ETV Bharat / state

જાણો વલસાડના ધરમપુરનું કાશ્મીર સાથે શું છે...રોયલ કનેક્શન

author img

By

Published : Aug 8, 2019, 6:54 PM IST

વલસાડ: મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરાતા કાશ્મીર દેશભરમાં ચર્ચામાં છે. વલસાડના ધરમપુરના રાજાના કુંવરીના લગ્ન કાશ્મીરના રાજા હરિસિંહ સાથે ખૂબ જાહોજલાલી પૂર્વક કરવામાં આવ્યા હતા. અને તે સમયે એટલે કે, 1979માં કાશ્મીરના રાજા ટ્રેન મારફતે લગ્ન કરવા વલસાડ સ્ટેશને ઉતર્યા અને તેમના વધામણાં કરવા ધરમપુર સ્ટેટના રાજા સ્ટેશને પહોંચ્યા હતા. તમામ લગ્નની તે સમયના સ્મરણો આજે પણ કેટલાક બ્લેક એન્ડ વાઇટ ફોટો ધરમપુરના રાજાના ભાણેજ પાસે મોજુદ છે.

વલસાડના ધરમપુરનો કાશ્મીર સાથે વર્ષો પહેલાનું રોયલ કનેક્શન

સમગ્ર ભારતમાં જ્યાં 370ની કલમ હટાવવાને લઈને કાશ્મીર આજે ખૂબ ચર્ચામાં છે. વલસાડના ધરમપુર સાથે 96 વર્ષ પહેલાનો ઇતિહાસ તેની સાથે સંકળાયેલો છે. વલસાડ નજીકમાં આવેલા ધરમપુર જેને તે સમયે રામનગર તરીકે ઓળખવામાં આવતું હતું જ્યાં તે સમયે ધરમપુર સ્ટેટના મહારાજા વિજય દેવજી મહારાજની ત્રણ પુત્રીઓ હતી. દીર્ઘાયુસી ધનવંતકુંવર બાયજી અને દીર્ઘાયુસી જશવંત કુંવર બાયજી, દીર્ઘાયુસી રાજેન્દ્ર કુંવરબા જેમાં તારીખ 30 એપ્રિલ 1923ના રોજ નામદાર શ્રીમંત મહારાણા વિજય દેવજીના મોટા કુંવરી દીર્ઘાયુશી ધનવંત કુંવર બાયજીના લગ્ન જમ્મુ અને કાશ્મીરના પાટવી કુંવર જનરલ રાજા સર હરિસિંહજી સાહેબ બહાદુર સાથે ધરમપુર મુકામે કરવામાં આવ્યા હતા.

વલસાડના ધરમપુરનો કાશ્મીર સાથે વર્ષો પહેલાનું રોયલ કનેક્શન

ધરમપુરના રાજ કુંવરીના લગ્ન ધામધૂમ પૂર્વક જમ્મુ કાશ્મીરના રાજા સાથે થયા હતા. એ લગ્નની તમામ તસવીરો તે સમયે મુંબઇની એક જાણીતી ફોટોગ્રાફી કંપનીએ કરી હતી અને એ સમયે રાજવીઓ દ્વારા આ તમામ ફોટોના આલબમ બનાવીને સ્વજનોને યાદગીરી રૂપે ભેટમાં આપવામાં આવતા હતા. જે આલ્બમ આજે પણ ધરમપુરના રાજાના ભાણેજ એટલે કે, એમની નાની કુંવરી દીર્ઘાયુસી જશવંત કુવારબાઈજીના પુત્ર ધર્મેન્દ્ર સિંહ પરિહારે એ સ્મરણો ફોટો થકી EtvBharat સાથે વાગોળ્યા હતા.

તેમણે કહ્યું કે, તે સમયે તો એમનો જન્મ થયો ન હતો, પણ એમના માતાજી દ્વારા લગ્નની જે ઉત્સવની વાતો હતી તે જાણી હતી. એટલું જ નહીં જે લગ્નના આલ્બમો છે, એમાં પણ રાજા મહારાજાના રોયલ શાનબાન અને અદબ જળવાય એવી સ્પષ્ટ પણે દેખાય છે.આ ઐતિહાસિક તસવીરો તેમણે શેર કરી હતી અને જેમાં ધરમપુરનગરમાં બનાવમાં આવેલા સમિયાનણું, જમ્મુ કશ્મીરના રાજાના વધામણા સુધી સ્વંય ગયેલા ધરમપુર સ્ટેટના રાજા વિજયદેવજી મહારાજ સાહેબ ધરમપુર નગરમાં પ્રવેશતા જમ્મુ કાશ્મીરના પાટવી કુવર રાજા હરિસિંહ સ્વાગત બેન્ડ વાજા સાથે રોયલ પરિવારના આવેલા મહેમાનો સાથે ભોજન બેઠક તેમજ અન્ય દેશોમાંથી આવેલા લોકો માટે વિશેષ ટેન્ટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ધરમપુરમાં જે લક્ષ્મી નારાયણ મંદિર છે એવું જ મંદિર પૂજન માટે દીર્ઘાયુશી ધનકુંવર બાયજીએ કાશ્મીરના ગુલમર્ગમાં બનાવ્યો હતો.

