રાજ્યના પૂર્વ પ્રધાન અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થતા રાજકીય માહોલમાં શોક વ્યાપી ગયો છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું સોમવારના રોજ સવારે નિધન થયું છે.
કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના મૃત્યુના સમાચાર સાંભળતા જ રાજકીય પાર્ટીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ સાથે જ એક મોટા નેતાની ખોટ સર્જાઇ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.