ETV Bharat / state

વલસાડનું ખોબા ગામ 'ખોબા' જેટલા વિકાસથી પણ વંચિત! 1 મહિનાથી અંધારપટ

વલસાડઃ રાજકારણની દ્રષ્ટિએ કેન્દ્રમાં રહેતો વલસાડ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ હાંસિયામાં ધકેલાયો છે. મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વલસાડનાં ખોબા ગામના લોકોએ 'ખોબા' જેટલાં વિકાસ માટે પણ વલખા મારવા પડે છે. એક મહિનાથી આ ગામના લોકો સંપૂર્ણપણે અંધારા ઉલેચી રહ્યા છે. અહીં એક મહિનાથી સુધી વીજળી ન પહોંચે તો એ ગામમાં વિકાસ ક્યાંથી પહોંચ્યો હશે તે સમજી શકાય તેવું છે. આ પરિસ્થિતિમાં ગામના લોકોની હાલત જાયે તો જાયે કહાં જેવી થઈ છે.

વલસાડનું ખોબા ગામ 'ખોબા' જેટલા વિકાસથી પણ વંચિત ! 720 કલાકથી અંધારપટ
author img

By

Published : Jun 24, 2019, 8:25 PM IST

Updated : Jun 24, 2019, 10:24 PM IST

ગ્રામ જ્યોતિ યોજના, કુટીર જ્યોતિ યોજના, ઝુંપડા વીજકરણ યોજના, આદિજાતિ વિસ્તારની પેટા યોજના હેઠળ વીજકરણ, કિશાન હિત ઉર્જા શક્તિ યોજના આવી તો એટલી બધી યોજના કે વાંચતા-વાંચતા હાંફી જવાય. જેટલા સુંદર આ યોજનાઓના નામ છે એટલી જ તેની વરવી વાસ્તવિકતા છે. વલસાડના કેટલાક ગામો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોએ લાચારી ભોગવવી પડે છે. તેની સાબિતી વલસાડનું ખોબા નામનું ગામ આપી રહ્યુ છે. અહીંનાં લોકો છેલ્લા 720થી પણ વધારે કલાકથી અંધારપટમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. એક મહિનાથી પણ વધુ સમય થવા આવ્યો પરંતુ વારંવાર રજૂઆત પછી પણ આ ગામમાં વીજપુરવઠો પૂર્વવત્ થઈ શક્યો નથી. ગામના લોકો દિવસના અજવાળામાં તો જેમ-તેમ સમય પસાર કરી લે છે. પણ જેવો સૂરજ પશ્વિમ તરફ નીચો ઉતરતો જાય તેવી ચિંતાઓની લકીર ગ્રામજનોના કપાળે ઉપસતી જાય છે.

વલસાડનું ખોબા ગામ 'ખોબા' જેટલા વિકાસથી પણ વંચિત! 720 કલાકથી અંધારપટ

પ્રકાશ વગરનું જીવન કલ્પનામાં પણ ડરાવી દે. એવામાં આ ગામના લોકોને અંધારાના આદી બનવા માટે વહીવટીતંત્ર મજબૂર કરી રહ્યુ છે. 24 કલાક વીજપુરવઠો આપવાના સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. દીવાનાં અજવાળામાં ગામના લોકો રસોઈ તો કરી લે છે. પરંતુ વીજળી ન હોવાથી નિયમિત પાણી આવતું નથી. તેના લીધે ન્હાવાની, વાસણ ધોવાની, સાફ-સફાઈ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. રાત્રીના સમયે ઝેરી જાનવર અને જીવ-જંતુઓનો ડર પણ ગામલોકોને સતાવી રહ્યો છે. આ ગામ પહેલાથી જ વિકાસથી અળગું છે, એમાંય વીજપુરવઠો અને સરકારી કેરોસીન પણ મળવાનું બંધ થઈ ગયુ છે. જેથી લોકો પડયા ઉપર પાટુ જેવી સ્થિતિમાં મુકાયા છે. એક મહિનાથી રહીશો જાણે 15મી સદીમાં જીવી રહ્યા હોય એવુ અનુભવી રહ્યા છે. લોકો દ્વારા વીજ કંપનીને અનેકવાર રજૂઆત કરાઈ છે. સરકારી કર્મચારીઓ આવે છે અને જતાં રહે છે, પણ વીજળી આવતી નથી. ગામમાં વહેલી તકે વીજપુરવઠો ફરીવાર શરૂ થાય તે માટે પ્રચંડ માંગ ઉઠી છે.

ગ્રામ જ્યોતિ યોજના, કુટીર જ્યોતિ યોજના, ઝુંપડા વીજકરણ યોજના, આદિજાતિ વિસ્તારની પેટા યોજના હેઠળ વીજકરણ, કિશાન હિત ઉર્જા શક્તિ યોજના આવી તો એટલી બધી યોજના કે વાંચતા-વાંચતા હાંફી જવાય. જેટલા સુંદર આ યોજનાઓના નામ છે એટલી જ તેની વરવી વાસ્તવિકતા છે. વલસાડના કેટલાક ગામો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોએ લાચારી ભોગવવી પડે છે. તેની સાબિતી વલસાડનું ખોબા નામનું ગામ આપી રહ્યુ છે. અહીંનાં લોકો છેલ્લા 720થી પણ વધારે કલાકથી અંધારપટમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. એક મહિનાથી પણ વધુ સમય થવા આવ્યો પરંતુ વારંવાર રજૂઆત પછી પણ આ ગામમાં વીજપુરવઠો પૂર્વવત્ થઈ શક્યો નથી. ગામના લોકો દિવસના અજવાળામાં તો જેમ-તેમ સમય પસાર કરી લે છે. પણ જેવો સૂરજ પશ્વિમ તરફ નીચો ઉતરતો જાય તેવી ચિંતાઓની લકીર ગ્રામજનોના કપાળે ઉપસતી જાય છે.

