ETV Bharat / state

સુરતમાં સ્કૂલવાન તથા રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ

author img

By

Published : Jul 1, 2019, 6:53 PM IST

સુરત : વનિતા વિશ્રામ શાળાના વાલીઓનો વિરોધ યથાવત છે. સ્કૂલવાન અને રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ ફેલાયો હતો.વનિતા વિશ્રામ પાસે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે વાલીઓ પર રીક્ષા ચાલકો દ્વારા રીક્ષા ચડાવી દેવાનો પ્રયાસ પણ કરવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. જે બાદ વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

સ્કૂલવાન તથા રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ

વનિતા વિશ્રામ શાળામાં થોડા દિવસો પહેલાં ફી વધારાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્કૂલવાન અને રિક્ષાચાલકોએ પણ ભાડામાં વધારો કર્યો હતો. જેથી વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ સ્કૂલ બંધ રાખવાનું વાલીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેથી મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે એકત્ર થયા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસથી અળગા રાખવા અપીલ કરી હતી.

સ્કૂલવાન તથા રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ

પોલીસ સામે આ ઘટના બની હોવા છતા કોઇ પણ કાર્યવાહી ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. જોકે, ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. પરંતુ વાલીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

વનિતા વિશ્રામ શાળામાં થોડા દિવસો પહેલાં ફી વધારાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્કૂલવાન અને રિક્ષાચાલકોએ પણ ભાડામાં વધારો કર્યો હતો. જેથી વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ સ્કૂલ બંધ રાખવાનું વાલીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેથી મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે એકત્ર થયા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસથી અળગા રાખવા અપીલ કરી હતી.

સ્કૂલવાન તથા રિક્ષાચાલકો દ્વારા ભાડામાં વધારો કરતા વાલીઓમાં રોષ

પોલીસ સામે આ ઘટના બની હોવા છતા કોઇ પણ કાર્યવાહી ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. જોકે, ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો. પરંતુ વાલીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

Intro:સુરત : વનિતા વિશ્રામ શાળાના વાલીઓનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે સ્કુલવાન અને રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કરી દેવાતા વાલીઓ રોષે ભરાયા છે આજે વનિતા વિશ્રામ સ્થિત વિરોધ કરી રહેલા વાલીઓ પર રીક્ષા ચાલકે રીક્ષા ચડાવી દેવાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ પણ કરાયો છે તો બીજી તરફ વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી  

Body:અઠવાલાઈન્સ સાથે આવેલી વનિતા વિશ્રામ શાળામાં થોડા દિવસો પહેલાં ફી વધારાને લઈને વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ પણ ભાડામાં વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી આજે સ્કૂલ બંધ રાખવાનું વાલીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. અને આજે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓને અભ્યાસથી અળગા રાખવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન એક રિક્ષાને રોકવા જતા વાલી પર રિક્ષા ચડાવી દેવાના પ્રયાસનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. Conclusion:પોલીસની જનરે સામે આ ઘટના બની હોવા છતા કંઈ કાર્યવાહી ન કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ સર્જાયું હતું. જોકે, ત્યારબાદ મામલો થાળે પડી ગયો હતો. પરંતુ વાલીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.