ETV Bharat / state

2000 note ban effect: 2000ની નોટ બંધીથી હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે

author img

By

Published : May 21, 2023, 10:33 AM IST

Updated : May 24, 2023, 4:28 PM IST

2000ની નોટ એક ઓક્ટોબરથી ઇતિહાસ બની જશે તમામ વ્યવહારો 2000ના નોટથી થઈ શકશે નહીં. કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે સુરતના હીરા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ જણાવી રહ્યા છે કે, હીરા ઉદ્યોગમાં નાના-નાના વેપારીઓ જે પણ વેપાર કરે છે, તેમાં કેશ પેમેન્ટ વધારે વાપરે છે અને હાલ જે રીતે 2,000ના નોટને લઈ નિર્ણય આવ્યો છે. તેના કારણે ઉદ્યોગ પર આની અસર જોવા મળશે.

2000 note ban effect: 2000ની નોટ બંધીથી હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે
2000 note ban effect: 2000ની નોટ બંધીથી હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે
હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે

સૂરત : ઓકટોબરમાં રૂપિયા 2000ની નોટ ભૂતકાળ બની જશે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે કે જે હીરા નગરી તરીકે વિશ્વમાં જાણીતી છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માની રહ્યા છે કે સરકારના નિર્ણયને કારણે સુરતી હીરા ઉદ્યોગ પર માંડી અસર જોવા મળશે.

વિશ્વાસ પર ચાલનાર ઉદ્યોગ: હીરા ઉદ્યોગ વિશ્વાસ પર ચાલનાર ઉદ્યોગ છે. અહીં લાખો કરોડો રૂપિયાના હીરા લોકો વિશ્વાસ પર આપતા હોય છે પરંતુ પેમેન્ટની વાત કરવામાં આવે તો નાના થી નાના વેપારીઓ કેશ પેમેન્ટ કરે છે. હવે જો 2,000ની નોટના વ્યવહાર પર જે અસર પડી રહી છે તેનું સીધું અસર હીરા ઉદ્યોગમાં પણ આ જ કારણે જોવા મળશે. વેપારીઓ ને બેંકમાં 2,000ની નોટ જમા કરાવવામાં મુશ્કેલી થશે જેના કારણે ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાયા છે.

અર્થવ્યવસ્થા સુધારવા માટે નોટબંધીનો નિર્ણય: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પૂર્વ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે વર્ષ 2016 માં નોટબંધીના નિર્ણયના કારણે બજારમાં વપરાતા અફરા તફરી નો માહોલ જોવા મળ્યો હતો. જો કે સરકાર અર્થવ્યવસ્થા સુધારવા માટે નોટબંધીનો નિર્ણય લેતી હોય છે. જોકે આ વખતે સરકારે 2000 ની નોટ બંધ કરવા માટે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય પણ આપ્યો છે એના કારણે જે વર્ષ 2016 માં સ્થિતિ સર્જાઈ હતી તે જોવા મળશે નહીં.

2000ની નોટમાં કદાચ વેપાર ન પણ કરે: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 2016 માં જ્યારે નોટ બંધી થઈ ત્યારે ઉદ્યોગ પર વિપરીત સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે તેવી સ્થિતિ તો સર્જાશે નહીં પરંતુ સુરતના ખાસ જે હીરા બજાર અને મહિધરપુરા વિસ્તાર છે જ્યાં નાના વેપારીઓ રોકડમાં વેપાર કરતા હોય છે તેમને મુશ્કેલી થઈ શકે છે. વેપાર કરતી સમયે જ્યારે 2000 ની નોટ થી તેઓ વેપાર કરે ત્યારે આ સમસ્યા સર્જાશે હીરા વેચનાર 2000 ની નોટ માં કદાચ વેપાર ન પણ કરે.