વલસાડનું ખોબા ગામ 'ખોબા' જેટલા વિકાસથી પણ વંચિત! 720 કલાકથી અંધારપટ

પ્રકાશ વગરનું જીવન કલ્પનામાં પણ ડરાવી દે. એવામાં આ ગામના લોકોને અંધારાના આદી બનવા માટે વહીવટીતંત્ર મજબૂર કરી રહ્યુ છે. 24 કલાક વીજપુરવઠો આપવાના સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. દીવાનાં અજવાળામાં ગામના લોકો રસોઈ તો કરી લે છે. પરંતુ વીજળી ન હોવાથી નિયમિત પાણી આવતું નથી. તેના લીધે ન્હાવાની, વાસણ ધોવાની, સાફ-સફાઈ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. રાત્રીના સમયે ઝેરી જાનવર અને જીવ-જંતુઓનો ડર પણ ગામલોકોને સતાવી રહ્યો છે. આ ગામ પહેલાથી જ વિકાસથી અળગું છે, એમાંય વીજપુરવઠો અને સરકારી કેરોસીન પણ મળવાનું બંધ થઈ ગયુ છે. જેથી લોકો પડયા ઉપર પાટુ જેવી સ્થિતિમાં મુકાયા છે. એક મહિનાથી રહીશો જાણે 15મી સદીમાં જીવી રહ્યા હોય એવુ અનુભવી રહ્યા છે. લોકો દ્વારા વીજ કંપનીને અનેકવાર રજૂઆત કરાઈ છે. સરકારી કર્મચારીઓ આવે છે અને જતાં રહે છે, પણ વીજળી આવતી નથી. ગામમાં વહેલી તકે વીજપુરવઠો ફરીવાર શરૂ થાય તે માટે પ્રચંડ માંગ ઉઠી છે.

Intro:એક તરફ સરકાર જાન 24 કલાક વીજળી આપવાની વાત કરી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં એક એવું ગામ આવેલું છે જ્યાં આગળ ગ્રામ જ્યોતિ યોજના ના લીરેલીરા ઊડી રહ્યા છે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા આ ગામની મુલાકાત તો લેવાય છે પરંતુ અહીં આગળ વીજપુરવઠો શરૂ કરવામાં આવ્યા નથી જેના કારણે છેલ્લા એક માસથી અહીંના લોકો વીજપ્રવાહ વિના જ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે જાણે કે પંદરમી સદીમાં લોકો અહીં જીવી રહ્યા છેBody:વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા ખોબા ગામ માં છેલ્લા એક માસથી વીજ પ્રવાહ શરૂ થઈ ગયો છે જેના કારણે અહીં વસવાટ કરતા લોકોને છેલ્લા એક માસથી વીજ પ્રવાહ વિના જ અંધકારમાં પોતાનું જીવન વ્યતીત કરવું પડી રહ્યું છે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ સમયસર વીજબિલ ભરી દેતા હોય છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને આપવામાં આવેલી વ્યવસ્થા પુરતા પ્રમાણમાં મળતી નથી એક તરફ સરકારનું કહેવું છે કે આદિવાસીઓ માટે ગ્રામ જ્યોતિ યોજના દ્વારા ૨૪ કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે પરંતુ અહીં તો યોજનાના લીરેલીરા ઊડી રહ્યા છે છેલ્લા એક માસથી અહીંની મહિલાઓ માત્ર દિવાના પ્રકાશ ઉપર રસોઈ બનાવતી હોય છે તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સરકાર દ્વારા કેરોસીન પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હોય તેઓને માટે પણ કેરોસીન મળી શકતું નથી જેના કારણે હાલ તો તેઓ તેલ કે દિવેલના દીવા ઉપર પ્રકાશ મેળવી પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે અહીંના સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેઓ જાણે કોઈ 15મી સદીમાં જીવી ગયા હોય એમ પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે અનેક વખત અહીં વીજ કંપનીના કર્મચારીઓ આવે છે અને જોઈને જતા રહે છે પરંતુ આજદિન સુધી એક માસ પૂર્ણ થવા આવ્યો તેમ છતાં પણ વીજપુરવઠો આવ્યો નથીConclusion:નોંધનીય છે કે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે અનેક સ્થળો ઉપર વિવિધ વીજ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે પરંતુ મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા આ ખોબા ગામમાં છેલ્લા એક માસથી લોકો 15મી સદીમાં જીવન વ્યતીત કરી રહ્યા છે જાણે કે તેઓ કોઇ અંધકારયુગમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ તેઓની રજૂઆત સરકારી અધિકારીઓના બહેરા કાને અથડાઈને પરત ફરી છે
Last Updated : Jun 24, 2019, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.