ETV Bharat / state

આજે શીતળા સાતમ, મંદિરમાં ભક્તોની ભીડ

સુરેન્દ્રનગરઃ આજે ચૈત્ર વદ સાતમ એટલે કે, શિતળા સાતમ છે. આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં 200 વર્ષ જૂનું શિતળામાતાનું મંદિર આવેલુ છે, જ્યાં આજે સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી છે.

author img

By

Published : Apr 26, 2019, 3:20 PM IST

શિતળા માતાનું મંદિર

આ મંદિરે ચૈત્ર વદ સાતમના દિવસે અને શ્રાવણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે અને મેળામાં લાખો માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. ભક્તો પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે માતાજી પાસે પ્રાર્થના કરે છે.

શીતળા સાતમ હોવાથી મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરમાં સવારે 4 વાગ્યે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. દર્શનાર્થીઓએ પગપાળા, દંડવત અને ઠંડુ ખાવાના જેવી બાધાઓ રાખે છે. આ મંદિરે સાતમના રોજ એક હવન પણ કરવામાં આવે છે અને આજુ-બાજુનાં ગામડાઓ તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે.

આ મંદિરે ચૈત્ર વદ સાતમના દિવસે અને શ્રાવણ વદ સાતમના દિવસે મેળો ભરાય છે અને મેળામાં લાખો માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. ભક્તો પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે માતાજી પાસે પ્રાર્થના કરે છે.

શીતળા સાતમ હોવાથી મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરમાં સવારે 4 વાગ્યે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. દર્શનાર્થીઓએ પગપાળા, દંડવત અને ઠંડુ ખાવાના જેવી બાધાઓ રાખે છે. આ મંદિરે સાતમના રોજ એક હવન પણ કરવામાં આવે છે અને આજુ-બાજુનાં ગામડાઓ તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે.

SNR
DATE : 26/04/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે આજે હજારો ભક્તો આવ્યા 
         દર્શનાર્થે 
        
ચૈત્ર વદ-૭ (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલ શીતળામાતાનું મંદિર ૨૦૦ વર્ષ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. આજે વહેલી સવારથી લાંબી લાઇનો હતી. આ મંદિરે ચૈત્ર વદ સાતમ ના દિવસે અને શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે. જેમાં, લાખો માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરે સવારે ૪:૦૦ વાગ્યે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે જેવી કે, પગપાળા, દંડવત કરતું આવું. કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે. આ મંદિરે સાતમના રોજ એક હવન પણ કરવામાં આવે છે. આ મંદિરે આજુ-બાજુનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે.  

બાઇટ
(૧) બિપીનભાઇ (પુજારી) 

(2) કિરીટભાઇ દેસાઇ (દર્શનાર્થી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.