- કતારગામ દરવાજા પાસે આવેલો ફલાયઓવર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો
- મહાનગરપાલિકા દ્વારા ઉદ્ઘાટનની રાહ જોવામાં આવી રહી હતી
- વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા અને AAP કાર્યકર્તાઓ દ્વારા બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો
સુરત : કતારગામ દરવાજા પાસે આવેલો ફલાયઓવર બ્રિજ આજે શનિવારે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિતના કાર્યકર્તાઓ દ્વારા આ બ્રિજ લોકો માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. ઘણા સમયથી આજે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો હતો. પરંતુ આ બ્રિજનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવા માટે રાહ જોવામાં આવતી હતી. બ્રિજ નીચે લોકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ જોઈને આજે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી તેમના કાર્યકર્તાઓ સાથે બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : જામનગરમાં ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 207 વૃક્ષ કપાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા ઉદ્ઘાટનની રાહ જોવામાં આવી રહી હતી
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કતારગામ દરવાજા પાસે આવેલો ફલાયઓવર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો હતો. જોકે, ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉદ્ઘાટનની રાહ જોવામાં આવી રહી હતી. જોકે, ઘણા સમયથી બની ગયા પછી પણ હજી સુધી ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. આજ રોજ સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા અને તેમના આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા આજે આ બ્રિજને લોકો માટે ખુલ્લો દેવામાં આવ્યા છે. જોકે બંને બાજુથી બ્રિજને ખોલતા લોકોને પણ રાહત થઇ હતી.
![ફ્લાય ઓવર બ્રિજ AAP દ્વારા ખુલ્લો મુકાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-aamdmiparty-katargamflyowaerbrije-fire-gj10058_10042021162226_1004f_1618051946_1051.jpg)