ETV Bharat / state

વડોદરામાં 5000 લોકોનું સ્થળાંતર, 1 લાખ ફૂડ પેકેટ તૈયાર: CM રૂપાણી - Heavy Rainfall in vadodara

ગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ 3 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાની સ્થિતિને જોઈ CM રૂપાણી દ્વારા લોકોને બચાવવાના અને તેમને મદદ કરવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે તેને ધ્યાને લઇને હાલમાં 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો અનેક લોકોએ સહાયતા સાથે ફુડ પેકેટ પણ આપ્યા છે. NDRFની ટીમ દ્વારા પરિસ્થતિ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરાઇ છે.

Vijay Rupani
author img

By

Published : Aug 1, 2019, 5:56 PM IST

Updated : Aug 1, 2019, 6:02 PM IST

રાજ્યમાં વડોદરા શહેર સમગ્ર પાણીમય બની જતા શહેરની હાલત કફોડી બની ગઇ છે જેને લઇને લોકોએ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જેને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "વડોદરામાં અત્યારે લોકોને મદદ કરવા માટે રાજ્ય સરકારે આર્મીના 2 કોલમ, NDRFની 3 ટિમ, વડોદરા અને સુરત ફાયર બ્રિગેડની મદદથી લોકોને બચાવવાની કામગીરી શરૂ છે. જ્યારે આજ સાંજ સુધીમાં વધુ 5 એન.ડી.આર.એફ. ટિમ ડિપ્લોય કરવામાં આવશે. જેના માટે પીએમઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઉપરાંત ડિફેન્સ, એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે ગઈકાલથી વરસાદ બાદ વડોદરાની પરિસ્થિતિ જોઈ કલેકટરની મદદથી 75,000 ફૂડ પેકેટ લોકોને આપવામાં આવ્યા છે. જ્યારે વધારાના 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વડોદરામાં 5000 લોકોનું સ્થળાંતર, 1 લાખ ફૂડ પેકેટ તૈયાર તો વન વિભાગ પણ સજ્જ: CM રૂપાણી

વીજની વાત કરવામાં આવે તો કુલ 304 વિસ્તારના વીજ ફીડર પાણીમાં હોવાથી બંધ કરવામાં આવ્યા હતા. જે પાણી ઓસરતા ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ સમાં વિસ્તારના 47 ફીડર બંધ રાખવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવવાને કારણે પાણીની સાથે મગરોએ પણ શહેરમાં પ્રવેશ કર્યો હતો. જેને લઈને રાજ્ય સરકારે વન વિભાગને કડક સૂચના આપી છે. જેમાં 3 જેટલા મગરોને પકડવામાં આવ્યા છે. વરસાદના કારણે 106 રસ્તા બંધ હતા. જેમાં 24 રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બેઠક બાદ CM રૂપાણીએ પત્રકાર પરિષદ યોજતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદી માહોલ અને વડોદરાની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. જ્યારે વડોદરાના અધિકારીઓ સાથે વાત કરી વધુ 5 NDRFની ટિમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બપોર સુધી પુનાથી વડોદરા એરલીફ્ટ થઇ જશે. જ્યારે આજ વહેલી સવારે આજવા, હાલોલ જેવા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેથી વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તર વધ્યા હતા. પરંતુ અત્યારે વરસાદે આરામ લીધો છે. પરંતુ હજુ 4 કલાક વરસાદ નહીં પડે તો પાણી નો નિકાલ ઝડપી કરી શકાશે.

રાજ્યમાં વડોદરા શહેર સમગ્ર પાણીમય બની જતા શહેરની હાલત કફોડી બની ગઇ છે જેને લઇને લોકોએ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જેને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "વડોદરામાં અત્યારે લોકોને મદદ કરવા માટે રાજ્ય સરકારે આર્મીના 2 કોલમ, NDRFની 3 ટિમ, વડોદરા અને સુરત ફાયર બ્રિગેડની મદદથી લોકોને બચાવવાની કામગીરી શરૂ છે. જ્યારે આજ સાંજ સુધીમાં વધુ 5 એન.ડી.આર.એફ. ટિમ ડિપ્લોય કરવામાં આવશે. જેના માટે પીએમઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઉપરાંત ડિફેન્સ, એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે ગઈકાલથી વરસાદ બાદ વડોદરાની પરિસ્થિતિ જોઈ કલેકટરની મદદથી 75,000 ફૂડ પેકેટ લોકોને આપવામાં આવ્યા છે. જ્યારે વધારાના 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વડોદરામાં 5000 લોકોનું સ્થળાંતર, 1 લાખ ફૂડ પેકેટ તૈયાર તો વન વિભાગ પણ સજ્જ: CM રૂપાણી

