ETV Bharat / state

'મહા' વાવાઝોડાને પગલે સુરત જિલ્લા તંત્ર થયું સજાગ

સુરત :'મહા' વાવાઝોડાની આગાહીના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્રએ અગોતરી સુરક્ષા તૈયારીઓ હાથ ધરી છે. જે અતંર્ગત જિલ્લા કલેકટરે  બેઠક યોજી હતી. જેમાં તેમણે સુરત ફાયર વિભાગ અને પાલિકાની ટીમને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપ્યા હતા અને NDRF અને SDRFની ટીમની પર  જરૂર પડે તો મદદ લેવા સહિતના નિર્ણય લીધા હતાં.

author img

By

Published : Nov 5, 2019, 11:30 AM IST

'મહા' વાવાઝોડાને પગલે સુરત જિલ્લા તંત્ર થયું સજાગ

'મહા' વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેમાં 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેથી રાહત અને બચાવ કામગીરીને પહોંચી વળવા સુરત ફાયર વિભાગની ટીમ સાધન સામગ્રી સાથે સજ્જ કરવામાં આવી રહી છે.

'મહા' વાવાઝોડાને પગલે સુરત જિલ્લા તંત્ર થયું સજાગ
હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, 'મહા વાવાઝોડું ગુજરાત તરફ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. હાલ વેરાવળથી 720 કિલો મીટર અને દીવથી 770 કિલો મીટર દૂર છે. તો પોરબંદરથી 670 કિલો મીટર દૂર છે. જેથી ગુજરાતના દરિયાઈ તટ વિસ્તારમાં તેની મહદઅંશે અસર જોવા તેવી શક્યતા છે.

ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થાય અથવા બિલ્ડીંગ કોલર જેવી ઘટનાઓ સામે પહોંચી વળવા માટે સુરત ફાયર વિભાગ ,પાલિકાની ટીમ, NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમજ આગાહીના પગલે ફાયર વિભાગના કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.

હાલ, સુરત ફાયર વિભાગના જવાનોને તમામ સાધનસામગ્રી સાથે સજ્જ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં આપત્તિના સમયે પહોંચી વળવા બે જેટલી બોટ તેમજ હાઇડ્રોલિક પાવર ટ્યુબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રની વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેેમાં 'મહા' વાવાઝોડાની આગાહીના પગલે આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

'મહા' વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેમાં 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેથી રાહત અને બચાવ કામગીરીને પહોંચી વળવા સુરત ફાયર વિભાગની ટીમ સાધન સામગ્રી સાથે સજ્જ કરવામાં આવી રહી છે.

'મહા' વાવાઝોડાને પગલે સુરત જિલ્લા તંત્ર થયું સજાગ
હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, 'મહા વાવાઝોડું ગુજરાત તરફ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. હાલ વેરાવળથી 720 કિલો મીટર અને દીવથી 770 કિલો મીટર દૂર છે. તો પોરબંદરથી 670 કિલો મીટર દૂર છે. જેથી ગુજરાતના દરિયાઈ તટ વિસ્તારમાં તેની મહદઅંશે અસર જોવા તેવી શક્યતા છે.

ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ત્યારે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થાય અથવા બિલ્ડીંગ કોલર જેવી ઘટનાઓ સામે પહોંચી વળવા માટે સુરત ફાયર વિભાગ ,પાલિકાની ટીમ, NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તેમજ આગાહીના પગલે ફાયર વિભાગના કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે.

હાલ, સુરત ફાયર વિભાગના જવાનોને તમામ સાધનસામગ્રી સાથે સજ્જ જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં આપત્તિના સમયે પહોંચી વળવા બે જેટલી બોટ તેમજ હાઇડ્રોલિક પાવર ટ્યુબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ અને સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રની વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેેમાં 'મહા' વાવાઝોડાની આગાહીના પગલે આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Intro:સુરત : મહા વાવાઝોડાની આગાહી ના પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર હાલ સજ્જ થઇ ચૂક્યું છે અને ખાસ કરીને સુરત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરત ફાયર વિભાગ અને  પાલિકાની ટીમને પણ સ્ટેન્ડ બાય  પર મૂકવામાં આવી છે.જે પ્રમાણે મહા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેને લઇ 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ સમયે  રેસ્ક્યુ કામગીરી અને આપતિ સામે પોહચી વળવા સુરત ફાયર વિભાગની ટિમ તમામ સાધન સામગ્રી સાથે સજ્જ જોવા મળી રહી છે.એટલું જ નહીં આગાહી ના પગલે ફાયર વિભાગના કર્મચારી અને અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.



Body:મહા નામનું વાવાઝોડું હાલ ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે.હાલ " મહા "વાવાઝોડું વેરાવળથી 720 કિલો મીટર દૂર છે.જ્યારે દિવથી 770 કિલો મીટર દૂર છે.તો બીજી તરફ પોરબંદર થી 670 કિલો મીટર દૂર છે.જે પ્રમાણે વાવાઝોડું ગુજરાત તરફ રિકર્વ ગતિ શરૂ કરી રહ્યું છે ત્યારે ગુજરાતના દરિયાઈ તટ વિસ્તારમાં તેની મહદ અંશે અસર જોવા મળશે...જેમાં ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારેથીઅતિભારે વરસાદ પડવાની આગાહી છે.ત્યારે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થાય અથવા તો બિલ્ડીંગ કોલર થાય તે વેળાએ પહોંચી વળવા પર સુરત ફાયર વિભાગ સહિત પાલિકાની ટીમને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને સુરત ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. સુરત ફાયર વિભાગના જવાનો તમામ સાધનસામગ્રી સાથે હાલ સજ્જ  જોવા મળી રહ્યા છે ..એટલું જ નહીં પરંતુ આપત્તિના સમયે પહોંચી વળવા બે જેટલી બોટ તેમજ હાઇડ્રોલિક પાવર ટ્યુબની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકા સુરત પોલીસ તેમજ સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રની એક મહત્વની બેઠક મળી હતી જે બેઠકમાં મહા વાવાઝોડાની આગાહી ના પગલે આપત્તિના સમયે બચાવ કામગીરી અને રાહત કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો... Conclusion:દરમિયાન મહા વાવાઝોડાની આગાહી ના પગલે સુરતમાં એનડીઆરએફ અને એસ ડી આર એફ ની ટીમને પણ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે....

બાઈટ : ઈશ્વર ભાઈ (ફાયર વિભાગ અધિકારી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.