ETV Bharat / state

મોરબીની 4 નગરપાલિકાને માળખાકીય સુવિધાઓ માટે 11 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની દરેક નગરપાલિકાઓને લોકોના વિકાસ કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 11 કરોડની ગ્રાન્ટ ફળવાઈ છે.

author img

By

Published : Aug 12, 2020, 2:20 PM IST

મોરબી નગરપાલિકાને 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
મોરબી નગરપાલિકાને 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી

મોરબીઃ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની દરેક નગરપાલિકાઓને લોકોના વિકાસ કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 11 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.

મોરબી નગરપાલિકાને 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
મોરબી નગરપાલિકાને 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી

મોરબી પાલિકાને રૂપિયા 5 કરોડ, હળવદ નગરપાલિકાને રૂપિયા 2.50 કરોડ, વાંકાનેર પાલિકાને અઢી કરોડ અને માળીયા પાલિકાને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મોરબીની કલેક્ટર કચેરી ખાતે પ્રધાન સોરભભાઈ પટેલ અને સ્વર્ણિમા 20 મુદા અમલીકરણના અધ્યક્ષ આઈ. કે. જાડેજાના હસ્તે મોરબી જિલ્લાની ચારેય નગરપાલિકાને ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.

આ તકે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પ્રમુખ કેતન વિલપરા, હળવદના ચીફ ઓફિસર સાગર રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં, તો મોરબી નગરપાલિકાને ગ્રાન્ટ મળતા મોરબીવાસીઓને સારી સુવિધા મળી રહેશે તેમજ અગામી બોર્ડમાં આ ગ્રાંટ બબાતે ચર્ચા કરીઓને ઉપયોગ કરવામાં આવશે.

મોરબીઃ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યની દરેક નગરપાલિકાઓને લોકોના વિકાસ કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાની ચાર પાલિકાઓને માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા 11 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે.

મોરબી નગરપાલિકાને 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી
મોરબી નગરપાલિકાને 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી

મોરબી પાલિકાને રૂપિયા 5 કરોડ, હળવદ નગરપાલિકાને રૂપિયા 2.50 કરોડ, વાંકાનેર પાલિકાને અઢી કરોડ અને માળીયા પાલિકાને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મોરબીની કલેક્ટર કચેરી ખાતે પ્રધાન સોરભભાઈ પટેલ અને સ્વર્ણિમા 20 મુદા અમલીકરણના અધ્યક્ષ આઈ. કે. જાડેજાના હસ્તે મોરબી જિલ્લાની ચારેય નગરપાલિકાને ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.

આ તકે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પ્રમુખ કેતન વિલપરા, હળવદના ચીફ ઓફિસર સાગર રાડીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં, તો મોરબી નગરપાલિકાને ગ્રાન્ટ મળતા મોરબીવાસીઓને સારી સુવિધા મળી રહેશે તેમજ અગામી બોર્ડમાં આ ગ્રાંટ બબાતે ચર્ચા કરીઓને ઉપયોગ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.