ETV Bharat / state

નારગોલમાં વિશ્વ વન દિવસ નિમિત્તે "FOREST BY THE SEA" પ્રોજેકટ હેઠળ 1.20 લાખ વૃક્ષોના વાવેતર થશે

વલસાડ જિલ્લાના નારગોલ ગામે આવેલા માલવણ બીચ પર રવિવારે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અહીં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ દ્વારા સ્થાનિક સંસ્થાના સહયોગથી 1.20 લાખ વૃક્ષોના વાવેતરનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેનું વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

author img

By

Published : Mar 21, 2021, 10:01 PM IST

વિશ્વ વન દિવસે 1.20 લાખ વૃક્ષોના વાવેતરનું ખાત મુહૂર્ત
વિશ્વ વન દિવસે 1.20 લાખ વૃક્ષોના વાવેતરનું ખાત મુહૂર્ત
  • વિશ્વ વન દિવસે 1.20 લાખ વૃક્ષોના વાવેતરનું ખાત મુહૂર્ત
  • માલવણ બીચ પર ફોરેસ્ટ અને સ્થાનિક સંસ્થાએ પ્રોજેકટ હાથ ધર્યો
  • ગ્લોબલ વોર્મિંગથી બચવા વૃક્ષો વાવવા જરૂરી

વલસાડ: જિલ્લાના નારગોલમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ અને Forest Creators, Enviro Creators Foundation સંસ્થા દ્વારા "FOREST BY THE SEA" પ્રોજેકટનું વિશ્વ વન દિવસે વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગોદરેજ પ્રોપર્ટીના સહયોગ હેઠળ આકાર લેનારા વન પ્રોજેકટમાં 1.20 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપ્રધાન પાટકરે જણાવ્યું હતું કે, વિશ્વમાં દિવસો દિવસ ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે, ત્યારે પર્યાવરણનું જતન થાય તેવા શુભ આશયથી આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

ગ્લોબલ વોર્મિંગથી બચવા વૃક્ષો વાવવા જરૂરી

આ પણ વાંચો: વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં વૃક્ષારોપણ કરાયું

વૃક્ષોનું વાવેતર ખેડૂતોને રોજગારી પણ આપે છે

આવા પ્રોજેકટથી પર્યાવરણનું જતન થશે, સાથે જ સરકારે પણ ખેડૂતોને વિવિધ પ્રકારના ઝાડ-વૃક્ષો વાવી તેમને વેચી કમાણી કરી શકે તેવી છૂટ આપી છે. ત્યારે લોકોએ પણ પર્યાવરણના જતન માટે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષોથી પર્યાવરણનું જતન પણ થશે અને સ્થાનિક ખેડૂતોને રોજગારી પણ મળી શકશે.

આ પણ વાંચો: વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વડોદરા વન વિભાગના RFOની અપીલ

જાપાનીઝ પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર અને જતન થશે

માલવણ બીચ પર ફોરેસ્ટ વિભાગે સ્થાનિક સંસ્થા અને ગોદરેજ પ્રોપર્ટીના સહયોગથી 1.20 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. જાપાનીઝ પદ્ધતિથી અહીં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. પાટકરે આ પ્રસંગે સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ યોજનાઓની જાણકારી આપી ખાત મુહૂર્ત કર્યું હતું.

  • વિશ્વ વન દિવસે 1.20 લાખ વૃક્ષોના વાવેતરનું ખાત મુહૂર્ત
  • માલવણ બીચ પર ફોરેસ્ટ અને સ્થાનિક સંસ્થાએ પ્રોજેકટ હાથ ધર્યો
  • ગ્લોબલ વોર્મિંગથી બચવા વૃક્ષો વાવવા જરૂરી

વલસાડ: જિલ્લાના નારગોલમાં સામાજિક વનીકરણ વિભાગ વલસાડ અને Forest Creators, Enviro Creators Foundation સંસ્થા દ્વારા "FOREST BY THE SEA" પ્રોજેકટનું વિશ્વ વન દિવસે વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગોદરેજ પ્રોપર્ટીના સહયોગ હેઠળ આકાર લેનારા વન પ્રોજેકટમાં 1.20 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યપ્રધાન પાટકરે જણાવ્યું હતું કે, વિશ્વમાં દિવસો દિવસ ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે, ત્યારે પર્યાવરણનું જતન થાય તેવા શુભ આશયથી આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

ગ્લોબલ વોર્મિંગથી બચવા વૃક્ષો વાવવા જરૂરી

આ પણ વાંચો: વિશ્વ વન દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચમાં વૃક્ષારોપણ કરાયું

વૃક્ષોનું વાવેતર ખેડૂતોને રોજગારી પણ આપે છે

આવા પ્રોજેકટથી પર્યાવરણનું જતન થશે, સાથે જ સરકારે પણ ખેડૂતોને વિવિધ પ્રકારના ઝાડ-વૃક્ષો વાવી તેમને વેચી કમાણી કરી શકે તેવી છૂટ આપી છે. ત્યારે લોકોએ પણ પર્યાવરણના જતન માટે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષોથી પર્યાવરણનું જતન પણ થશે અને સ્થાનિક ખેડૂતોને રોજગારી પણ મળી શકશે.

આ પણ વાંચો: વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વડોદરા વન વિભાગના RFOની અપીલ

જાપાનીઝ પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર અને જતન થશે

માલવણ બીચ પર ફોરેસ્ટ વિભાગે સ્થાનિક સંસ્થા અને ગોદરેજ પ્રોપર્ટીના સહયોગથી 1.20 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે. જાપાનીઝ પદ્ધતિથી અહીં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. પાટકરે આ પ્રસંગે સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ યોજનાઓની જાણકારી આપી ખાત મુહૂર્ત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.