ETV Bharat / state

Surat News: કોરોના દરમિયાન પરત આવેલા વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ માટે તક આપવામાં આવશે, આરોગ્ય પ્રધાનની જાહેરાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 8:59 AM IST

Updated : Sep 3, 2023, 10:35 AM IST

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખભાઈ માંડવીયા સુરતની મુલાકાતે હતા ત્યારે કેટલાક વાલીઓ તેમના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા અને માંગણી કરી હતી કે ગેજેટના પહેલાના જે વિદ્યાર્થીઓ છે તેમને રાહત આપવામાં આવે. તેમની આ મનસુખ માંડવીયાએ માની લીધી હતી.

students-studying-medicine-abroad-will-be-given-an-opportunity-for-internship-announced-the-health-ministermansukh-mandviya
students-studying-medicine-abroad-will-be-given-an-opportunity-for-internship-announced-the-health-ministermansukh-mandviya

આરોગ્ય પ્રધાનની જાહેરાત

સુરત: યુક્રેન, ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં ભણી રહેલા મેડીકલના છાત્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી આપવામાં આવશે. આ જ માંગને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.

તબીબો દ્વારા આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા આરોગ્ય પ્રધાન: સુરત શહેરના સરદાર ભવન ખાતે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ તબીબો સાથે વાત હાથ દરિયો હતો કેન્દ્રીય પ્રધાન દ્વારા તબીબોના અનેક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. વિદ્યાદીપ યુનિવર્સિટી અને લાઈફ મોલ્ડીંગ એકેડમી તેમજ સુરતના તબીબો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તબીબો સિવાય ઘણા મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર હતા. 2021 માં સરકાર દ્વારા ગેજેટ બહાર પાડવામાં આવ્યો હતો અને નિયમમાં પ્રમાણે વર્ષ 2019 થી લઈ 2021 વચ્ચે જે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ મેડિકલ અભ્યાસ માટે ગયા હતા તેમને પરીક્ષાઓમાં બેસવા નહીં દેવા અંગે નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓને વાલીઓ આ નિર્ણયના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી સરકારને રજૂઆત કરી રહ્યા છે ગુજરાતમાં આશરે 3000 જેટલા આવા વિદ્યાર્થીઓ છે વાલીઓની માંગ હતી કે ગેજેટમાં એક વખત તમામ વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવે.

ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી: વાલીઓએ હાથમાં અરજી લઈ મનસુખ માંડવીયા સામે રજૂઆત કરવા લાગ્યા હતા. મનસુખ માંડવીયાએ તેમની વાત માની જણાવ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેન કે અન્ય દેશોની અંદર પણ ભણવા ગયા હતા અને કોવિડ દરમિયાન વિદ્યાર્થીઓને ભારત પરત આવવું પડ્યું હતું તેને ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી આપવામાં આવશે. આ ઉપરાંત એફએમજી એક્ઝામની અંદર બેસવા દેવામાં આવશે.

'મેડિકલના છાત્રો આવનાર દિવસોમાં અન્ય દેશોમાં સેવા કરી શકે ત્યારે તેમની માંગણી હશે તો તેમના ભણતરમાં એક વિદેશી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવશે. હાલ અનેક નર્સિંગ કોલેજમાં પાંચ જેટલી વિદેશી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ દેશના વિદ્યાર્થીઓને વિદેશ જઈ મેડિકલનું ભણતર ન કરવું પડે આ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સીટો વધારવામાં આવશે.' -મનસુખ માંડવીયા, આરોગ્ય પ્રધાન

  1. Jamnagar News: જામનગરમાં રણમલ તળાવ પાસે સંયુક્ત મોરચાના કર્મચારીઓએ રામ ધુન બોલાવી કર્યો વિરોધ
  2. Gujarat Vibrant Summit News: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કોબાથી ચ-0 સુધીના હાઈવેનું નવિનીકરણ શરૂ કરાયું

આરોગ્ય પ્રધાનની જાહેરાત

સુરત: યુક્રેન, ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાં ભણી રહેલા મેડીકલના છાત્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી આપવામાં આવશે. આ જ માંગને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ કાર્યક્રમમાં પહોંચી ગયા હતા.

તબીબો દ્વારા આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા આરોગ્ય પ્રધાન: સુરત શહેરના સરદાર ભવન ખાતે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ તબીબો સાથે વાત હાથ દરિયો હતો કેન્દ્રીય પ્રધાન દ્વારા તબીબોના અનેક પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. વિદ્યાદીપ યુનિવર્સિટી અને લાઈફ મોલ્ડીંગ એકેડમી તેમજ સુરતના તબીબો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં તબીબો સિવાય ઘણા મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ પણ હાજર હતા. 2021 માં સરકાર દ્વારા ગેજેટ બહાર પાડવામાં આવ્યો હતો અને નિયમમાં પ્રમાણે વર્ષ 2019 થી લઈ 2021 વચ્ચે જે વિદ્યાર્થીઓ ફિલિપાઇન્સ મેડિકલ અભ્યાસ માટે ગયા હતા તેમને પરીક્ષાઓમાં બેસવા નહીં દેવા અંગે નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓને વાલીઓ આ નિર્ણયના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી સરકારને રજૂઆત કરી રહ્યા છે ગુજરાતમાં આશરે 3000 જેટલા આવા વિદ્યાર્થીઓ છે વાલીઓની માંગ હતી કે ગેજેટમાં એક વખત તમામ વિદ્યાર્થીઓને છૂટ આપવામાં આવે.

ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી: વાલીઓએ હાથમાં અરજી લઈ મનસુખ માંડવીયા સામે રજૂઆત કરવા લાગ્યા હતા. મનસુખ માંડવીયાએ તેમની વાત માની જણાવ્યું હતું કે, કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેન કે અન્ય દેશોની અંદર પણ ભણવા ગયા હતા અને કોવિડ દરમિયાન વિદ્યાર્થીઓને ભારત પરત આવવું પડ્યું હતું તેને ઇન્ટર્નશીપ કરવા માટેની એપોર્ચ્યુનિટી આપવામાં આવશે. આ ઉપરાંત એફએમજી એક્ઝામની અંદર બેસવા દેવામાં આવશે.

'મેડિકલના છાત્રો આવનાર દિવસોમાં અન્ય દેશોમાં સેવા કરી શકે ત્યારે તેમની માંગણી હશે તો તેમના ભણતરમાં એક વિદેશી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવશે. હાલ અનેક નર્સિંગ કોલેજમાં પાંચ જેટલી વિદેશી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ દેશના વિદ્યાર્થીઓને વિદેશ જઈ મેડિકલનું ભણતર ન કરવું પડે આ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સીટો વધારવામાં આવશે.' -મનસુખ માંડવીયા, આરોગ્ય પ્રધાન

  1. Jamnagar News: જામનગરમાં રણમલ તળાવ પાસે સંયુક્ત મોરચાના કર્મચારીઓએ રામ ધુન બોલાવી કર્યો વિરોધ
  2. Gujarat Vibrant Summit News: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કોબાથી ચ-0 સુધીના હાઈવેનું નવિનીકરણ શરૂ કરાયું
Last Updated : Sep 3, 2023, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.