ETV Bharat / state

સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેર સુધી નોન સ્ટોપ ફ્લાઇટ સેવા શરૂ

author img

By

Published : Dec 21, 2020, 2:07 PM IST

Updated : Dec 21, 2020, 4:23 PM IST

ઉડ્ડયન પાંખ સ્ટાર એરે અમદાવાદમાં સફળ કામગીરી પછી હવે ગુજરાતના વધુ એક શહેરમાં તેની સેવાઓ શરૂ કરીને તેની પાંખોને વધુ ફેલાવી છે. કંપનીએ 21મી ડિસેમ્બર, 2020થી ભારતની સિલ્ક સિટી, એટલે કે, સુરતમાં તેની કામગીરી શરૂ કરી છે.

સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેર સુધી નોન-ફ્લાઇટ સેવા શરૂ
સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેર સુધી નોન-ફ્લાઇટ સેવા શરૂ
  • સ્ટાર એર દ્વારા નવી સેવાઓ શરૂ
  • સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેરની નવી ફ્લાઇટ શરૂ
  • સ્ટાર એર હવે 10 મુખ્ય ભારતીય શહેરોમાં પ્રવાસીઓને સેવા આપે છે

સુરત: ઉડ્ડયન પાંખ સ્ટાર એરે અમદાવાદમાં સફળ કામગીરી પછી હવે ગુજરાતના વધુ એક શહેરમાં તેની સેવાઓ શરૂ કરીને તેની પાંખોને વધુ ફેલાવી છે. કંપનીએ 21મી ડિસેમ્બર, 2020થી ભારતની સિલ્ક સિટી, એટલે કે, સુરતમાં તેની કામગીરી શરૂ કરી છે.

બેલાગાવી- સુરત અને સુરત- અજમેર (કિશનગઢ) સેવા શરૂ

કંપનીએ લોકપ્રિય આરસીએસ- ઉડાન યોજના હેઠળ સુરતથી બેલાગાવી (કર્ણાટક) અને અજમેર (રાજસ્થાન) સુધી નોન- સ્ટોપ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા અનોખી છે. કારણ કે, હજારો પ્રવાસીઓને અગાઉ કરતાં પણ વધુ આરામદાયક રીતે બેલાગાવી- સુરત અને સુરત- અજમેર (કિશનગઢ) વચ્ચે સુવિધાજનક અને કિફાયતી રીતે પ્રવાસમાં મદદરૂપ થશે અને તેમનો પ્રવાસ વધુ સરળ બનાવવામાં મદદરૂપ થશે. બંને સેવાઓ ઐતિહાસિક છે, કારણ કે, હાલમાં કોઈ પણ એરલાઈન્સ સુરત- અજમેર (કિશનગઢ) અને સુરત- બેલાગાવી વચ્ચે નોન- સ્ટોપ સેવા આપતી નથી.

સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે

કંપની વાયા અમદાવાદ અને ઈન્દોર, બેલાગાવીથી અજમેર (કિશનગઢ) સેવાઓ ચલાવી રહી છે. સ્ટાર એર બેલાગાવી અને અજમેર (કિશનગઢ)ને જોડનારું સુરત ત્રીજું શહેર છે. નિષ્ણાંતો કહે છે કે, આ નવી સેવા સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે.

Star AIR
સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેર સુધી નોન-ફ્લાઇટ સેવા શરૂ
જાન્યુઆરી 2019માં આરંભથી કંપની જોડાયા નહીં હોય તે શહેરોને જોડવા ભાર
બંને સેવા સ્થાનિક લોકો માટે લાભદાયી સિદ્ધ થશે. કારણ કે, સુરત- બેલાગાવી અને સુરત- અજમેર (કિશનગઢ) વચ્ચે પ્રવાસનો સમય ઓછો થઈને 1 કલાક અને 20 મિનિટનો થશે અને જેને કારણે આ શહેરો વચ્ચે વારંવાર પ્રવાસ કરનારા સેંકડો લોકોને રાહત થશે, એમ સંજય ઘોડાવત ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રેણિક ઘોડાવતે જણાવ્યું હતું. જાન્યુઆરી 2019માં આરંભથી કંપની જોડાયા નહીં હોય તે શહેરોને જોડવા ભાર આપી રહી છે અને તેમના સ્થળની નજીક આરામદાયક અને સસ્તા દરની ફ્લાઈટ સેવાઓ આપવા માટે લોકપ્રિય છે. આ સેવાની શરૂઆત કરવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ જોડાયા હતા.

Star AIR
સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેર સુધી નોન-ફ્લાઇટ સેવા શરૂ
સ્ટાર એર હવે 10 મુખ્ય ભારતીય શહેરોમાં પ્રવાસીઓને સેવા આપે છે
સુરતમાં કામગીરી શરૂ કર્યા પછી સ્ટાર એર હવે 10 મુખ્ય ભારતીય શહેરોમાં પ્રવાસીઓને સેવા આપે છે. જેમાં અમદાવાદ, અજમેર (કિશનગઢ), બેલાગાવી, બેંગ્લુરૂ, દિલ્હી (હિંદન), કલાબુર્ગી, ઈન્દોર, મુંબઈ, સુરત અને હુબલીનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ જોધપુર (રાજસ્થાન) અને નાશિકમાં (મહારાષ્ટ્ર) પણ કામગીરી શરૂ કરવાની યોજના છે.