આમ ધરમપુર સ્ટેટ અને જમ્મુ કાશ્મીર વચ્ચે વર્ષો પહેલાથી રાજવી સંબંધ બંધાયા હતા અને આ તમામ રાજવી લગ્નની દુર્લભ તસવીરો આજે પણ અકબંધ રીતે સાચવાયેલી છે. ધરમપુરના રાજા મહારાણા વિજયદેવજી મહારાજના નાની કુંવરી દીર્ઘાયુશી જસવંત કુંવર બાયજીના લગ્ન મધ્યપ્રદેશ કરવામાં આવ્યા હતા. એમના કુંવર એટલે રાજવી પરિવારના ધરમપુરના ભાણેજ જેઓ નાગોદ સ્ટેટના કુંવર છે એ ધર્મેન્દ્ર સિંહ પરિહર એ આ સમગ્ર સ્મરણો વાગોળ્યા હતા. લગ્નના સંબંધને કારણે જ જમ્મુ કાશ્મીર અને ધરમપુર વચ્ચે સંબંધો બંધાયા હતા અને એ તમામ સ્મરણો આજે પણ ફોટોમાં અકબંધ છે.

સમગ્ર ભારતમાં જ્યાં 370ની કલમ હટાવવાને લઈને કાશ્મીર આજે ખૂબ ચર્ચામાં છે. વલસાડના ધરમપુર સાથે 96 વર્ષ પહેલાનો ઇતિહાસ તેની સાથે સંકળાયેલો છે. વલસાડ નજીકમાં આવેલા ધરમપુર જેને તે સમયે રામનગર તરીકે ઓળખવામાં આવતું હતું જ્યાં તે સમયે ધરમપુર સ્ટેટના મહારાજા વિજય દેવજી મહારાજની ત્રણ પુત્રીઓ હતી. દીર્ઘાયુસી ધનવંતકુંવર બાયજી અને દીર્ઘાયુસી જશવંત કુંવર બાયજી, દીર્ઘાયુસી રાજેન્દ્ર કુંવરબા જેમાં તારીખ 30 એપ્રિલ 1923ના રોજ નામદાર શ્રીમંત મહારાણા વિજય દેવજીના મોટા કુંવરી દીર્ઘાયુશી ધનવંત કુંવર બાયજીના લગ્ન જમ્મુ અને કાશ્મીરના પાટવી કુંવર જનરલ રાજા સર હરિસિંહજી સાહેબ બહાદુર સાથે ધરમપુર મુકામે કરવામાં આવ્યા હતા.

વલસાડના ધરમપુરનો કાશ્મીર સાથે વર્ષો પહેલાનું રોયલ કનેક્શન

ધરમપુરના રાજ કુંવરીના લગ્ન ધામધૂમ પૂર્વક જમ્મુ કાશ્મીરના રાજા સાથે થયા હતા. એ લગ્નની તમામ તસવીરો તે સમયે મુંબઇની એક જાણીતી ફોટોગ્રાફી કંપનીએ કરી હતી અને એ સમયે રાજવીઓ દ્વારા આ તમામ ફોટોના આલબમ બનાવીને સ્વજનોને યાદગીરી રૂપે ભેટમાં આપવામાં આવતા હતા. જે આલ્બમ આજે પણ ધરમપુરના રાજાના ભાણેજ એટલે કે, એમની નાની કુંવરી દીર્ઘાયુસી જશવંત કુવારબાઈજીના પુત્ર ધર્મેન્દ્ર સિંહ પરિહારે એ સ્મરણો ફોટો થકી EtvBharat સાથે વાગોળ્યા હતા.