  1. Patan Deadbody Case: પાઇપલાઇનમાંથી મળેલ મૃતદેહની હત્યા તો નથી થઈ, પોલીસે કર્યો ખુલાસો
  2. Dakor Crime: વિધર્મી યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પોલિસ કર્મીની પુત્રીનો આપઘાત
  3. રાજકોટમાં CBIની ટ્રેપ: EPFO ડેપ્યુટી રીજીયોનલ કમિશનરનો એજન્ટ ઝડપાયો

હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે

સૂરત : ઓકટોબરમાં રૂપિયા 2000ની નોટ ભૂતકાળ બની જશે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે તેના કારણે અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે કે જે હીરા નગરી તરીકે વિશ્વમાં જાણીતી છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માની રહ્યા છે કે સરકારના નિર્ણયને કારણે સુરતી હીરા ઉદ્યોગ પર માંડી અસર જોવા મળશે.

વિશ્વાસ પર ચાલનાર ઉદ્યોગ: હીરા ઉદ્યોગ વિશ્વાસ પર ચાલનાર ઉદ્યોગ છે. અહીં લાખો કરોડો રૂપિયાના હીરા લોકો વિશ્વાસ પર આપતા હોય છે પરંતુ પેમેન્ટની વાત કરવામાં આવે તો નાના થી નાના વેપારીઓ કેશ પેમેન્ટ કરે છે. હવે જો 2,000ની નોટના વ્યવહાર પર જે અસર પડી રહી છે તેનું સીધું અસર હીરા ઉદ્યોગમાં પણ આ જ કારણે જોવા મળશે. વેપારીઓ ને બેંકમાં 2,000ની નોટ જમા કરાવવામાં મુશ્કેલી થશે જેના કારણે ઉદ્યોગકારો પણ ચિંતામાં મુકાયા છે.

અર્થવ્યવસ્થા સુધારવા માટે નોટબંધીનો નિર્ણય: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પૂર્વ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશ નાવડીયા એ જણાવ્યું હતું કે વર્ષ 2016 માં નોટબંધીના નિર્ણયના કારણે બજારમાં વપરાતા અફરા તફરી નો માહોલ જોવા મળ્યો હતો. જો કે સરકાર અર્થવ્યવસ્થા સુધારવા માટે નોટબંધીનો નિર્ણય લેતી હોય છે. જોકે આ વખતે સરકારે 2000 ની નોટ બંધ કરવા માટે લોકોને 30 સપ્ટેમ્બર સુધીનો સમય પણ આપ્યો છે એના કારણે જે વર્ષ 2016 માં સ્થિતિ સર્જાઈ હતી તે જોવા મળશે નહીં.

2000ની નોટમાં કદાચ વેપાર ન પણ કરે: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 2016 માં જ્યારે નોટ બંધી થઈ ત્યારે ઉદ્યોગ પર વિપરીત સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે તેવી સ્થિતિ તો સર્જાશે નહીં પરંતુ સુરતના ખાસ જે હીરા બજાર અને મહિધરપુરા વિસ્તાર છે જ્યાં નાના વેપારીઓ રોકડમાં વેપાર કરતા હોય છે તેમને મુશ્કેલી થઈ શકે છે. વેપાર કરતી સમયે જ્યારે 2000 ની નોટ થી તેઓ વેપાર કરે ત્યારે આ સમસ્યા સર્જાશે હીરા વેચનાર 2000 ની નોટ માં કદાચ વેપાર ન પણ કરે.

  1. Patan Deadbody Case: પાઇપલાઇનમાંથી મળેલ મૃતદેહની હત્યા તો નથી થઈ, પોલીસે કર્યો ખુલાસો
  2. Dakor Crime: વિધર્મી યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પોલિસ કર્મીની પુત્રીનો આપઘાત
  3. રાજકોટમાં CBIની ટ્રેપ: EPFO ડેપ્યુટી રીજીયોનલ કમિશનરનો એજન્ટ ઝડપાયો
Last Updated : May 24, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.