ETV Bharat / state

કોરોના કહેર વચ્ચે "ધન્વન્તરી રથ"ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાયું - Dhanvantari Rath in dang district

દેશભરમાં જયારે "કોરોના"નો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે, રાજ્ય સરકારના "ધન્વન્તરી રથ" છેવાડાના ડાંગ જિલ્લાના પ્રજાજનોને "રોગ પ્રતિકારક શક્તિ" વર્ધક દવાઓ અને "અમૃતપેય" ઉકાળાના વિતરણ સાથે આગોતરું રક્ષા કવચ પૂરું પાડી રહ્યું છે.

કોરોના કહેર વચ્ચે "ધન્વન્તરી રથ"ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
કોરોના કહેર વચ્ચે "ધન્વન્તરી રથ"ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
author img

By

Published : Jul 21, 2020, 8:16 PM IST

ડાંગ: જિલ્લાના કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સરકારી આયુર્વેદ દવાખાના માનમોડી, રંભાસ, બરડીપાડા, ચિંચલી, ગલકુંડ, પાંડવા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ-આહવા સહિત સરકારી હોમિયોપેથી દવાખાનું-આહવાના માધ્યમથી જિલ્લાના પ્રજાજનોની "રોગ પ્રતિકારક શક્તિ" વધારવા માટે આયુર્વેદની "શમશમની વટી" તથા હોમીયોપેથીની "આર્સેનિક આલ્બ-30" ના મોટાપાયે વિતરણ સાથે આરોગ્યવર્ધક "અમૃતપેય" ઉકાળાનું સેવન કરાવીને તેમને આગોતરું "રક્ષા કવચ" પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Ayurvedic medicines distributed
Ayurvedic medicines distributed
સરકારી આયુર્વેદિક હોસ્પીટલના વૈદ્ય (પંચકર્મ) બર્થા પટેલ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 5 માર્ચથી શરુ કરાયેલા આ અભિયાન હેઠળ 20 જુલાઈ સુધીમાં જિલ્લામાં 2,923 "ઉકાળા કેમ્પ" આયોજિત કરી 13 લાખથી વધુ લાભાર્થીઓને સતત પાંચ દિવસો સુધી લાભાન્વિત કરાયા છે. તો આયુર્વેદની રોગ પ્રતિરોધક ગોળી "શમશમની વટી"ના સાત દિવસના કોર્ષના 26,059 પેકેટના વિતરણ કરવા સાથે,1,991 જેટલા ઉકાળા માટેના "સુકા પાવડર"ના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર "અમૃતપેય" ઉકાળામાં દશમૂળ કવાથ, પથ્યાદી કવાથ, ત્રીકટુ ચૂર્ણ જેવી ઔષધીઓનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આહવાના સરકારી હોમીયોપેથી દવાખાના મારફત જિલ્લાના 10 "ધન્વન્તરી રથ"ના માધ્યમથી રોગ પ્રતિરોધક ઔષધી "આર્સેનિક આલ્બ-30"નુ 16,278 થી વધુ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાના કર્મચારીઓ, જિલ્લાની આંગણવાડીઓના વર્કર્સ અને હેલ્પર્સ જેવા પાયાના કર્મચારીઓને પણ "આર્સેનિક આલ્બ-30" નું સુરક્ષા કવચ પૂરું પડાયુ છે.

ડાંગ: જિલ્લાના કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સરકારી આયુર્વેદ દવાખાના માનમોડી, રંભાસ, બરડીપાડા, ચિંચલી, ગલકુંડ, પાંડવા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ-આહવા સહિત સરકારી હોમિયોપેથી દવાખાનું-આહવાના માધ્યમથી જિલ્લાના પ્રજાજનોની "રોગ પ્રતિકારક શક્તિ" વધારવા માટે આયુર્વેદની "શમશમની વટી" તથા હોમીયોપેથીની "આર્સેનિક આલ્બ-30" ના મોટાપાયે વિતરણ સાથે આરોગ્યવર્ધક "અમૃતપેય" ઉકાળાનું સેવન કરાવીને તેમને આગોતરું "રક્ષા કવચ" પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Ayurvedic medicines distributed
Ayurvedic medicines distributed
સરકારી આયુર્વેદિક હોસ્પીટલના વૈદ્ય (પંચકર્મ) બર્થા પટેલ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 5 માર્ચથી શરુ કરાયેલા આ અભિયાન હેઠળ 20 જુલાઈ સુધીમાં જિલ્લામાં 2,923 "ઉકાળા કેમ્પ" આયોજિત કરી 13 લાખથી વધુ લાભાર્થીઓને સતત પાંચ દિવસો સુધી લાભાન્વિત કરાયા છે. તો આયુર્વેદની રોગ પ્રતિરોધક ગોળી "શમશમની વટી"ના સાત દિવસના કોર્ષના 26,059 પેકેટના વિતરણ કરવા સાથે,1,991 જેટલા ઉકાળા માટેના "સુકા પાવડર"ના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર "અમૃતપેય" ઉકાળામાં દશમૂળ કવાથ, પથ્યાદી કવાથ, ત્રીકટુ ચૂર્ણ જેવી ઔષધીઓનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આહવાના સરકારી હોમીયોપેથી દવાખાના મારફત જિલ્લાના 10 "ધન્વન્તરી રથ"ના માધ્યમથી રોગ પ્રતિરોધક ઔષધી "આર્સેનિક આલ્બ-30"નુ 16,278 થી વધુ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાના કર્મચારીઓ, જિલ્લાની આંગણવાડીઓના વર્કર્સ અને હેલ્પર્સ જેવા પાયાના કર્મચારીઓને પણ "આર્સેનિક આલ્બ-30" નું સુરક્ષા કવચ પૂરું પડાયુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.