મળતી માહિતી પ્રમાણે, બસ (GJ-18-Z-2241) ઉમરગામથી 5:45 કલાકે અંબાજી જવા નીકળી હતી. જે વાપી પહોંચે તે પહેલા જ બસના રેડિયેટરમાં ખામી સર્જાતા તેને વાપી ડેપો ખાતે ખસેડવામાં આવી હતી. જેના કારણે બસમાં એડવાન્સ બુકિંગ કરેલા 50થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ, લાંબી મુસાફરીમાં જતી બસની માવજાત યોગ્ય સમયે ન થતાં તંત્રની બેદરકારી સામે આવી હતી. તેમજ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતાં.
![ઉમરગામ-અંબાજી બસ વાપી ખાતે ખોટકાતા મુસાફરો અટવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5725098_vls.jpg)