સુરત: ભારતમાં રવિવારના દિવસે જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે. અનેક પરિવારમાં સુખદ અને દુઃખદ પ્રસંગો બન્યા છે, ત્યારે અડાજણમાં રહેતા પેરિસ પરિવારે મોભીના અવસાન નિમિતે બેસણાનું આયોજન જનતા કરફ્યૂ અને કોરોનાના કારણે રદ કર્યુ છે. ત્યાં જ સગા-સંબંધીઓને ટેલિફોનિક બેસણા દ્વારા શોક- સંદેશ પાઠવવાનું કહેવામાં આવ્યું છે.
જનતા કરફ્યૂ ઈફેક્ટ : સુરતમાં પરિવારે ટેલિફોનિક બેસણું રાખ્યું
સુરતમાં જનતા કરફ્યૂને ધ્યાનમાં રાખીને અડાજણના પેરિસ પરિવારે મોભીના અવસાનનું બેસણું રદ કર્યુ હતું. આ સાથે જ સંબંધીઓને ઓનલાઈન જાણકારી આપીને કોરોના વાઈરસથી સતર્ક રહેવા જણાવ્યું હતું.
surat
સુરત: ભારતમાં રવિવારના દિવસે જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લોકો પોતાનો સહયોગ આપી રહ્યા છે. અનેક પરિવારમાં સુખદ અને દુઃખદ પ્રસંગો બન્યા છે, ત્યારે અડાજણમાં રહેતા પેરિસ પરિવારે મોભીના અવસાન નિમિતે બેસણાનું આયોજન જનતા કરફ્યૂ અને કોરોનાના કારણે રદ કર્યુ છે. ત્યાં જ સગા-સંબંધીઓને ટેલિફોનિક બેસણા દ્વારા શોક- સંદેશ પાઠવવાનું કહેવામાં આવ્યું છે.