ETV Bharat / state

પ્રાથમિક શાળાઓને મર્જ કરવાના વિરોધમાં ભીલીસ્થાન ટાઈગર સેના મેદાનમાં

વલસાડ: રાજ્ય સરકાર 30 કરતાં ઓછી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાને નજીકની શાળા સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે. જેનો આદિવાસી પટ્ટીમાં વિરોધ થઈ રહ્યો છે. આ નિર્ણયના કારણે ગુજરાતભરની 5350 કરતાં વધુ શાળાઓ બંધ થઈ જશે. વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં જવાની ફરજ પડશે. સરકારના આ નિર્ણયના વિરોધમાં ભીલીસ્થાન ટાઈગર સેના ધરમપુરના મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.

author img

By

Published : Nov 22, 2019, 8:13 AM IST

etv bharat valsad

ગુજરાતની જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 30 કરતાં ઓછી હોય એવી પ્રાથમિક શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ નિર્ણયની અમલવારીથી ગુજરાતની 5350 જેટલી શાળાઓનું અન્ય શાળા સાથે જોડાણ કરાશે. વિદ્યાર્થીઓને તેમની નજીકમાં આવેલી અન્ય શાળામાં સમાવી લેવામાં આવશે.

આ નિર્ણયના કારણે સૌથી વધારે મુશ્કેલીઓ અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પડશે. કારણ કે, આ વિદ્યાર્થીઓને વાહનવ્યહારની ટાંચી સુવિધાઓ વચ્ચે બે થી પાંચ કિલોમીટર પગપાળા શાળાએ જવાની ફરજ પડશે.

જેથી આદિવાસી બેલ્ટમાં સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપી શાળાને મર્જ ન કરવા રજુઆત કરાઈ હતી. તેમણે મામલતદારના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ દરેકનો બંધારણીય અધિકાર છે. પ્રાથમિક શાળાઓ બંધ કરવી એ ભારતીય સંવિધાનના આર્ટિકલ 21નો ભંગ કરનાર કૃત્ય છે.

ભીલીસ્થાન ટાઈગર સેનાની રજુઆત

શાળા જે-તે ગામનું ઘરેણું છે. સરકાર નવી સરકારી શાળાઓ ચાલુ કરી શકતી નથી એવામાં જે શાળાઓ ચાલી રહી છે તેને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, બેટી બચાવો બેટી પઢાવો, સૌ ભણે સૌ આગળ વધે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ,શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવની ગુલબાંગો પોકારતી સરકારના નિર્ણયથી ડ્રોપ આઉટ રેશિયો વધી જશે. નાની વયના બાળકો ત્રણ-ચાર કિલોમીટર દૂર શાળાએ જઈ શકશે નહીં. સરકાર એક મતદાર માટે પોલિંગ બૂથ ઊભું કરી શકતી હોય તો 30થી ઓછા બાળકોની સંખ્યા ધરાવતી શાળા કેમ બંધ કરે છે?

ભીલીસ્થાન ટાઈગર સેના સભ્યોએ જણાવ્યું હતું કે, જો સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે નહીં તો આગામી 10 દિવસમાં ભિલીસ્થાન ટાઈગર સેના સમગ્ર ગુજરાતમાં આ બાબતનો વિરોધ કરી આંદોલન કરશે.

ગુજરાતની જે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 30 કરતાં ઓછી હોય એવી પ્રાથમિક શાળાઓને અન્ય શાળામાં મર્જ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ નિર્ણયની અમલવારીથી ગુજરાતની 5350 જેટલી શાળાઓનું અન્ય શાળા સાથે જોડાણ કરાશે. વિદ્યાર્થીઓને તેમની નજીકમાં આવેલી અન્ય શાળામાં સમાવી લેવામાં આવશે.

આ નિર્ણયના કારણે સૌથી વધારે મુશ્કેલીઓ અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પડશે. કારણ કે, આ વિદ્યાર્થીઓને વાહનવ્યહારની ટાંચી સુવિધાઓ વચ્ચે બે થી પાંચ કિલોમીટર પગપાળા શાળાએ જવાની ફરજ પડશે.

જેથી આદિવાસી બેલ્ટમાં સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગુરુવારે ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપી શાળાને મર્જ ન કરવા રજુઆત કરાઈ હતી. તેમણે મામલતદારના માધ્યમથી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ દરેકનો બંધારણીય અધિકાર છે. પ્રાથમિક શાળાઓ બંધ કરવી એ ભારતીય સંવિધાનના આર્ટિકલ 21નો ભંગ કરનાર કૃત્ય છે.

