેલ,અરવિંદ પટેલ,કનુદેસાઈ,સાંસદ ડો. કે સી પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ આદિજાતિ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદ,આઈ એફ એસ મનીશ્વર રાજા સીસીએફ વલસાડ,પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા નડગા ઉપસ્થિત રહ્યાં હતાં.
કપરાડામાં સીએમ દ્વારા કરાયું E-વિતરણ, વન જમીન ફાળવણીના અધિકારપત્રોનું થયું વિતરણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.