  • સ્ટાર એર દ્વારા નવી સેવાઓ શરૂ
  • સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેરની નવી ફ્લાઇટ શરૂ
  • સ્ટાર એર હવે 10 મુખ્ય ભારતીય શહેરોમાં પ્રવાસીઓને સેવા આપે છે

સુરત: ઉડ્ડયન પાંખ સ્ટાર એરે અમદાવાદમાં સફળ કામગીરી પછી હવે ગુજરાતના વધુ એક શહેરમાં તેની સેવાઓ શરૂ કરીને તેની પાંખોને વધુ ફેલાવી છે. કંપનીએ 21મી ડિસેમ્બર, 2020થી ભારતની સિલ્ક સિટી, એટલે કે, સુરતમાં તેની કામગીરી શરૂ કરી છે.

બેલાગાવી- સુરત અને સુરત- અજમેર (કિશનગઢ) સેવા શરૂ

કંપનીએ લોકપ્રિય આરસીએસ- ઉડાન યોજના હેઠળ સુરતથી બેલાગાવી (કર્ણાટક) અને અજમેર (રાજસ્થાન) સુધી નોન- સ્ટોપ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા અનોખી છે. કારણ કે, હજારો પ્રવાસીઓને અગાઉ કરતાં પણ વધુ આરામદાયક રીતે બેલાગાવી- સુરત અને સુરત- અજમેર (કિશનગઢ) વચ્ચે સુવિધાજનક અને કિફાયતી રીતે પ્રવાસમાં મદદરૂપ થશે અને તેમનો પ્રવાસ વધુ સરળ બનાવવામાં મદદરૂપ થશે. બંને સેવાઓ ઐતિહાસિક છે, કારણ કે, હાલમાં કોઈ પણ એરલાઈન્સ સુરત- અજમેર (કિશનગઢ) અને સુરત- બેલાગાવી વચ્ચે નોન- સ્ટોપ સેવા આપતી નથી.

સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે

કંપની વાયા અમદાવાદ અને ઈન્દોર, બેલાગાવીથી અજમેર (કિશનગઢ) સેવાઓ ચલાવી રહી છે. સ્ટાર એર બેલાગાવી અને અજમેર (કિશનગઢ)ને જોડનારું સુરત ત્રીજું શહેર છે. નિષ્ણાંતો કહે છે કે, આ નવી સેવા સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે.

Star AIR
સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેર સુધી નોન-ફ્લાઇટ સેવા શરૂ
જાન્યુઆરી 2019માં આરંભથી કંપની જોડાયા નહીં હોય તે શહેરોને જોડવા ભાર
બંને સેવા સ્થાનિક લોકો માટે લાભદાયી સિદ્ધ થશે. કારણ કે, સુરત- બેલાગાવી અને સુરત- અજમેર (કિશનગઢ) વચ્ચે પ્રવાસનો સમય ઓછો થઈને 1 કલાક અને 20 મિનિટનો થશે અને જેને કારણે આ શહેરો વચ્ચે વારંવાર પ્રવાસ કરનારા સેંકડો લોકોને રાહત થશે, એમ સંજય ઘોડાવત ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રેણિક ઘોડાવતે જણાવ્યું હતું. જાન્યુઆરી 2019માં આરંભથી કંપની જોડાયા નહીં હોય તે શહેરોને જોડવા ભાર આપી રહી છે અને તેમના સ્થળની નજીક આરામદાયક અને સસ્તા દરની ફ્લાઈટ સેવાઓ આપવા માટે લોકપ્રિય છે. આ સેવાની શરૂઆત કરવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ જોડાયા હતા.

Star AIR
સ્ટાર એર દ્વારા સુરતથી બેલગાવી અને અજમેર સુધી નોન-ફ્લાઇટ સેવા શરૂ
સ્ટાર એર હવે 10 મુખ્ય ભારતીય શહેરોમાં પ્રવાસીઓને સેવા આપે છે
સુરતમાં કામગીરી શરૂ કર્યા પછી સ્ટાર એર હવે 10 મુખ્ય ભારતીય શહેરોમાં પ્રવાસીઓને સેવા આપે છે. જેમાં અમદાવાદ, અજમેર (કિશનગઢ), બેલાગાવી, બેંગ્લુરૂ, દિલ્હી (હિંદન), કલાબુર્ગી, ઈન્દોર, મુંબઈ, સુરત અને હુબલીનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ જોધપુર (રાજસ્થાન) અને નાશિકમાં (મહારાષ્ટ્ર) પણ કામગીરી શરૂ કરવાની યોજના છે.
Last Updated : Dec 21, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.