ભીલીસ્થાન ટાઈગર સેનાની રજુઆત

શાળા જે-તે ગામનું ઘરેણું છે. સરકાર નવી સરકારી શાળાઓ ચાલુ કરી શકતી નથી એવામાં જે શાળાઓ ચાલી રહી છે તેને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ, બેટી બચાવો બેટી પઢાવો, સૌ ભણે સૌ આગળ વધે, ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ,શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવની ગુલબાંગો પોકારતી સરકારના નિર્ણયથી ડ્રોપ આઉટ રેશિયો વધી જશે. નાની વયના બાળકો ત્રણ-ચાર કિલોમીટર દૂર શાળાએ જઈ શકશે નહીં. સરકાર એક મતદાર માટે પોલિંગ બૂથ ઊભું કરી શકતી હોય તો 30થી ઓછા બાળકોની સંખ્યા ધરાવતી શાળા કેમ બંધ કરે છે?

ભીલીસ્થાન ટાઈગર સેના સભ્યોએ જણાવ્યું હતું કે, જો સરકાર આ અંગે યોગ્ય નિર્ણય લેશે નહીં તો આગામી 10 દિવસમાં ભિલીસ્થાન ટાઈગર સેના સમગ્ર ગુજરાતમાં આ બાબતનો વિરોધ કરી આંદોલન કરશે.

Intro:ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાઓમાં કિસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એવી શાળાઓ બંધ કરીને અન્ય શાળામાં મર્જ કરી દેવાની કવાયત શરૂ થઇ છે જેમાં સમગ્ર ગુજરાતની 5350 કરતાં વધુ શાળાઓ બંધ થઈ જશે અને જે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં જવાની ફરજ પડશે આવી શાળાઓ મર્જ કરવાના વિરોધમાં આજે ધરમપુરના મામલતદારને ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો


Body:ગુજરાત રાજ્યમાં જે પ્રાથમિક શાળાઓમાં 30 કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એવી પ્રાથમિક શાળાઓને અન્ય શાળામાં મર્જ કરી દેવાનો નિર્ણય લેવાયો છે જેમાં સમગ્ર ગુજરાતની 5350 જેટલી શાળાઓનો સમાવેશ થાય છે અને આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની નજીકમાં આવેલી અન્ય શાળામાં સમાવી લેવામાં આવશે જો કે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ એવી હોય કે જ્યાં માત્ર બાળકોની સંખ્યા 30 હોય એવી પણ શાળાઓ બંધ થવાના આરે છે જેના કારણે આ શાળામાં અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થી અને બે થી ચાર કિલોમીટર લાંબુ પગપાળા જવાની ફરજ પડશે આવી સ્થિતિમાં આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બનશે આ સમગ્ર બાબતનો વિરોધ કરતાં આજે આદિવાસી સંગઠન એવા ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપી શાળાને મર્જ ન કરવા જણાવ્યું હતું તેમણે મામલતદાર ના માધ્યમથી રાજ્યપાલ શ્રી ને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ એ દરેકનો બંધારણીય અધિકાર છે પ્રાથમિક શાળાઓ બંધ કરવી એ ભારતીય સંવિધાન આર્ટિકલ 21 નો ભંગ કરનાર કૃત્ય છે શાળાએ ગામનું ઘરેણું છે સરકાર નવી સરકારી શાળાઓ ચાલુ ન કરી શકતી હોય તો ચાલુ શાળાઓને બંધ કરવાનો કોઈ અધિકાર નથી ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ બેટી બચાવો બેટી પઢાવો સૌ ભણે સૌ આગળ વધે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ ની ગુલબાંગો પોકારતી ભૂતોની સરકારના તઘલખી નિર્ણય ની dropout ratio વધી જશે નાની વયના બાળકોને ત્રણ-ચાર કિલોમીટર દૂર શાળાએ જઈ શકાશે નહીં સરકાર એક મતદાર માટે પોલિંગ બૂથ ઊભું કરી શકતી હોય તો 30 થી ઓછા બાળકો માટે શાળા કેમ બંધ કરે છે જેવા અનેક સવાલો આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે


Conclusion:નોંધનીય છે કે ભિલીસ્થાન ટાઈગર સેના સભ્યોએ જણાવ્યું કે જો સરકાર દ્વારા સમગ્ર બાબતે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દસ દિવસમાં ભિલીસ્થાન ટાઈગર સેના સમગ્ર ગુજરાતમાં આ બાબતનો વિરોધ કરી આંદોલન કરશે

બાઈટ 1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.