વીજની વાત કરવામાં આવે તો કુલ 304 વિસ્તારના વીજ ફીડર પાણીમાં હોવાથી બંધ કરવામાં આવ્યા હતા. જે પાણી ઓસરતા ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ સમાં વિસ્તારના 47 ફીડર બંધ રાખવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવવાને કારણે પાણીની સાથે મગરોએ પણ શહેરમાં પ્રવેશ કર્યો હતો. જેને લઈને રાજ્ય સરકારે વન વિભાગને કડક સૂચના આપી છે. જેમાં 3 જેટલા મગરોને પકડવામાં આવ્યા છે. વરસાદના કારણે 106 રસ્તા બંધ હતા. જેમાં 24 રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 5000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બેઠક બાદ CM રૂપાણીએ પત્રકાર પરિષદ યોજતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદી માહોલ અને વડોદરાની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરીને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. જ્યારે વડોદરાના અધિકારીઓ સાથે વાત કરી વધુ 5 NDRFની ટિમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બપોર સુધી પુનાથી વડોદરા એરલીફ્ટ થઇ જશે. જ્યારે આજ વહેલી સવારે આજવા, હાલોલ જેવા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેથી વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તર વધ્યા હતા. પરંતુ અત્યારે વરસાદે આરામ લીધો છે. પરંતુ હજુ 4 કલાક વરસાદ નહીં પડે તો પાણી નો નિકાલ ઝડપી કરી શકાશે.

Intro:Body:

gj_gnr_12_baroda_rain_meeting_video_byte_cm__story_7204846





હેડિંગ : બરોડામાં 5000 લોકોનું સ્થળાંતર કરાયું, 1 લાખ ફૂડ પેકેટ તૈયાર, વન વિભાગે 3 મગર પકડ્યા : સીએમ વિજય રૂપાણી





સમગ્ર ગુજરાત મા હાલ મોટા ભાગના વિસ્તારો મા ભારે થી અતિભારે વરસાદ ની આગાહી છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 3 દિવસ માં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બરોડામાં છેલ્લા 12 કલાકમાં 22 ઈંચ થી વધુ વરસાદ ખાબકતા બરોડનો નકશો બદલી નાખ્યો છે. જેને લઈને રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને બરોડની પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. ઉપરાંત બરોડા કલેકટર સાથે ટેલિફોનિક વાત કરીને સમગ્ર ચિતાર મેળવ્યો હતો. વધુમાં સીએમ રૂપાણીએ શહેરી વિકાસ સચિવ મુકેશ પુરી બરોડા પહોંચ્વાનો આદેશ આપ્યો હતો.





બેઠક બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજતા જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદી માહોલ અને બરોડા ની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારી સાથે બેઠક કરીને પરિસ્થિતિ ની સમીક્ષા કરવામાં આવી છે. જ્યારે બરોડા ના અધિકારીઓ સાથે વાત કરી વધુ 5 એન.ડી.આર. એફ. ની ટિમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બપોર સુધી પુના થી બરોડા એરલીફ્ટ થઇ જશે. જ્યારે આજ વહેલી સવારે આજવા, હાલોલ જેવા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો જેથી વિશ્વામિત્રી નદીમાં પાણીના સ્તર વધ્યા હતા જે તમામ પાણી નદીમાં આવતા બરોડા શહેરમાં નદી નું પાણી ફળી વળ્યું છે. પરંતુ અત્યારે વરસાદે આરામ લીધો છે જી હજુ 4 કલાક વરસાદ નહીં પડે તો પાણી ન નિકાલ ઝડપી થશે.



બાઈટ.. વિજય રૂપાણી મુખ્યપ્રધાન



રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે બરોડામાં અત્યારે લોકોને મદદ કરવા માટે રાજ્ય સરકારે આર્મી ના 2 કોલમ, એન.ડી.આર.એફ. ની 3 ટિમ, બરોડા અને સુરત ફાયર બ્રિગેડની મદદ થી લોકોને બચાવવાની કામગીરી શરૂ છે.જ્યારે આજ સાંજ સુધીમાં વધુ

5 એન.ડી.આર. એફ. ટિમ વધુ ડિપ્લોય કરવામાં આવશે, પૂનાથી ટિમ આવશે, જેના માટે પીએમઓ નો સંપર્ક કરવામાં આવ્યો છે. ઉપરાંતડિફેન્સ, એરફોર્સ ની મદદ લેવામાં આવી રહી છે.



જ્યારે ગઈ કાલથી વરસાદ બાદ બરોડા ની પરિસ્થિતિ ખરાબ થઈ હતી લોકો માટે ખાવાની કોઈ વ્યસ્થા હતી નહીં ત્યારે અત્યાર સુધીમાં કલેકટર ની મદદથી 75,000 ફૂડ પેકેટ લોકોને આપવામાં આવ્યા છે, જ્યારે વધારાના 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.



વીજ ની વાત કરવામાં આવે તો કુલ 304 વિસ્તાર ના વીજ ફીડર પાણીમાં હોવાથી બન્ધ કરવામાં આવ્યા હતા જે પાણી ઓસરતા ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ સમાં વિસ્તારના 47 ફીડર બંદ રાખવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવને કારણે પાણી ની સાથે મગરો પણ શહેરમાં પ્રવેશ કર્યો હતો જેને લઈને રાજ્ય સર્કસરે વન વિભાગ ને કડક સૂચના આપી છે. જેમાં 3 જેટલા મગરોને પકડવામાં આવ્યા છે. જ્યારે પાણી ન નિકલ માટે ડી વોટરીંગ પમ્પો અન્ય જગ્યાએ થી બરોડા પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે વરસાદના કારણે 106 રસ્તા બંદ હતા જેમાં 24 રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 5000 જેટલા નું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


Conclusion:
Last Updated : Aug 1, 2019, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.