ETV Bharat / state

પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું

પારડી તાલુકાના આમળી ગામના એક યુવક કોરોના પોઝિટિવ આવ્યાં બાદ સારવાર માટે હોસ્પિટલમાં દરેક સ્થળે ફર્યા બાદ કોઈ પણ હોસ્પિટલમાં સારવાર માટે બેડ મળ્યો ન હતો. જેથી તેને સાસરી પક્ષ દ્વારા તેમની આંબાવાડીમાં આવેલા મકાનમાં હોમ કોરેન્ટાઈન્ટ કરીને સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. જોકે, મંગળવારે આ યુવક કોઈને પણ કહ્યા વિના ઘરેથી નીકળી જતા પરિજનો તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે ન મળતા પરિવારજનો પોલીસ મથકે આવ્યાં હતા. પોલીસે તપાસ કરતા તેનો મૃતદેહ ઉદવાડા મોતીવાડા રેલવે ટ્રેક ઉપર મળી આવતા પરિવાજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો.

author img

By

Published : Apr 28, 2021, 3:37 PM IST

પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું
પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું
  • આમળી ગામનો કોરોના પોઝિટિવ યુવકે હતાશામાં આવી આત્મહત્યાં કરી
  • સારવાર માટે કોઈ સ્થળે બેડ ના મળતા આખરે ઘરમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો
  • હતાશામાં આવી ગયેલા યુવકે ઘરથી કોઈ ને કહ્યા વિના નીકળી જતા પરિજનો દોડતા થયા હતા
  • ઉદવાડા ગંગાજી નજીકમાં રેલવે ટ્રેક ઉપર તેનો મૃતદેહ મળી આવ્યો હતો

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામમાં માં રહેતા 35 વર્ષીય યુવાનને કોરોનાનો થયો હતો, જેથી તણાવમાં આવી તેણે પારડી રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આમલી ગામમાં ભેંશું ફળિયાના ગણેશ ભાઈ ઠાકોરભાઈ ઢોડિયા પટેલ બીમાર હતા, તેમજ તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી પારડી રેલવે સ્ટેશન નજીક આવેલી ગંગાજી નદીના પુલ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. તેઓ ભીમપોર દમણમાં હાઈલાઈટ કંપનીમાં કામ કરતા હતા. એમને સાત વર્ષની એક છોકરી છે. જોકે, તેઓએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.

પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું

આ પણ વાંચોઃ ડાંગમાં કોરોનાં પોઝિટિવ દર્દીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા

યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગણેશ પટેલને છેલ્લા ત્રણ દિવસથી શરદી અને તાવના લક્ષણો હોવાથી તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓએ સારવાર માટે પારડી અને વલસાડની અનેક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી પણ પરિજનોને એક પણ બેડ ખાલી મલ્યો નહી. જેથી તેઓ નિરાશ થયા હતા.
કેટલાક તબીબોએ તેમને હોમ કોરેન્ટાઈન થવાની સલાહ આપતા ગણેશ ભાઈના સાસરી પક્ષ તરફથી તેમને પારડી નજીકમાં આવેલા ભેસલાપાડા નજીક આંબાવાડીમાં આવેલા મકાનમાં હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને કોઈને પણ કહ્યા વિના તેઓ ગાડી લઈને ચાલ્યા જતા પરિવાર જનોએ શોધખોળ શરુ કરી હતી, પણ તે મળી આવ્યાં ન હતા.

પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું
પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું

આ પણ વાંચોઃ સુરતઃ કોરોનાથી બનેવીનું મોત થતાં સાળાએ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી

પરિવારજનોએ પોલીસને કરી જાણ

ગણેશ ભાઈ એક તો કોરોના પોઝિટિવ હતા અને ઉપરથી હોમ કોરેન્ટાઈન હતા. ત્યારે વાડીના મકાનમાંથી કયાંક ચાલ્યા જતા પરિવારજનો ખુબ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવાર જનોએ આખરે પારડી પોલીસ મથકે જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં રેલવે ટ્રેક નજીક આત્મહત્યા કરેલી હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.

પારડી પોલીસ સ્ટેશન
પારડી પોલીસ સ્ટેશન

પારડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો

આ સમગ્ર ઘટના અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, ગણેશ ભાઈ જ્યારથી પોઝિટિવ આવ્યા છે. ત્યારથી તેઓ માત્ર એક જ વાત કરતા હતા કે તેઓ હવે દુનિયામાં નહી રહે માત્ર મરવાની વાતો કરતા હતા. ત્યારે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં બેડ ન મળતા તેઓ વધુ હતાશામાં સરી પડ્યા હતા અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આ ઉપરાંત આંબાવાડીમાં અઈસોલેસન રહેતા હતા ત્યાં એકલા હોવાથી વધુ હતાશામાં સરી પડ્યા હતા. જોકે, સમગ્ર બાબતે પારડીના PSI એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, મૃતક પોતાની મોપેડ લઇને ચાલી નીકળ્યો હતો અને હતાશામાં હોવાથી જ તેણે આ પગલું ભર્યું હોવાનું હાલ પરિજનો અને પ્રાથમિક દ્રષ્ટ્રી જોતા જણાઈ આવે છે. ઉપરોક્ત બનાવ અંગેની હકીકત એમના પત્ની મિનલબેનએ પારડી પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. પારડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