તેમણે કહ્યું કે, તે સમયે તો એમનો જન્મ થયો ન હતો, પણ એમના માતાજી દ્વારા લગ્નની જે ઉત્સવની વાતો હતી તે જાણી હતી. એટલું જ નહીં જે લગ્નના આલ્બમો છે, એમાં પણ રાજા મહારાજાના રોયલ શાનબાન અને અદબ જળવાય એવી સ્પષ્ટ પણે દેખાય છે.આ ઐતિહાસિક તસવીરો તેમણે શેર કરી હતી અને જેમાં ધરમપુરનગરમાં બનાવમાં આવેલા સમિયાનણું, જમ્મુ કશ્મીરના રાજાના વધામણા સુધી સ્વંય ગયેલા ધરમપુર સ્ટેટના રાજા વિજયદેવજી મહારાજ સાહેબ ધરમપુર નગરમાં પ્રવેશતા જમ્મુ કાશ્મીરના પાટવી કુવર રાજા હરિસિંહ સ્વાગત બેન્ડ વાજા સાથે રોયલ પરિવારના આવેલા મહેમાનો સાથે ભોજન બેઠક તેમજ અન્ય દેશોમાંથી આવેલા લોકો માટે વિશેષ ટેન્ટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ધરમપુરમાં જે લક્ષ્મી નારાયણ મંદિર છે એવું જ મંદિર પૂજન માટે દીર્ઘાયુશી ધનકુંવર બાયજીએ કાશ્મીરના ગુલમર્ગમાં બનાવ્યો હતો.

આમ ધરમપુર સ્ટેટ અને જમ્મુ કાશ્મીર વચ્ચે વર્ષો પહેલાથી રાજવી સંબંધ બંધાયા હતા અને આ તમામ રાજવી લગ્નની દુર્લભ તસવીરો આજે પણ અકબંધ રીતે સાચવાયેલી છે. ધરમપુરના રાજા મહારાણા વિજયદેવજી મહારાજના નાની કુંવરી દીર્ઘાયુશી જસવંત કુંવર બાયજીના લગ્ન મધ્યપ્રદેશ કરવામાં આવ્યા હતા. એમના કુંવર એટલે રાજવી પરિવારના ધરમપુરના ભાણેજ જેઓ નાગોદ સ્ટેટના કુંવર છે એ ધર્મેન્દ્ર સિંહ પરિહર એ આ સમગ્ર સ્મરણો વાગોળ્યા હતા. લગ્નના સંબંધને કારણે જ જમ્મુ કાશ્મીર અને ધરમપુર વચ્ચે સંબંધો બંધાયા હતા અને એ તમામ સ્મરણો આજે પણ ફોટોમાં અકબંધ છે.

Intro:હાલ જ્યાં સરકાર દ્વારા 370ની કલમ હટાવવા ને લઈ ને કાશ્મીર દેશભર માં ચર્ચા માં રહ્યું છે ત્યારે વલસાડના ધરમપુરના રાજાના કુંવરી ના લગ્ન કાશ્મીરના રાજા હરિસિંહ સાથે ખૂબ જાહોજલાલી પૂર્વક કરવામાં આવ્યા હતા અને તે સમયે એટલે કે 1979 માં કાશ્મીરના રાજા ટ્રેન મારફતે લગ્ન કરવા વલસાડ સ્ટેશને ઉતર્યા અને તેમના વધામણાં કરવા ધરમપુર સ્ટેટના રાજા સ્ટેશને પોહચ્યા હતા એ તમામ લગ્ન ની તે સમયના સ્મરણો આજે પણ કેટલાક બ્લેક એન્ડ વાઇટ ફોટો ધરમપુરના રાજાના ભાણેજ પાસે મોજુદ છે અને ઇટીવી ભારત સાથે એમણે તે સમયના સ્મરણો વાગોળ્યા હતા


Body:સમગ્ર ભારત માં જ્યાં 370 ની કલમ હટાવવાને લઈને કાશ્મીર આજે ખૂબ ચર્ચામાં છે ત્યારે વલસાડના ધરમપુર સાથે 96 વર્ષ પહેલાં નો ઇતિહાસ તેની સાથે સંકળાયેલો છે જોઈએ એક નજર