  • આમળી ગામનો કોરોના પોઝિટિવ યુવકે હતાશામાં આવી આત્મહત્યાં કરી
  • સારવાર માટે કોઈ સ્થળે બેડ ના મળતા આખરે ઘરમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો
  • હતાશામાં આવી ગયેલા યુવકે ઘરથી કોઈ ને કહ્યા વિના નીકળી જતા પરિજનો દોડતા થયા હતા
  • ઉદવાડા ગંગાજી નજીકમાં રેલવે ટ્રેક ઉપર તેનો મૃતદેહ મળી આવ્યો હતો

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામમાં માં રહેતા 35 વર્ષીય યુવાનને કોરોનાનો થયો હતો, જેથી તણાવમાં આવી તેણે પારડી રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આમલી ગામમાં ભેંશું ફળિયાના ગણેશ ભાઈ ઠાકોરભાઈ ઢોડિયા પટેલ બીમાર હતા, તેમજ તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી પારડી રેલવે સ્ટેશન નજીક આવેલી ગંગાજી નદીના પુલ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. તેઓ ભીમપોર દમણમાં હાઈલાઈટ કંપનીમાં કામ કરતા હતા. એમને સાત વર્ષની એક છોકરી છે. જોકે, તેઓએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.

પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું

આ પણ વાંચોઃ ડાંગમાં કોરોનાં પોઝિટિવ દર્દીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા

યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગણેશ પટેલને છેલ્લા ત્રણ દિવસથી શરદી અને તાવના લક્ષણો હોવાથી તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓએ સારવાર માટે પારડી અને વલસાડની અનેક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી પણ પરિજનોને એક પણ બેડ ખાલી મલ્યો નહી. જેથી તેઓ નિરાશ થયા હતા.
કેટલાક તબીબોએ તેમને હોમ કોરેન્ટાઈન થવાની સલાહ આપતા ગણેશ ભાઈના સાસરી પક્ષ તરફથી તેમને પારડી નજીકમાં આવેલા ભેસલાપાડા નજીક આંબાવાડીમાં આવેલા મકાનમાં હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને કોઈને પણ કહ્યા વિના તેઓ ગાડી લઈને ચાલ્યા જતા પરિવાર જનોએ શોધખોળ શરુ કરી હતી, પણ તે મળી આવ્યાં ન હતા.

પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું
પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું

આ પણ વાંચોઃ સુરતઃ કોરોનાથી બનેવીનું મોત થતાં સાળાએ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી

પરિવારજનોએ પોલીસને કરી જાણ

ગણેશ ભાઈ એક તો કોરોના પોઝિટિવ હતા અને ઉપરથી હોમ કોરેન્ટાઈન હતા. ત્યારે વાડીના મકાનમાંથી કયાંક ચાલ્યા જતા પરિવારજનો ખુબ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવાર જનોએ આખરે પારડી પોલીસ મથકે જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં રેલવે ટ્રેક નજીક આત્મહત્યા કરેલી હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.

પારડી પોલીસ સ્ટેશન
પારડી પોલીસ સ્ટેશન

પારડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો

આ સમગ્ર ઘટના અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, ગણેશ ભાઈ જ્યારથી પોઝિટિવ આવ્યા છે. ત્યારથી તેઓ માત્ર એક જ વાત કરતા હતા કે તેઓ હવે દુનિયામાં નહી રહે માત્ર મરવાની વાતો કરતા હતા. ત્યારે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં બેડ ન મળતા તેઓ વધુ હતાશામાં સરી પડ્યા હતા અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. આ ઉપરાંત આંબાવાડીમાં અઈસોલેસન રહેતા હતા ત્યાં એકલા હોવાથી વધુ હતાશામાં સરી પડ્યા હતા. જોકે, સમગ્ર બાબતે પારડીના PSI એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, મૃતક પોતાની મોપેડ લઇને ચાલી નીકળ્યો હતો અને હતાશામાં હોવાથી જ તેણે આ પગલું ભર્યું હોવાનું હાલ પરિજનો અને પ્રાથમિક દ્રષ્ટ્રી જોતા જણાઈ આવે છે. ઉપરોક્ત બનાવ અંગેની હકીકત એમના પત્ની મિનલબેનએ પારડી પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. પારડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.