વલસાડ નજીકમાં આવેલ ધરમપુર જેને તે સમયે રામનગર તરીકે ઓળખવામાં આવતું હતું જ્યાં તે સમયે ધરમપુર સ્ટેટના મહારાજા શ્રી વિજય દેવજી મહારાજની ત્રણ પુત્રીઓ હતી શ્રી દીર્ઘાયુસી ધનવંતકુંવર બાયજી અને શ્રી દીર્ઘાયુસી જશવંત કુંવર બાયજી શ્રી દીર્ઘાયુસી રાજેન્દ્ર કુંવરબા જેમાં તારીખ 30 એપ્રિલ 1923 ના રોજ નામદાર શ્રીમંત મહારાણા વિજય દેવજી ના મોટા કુંવરી દીર્ઘાયુશી ધનવંત કુંવર બાયજી ના લગ્ન જમ્મુ અને કાશ્મીર ના પાટવી કુંવર શ્રી જનરલ રાજા સર હરિસિંહજી સાહેબ બહાદુર સાથે ધરમપુર મુકામે કરવાનું ઠેરવવામાં આવ્યું હતું આમ ધરમપુરના રાજ કુંવરી ના લગ્ન ધામધૂમ પૂર્વક જમ્મુ કાશ્મીર ના રાજા સાથે થયા હતા એ લગ્નની તમામ તસવીરો તે સમયે મુંબઇ ની એક જાણીતી ફોટોગ્રાફી કંપની એ કરી હતી અને એ સમયે રાજવીઓ દ્વારા આ તમામ.ફોટો ના આલબમ બનાવીને સ્વજનોને યાદગીરી રૂપે ભેટમાં આપવામાં આવતા હતા જે આલ્બમ આજે પણ ધરમપુર ના રાજાના ભાણેજ એટલે કે એમની નાની કુંવરી દીર્ઘાયુસી શ્રી જશવંત કુવારબાઈજી ના પુત્ર ધર્મેન્દ્ર સિંહ પરિહારે એ સ્મરણો આલ્મ્બમ થકી ઇટીવી સાથે વાગોળ્યા હતા તેમણે કહ્યું કે તે સમયે તો એમનો જન્મ નોહતો પણ એમના માતાજી દ્વારા લગ્ન ની જે ઉત્સવ ની વાતો હતી તે જાણી હતી એટલું જ નહીં જે લગ્નના આલ્બમો છે એમાં પણ રાજા મહારાજા ના રોયલ શાનબાન અને અદબ જળવાય એવી સ્પષ્ટ પણે દેખાય છે
ઇટીવી ભારત સાથે આ ઐતિહાસિક તસવીરો તેમણે સેર કરી હતી અને જેમાં ધરમપુર નગરમાં બનાવમાં આવેલ સમિયાનણું, જમ્મુ કશ્મીર ના રાજાના વધામણાં અને કરવા સ્ટેશન સુધી સ્વંય ગયેલા ધરમપુર સ્ટેટના રાજા વિજયદેવજી મહારાજ સાહેબ ધરમપુર નગર માં પ્રવેશતા જમ્મુ કાશ્મીર ના પાટવી કુવર રાજા હરિસિંહ સ્વાગત બેન્ડ વાજા સાથે રોયલ પરિવારના આવેલા મહેમાનો સાથે ભોજન બેઠક તેમજ અન્ય દેશો માંથી આવેલા લોકો માટે વિશેષ ટેન્ટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી એટલું જ નહીં ધરમપુર માં જે લક્ષ્મી નારાયણ મંદિર છે અદલ એવુંજ મંદિર પૂજન માટે શ્રી દીર્ઘાયુશી ધનકુંવર બાયજી એ કાશ્મીરના ગુલમર્ગ માં બનાવવા માં આવ્યું છે

આમ ધરમપુર સ્ટેટ અને જમ્મુ કાશ્મીર વચ્ચે વર્ષો પહેલા થી રાજવી સંબંધ બંધાયા હતા અને આ તમામ રાજવી લગ્ન ની દુર્લભ તસવીરો આજે પણ અકબંધ રીતે સચવાયેલી છે


Conclusion:ધરમપુરના રાજા શ્રી મહારાણા વિજયદેવજી મહારાજ ના નાની કુંવરી શ્રી દીર્ઘાયુશી જસવંત કુંવર બાયજી ના લગ્ન મધ્યપ્રદેશ કરવામાં આવ્યા હતા એમના કુંવર એટલે રાજવી પરિવાર ના ધરમપુરના ભાણેજ જેઓ નાગોદ સ્ટેટ ના કુંવર છે એ ધર્મેન્દ્ર સિંહ પરિહર એ આ સમગ્ર સ્મરણો ઇટીવી સાથે ખાસ વાતચીત કરી ને વાગોળ્યા હતા લગ્નના સંબંધ ને કારણે જ જમ્મુ કાશ્મીર અને ધરમપુર વચ્ચે સંબંધો બંધાયા હતા અને એ તમામ સ્મરણો આજે પણ આલબમ માં અકબંધ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.