ETV Bharat / state

22 માર્ચના રોજ ટ્રેન સેવા સદંતર બંધ રહેશે - કોરોના વાયરસ સલામતી

ભારતમાં વધી રહેલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર જનતાને કરવામાં આવેલી જનતા કરફ્યૂની અપીલના પગલે રેલવે વિભાગ દ્વારા 22 માર્ચના રોજ ટ્રેન સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવાર રાત્રીના 12 વાગ્યાથી ટ્રેન સેવા સદંતર બંધ કરી દેવામાં આવશે. જે ટ્રેન સેવા 22 માર્ચના રાત્રીના દસ વાગ્યા સુધી બંધ રહેશે.

સુરત
સુરત
author img

By

Published : Mar 21, 2020, 4:43 PM IST

સુરત: ચીનથી શરૂ થયેલી કોરોનાની મહામારી ભારતમાં વધી રહી છે. કોરોના વાઇરસની મહામારીના પગલે રેલવે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ 22 માર્ચના રોજ ટ્રેન સેવા સદંતર બંધ રાખવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનમાં પ્રતિદિવસ આશરે 2થી 2.5 લાખ જેટલા મુસાફરોનો ધસારો રહે છે. ત્યારે એક દિવસ માટે ટ્રેન સેવા બંધ રહેવાના કારણે અઢી લાખ જેટલા મુસાફરો પર તેની અસર રહેશે.

22 મી માર્ચના રોજ ટ્રેન સેવા સદંતર બંધ રહેશે

સુરતથી પ્રતિ દિવસ 300 જેટલી ટ્રેનો અપ અને ડાઉન કરે છે, ત્યારે રેલવે વિભાગ દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, 22 માર્ચના રોજ રાત્રીના 10 વાગ્યા બાદ ફરી ટ્રેન સેવા રાબેતા મુજબ થઈ જશે.

સુરત: ચીનથી શરૂ થયેલી કોરોનાની મહામારી ભારતમાં વધી રહી છે. કોરોના વાઇરસની મહામારીના પગલે રેલવે મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ 22 માર્ચના રોજ ટ્રેન સેવા સદંતર બંધ રાખવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનમાં પ્રતિદિવસ આશરે 2થી 2.5 લાખ જેટલા મુસાફરોનો ધસારો રહે છે. ત્યારે એક દિવસ માટે ટ્રેન સેવા બંધ રહેવાના કારણે અઢી લાખ જેટલા મુસાફરો પર તેની અસર રહેશે.

22 મી માર્ચના રોજ ટ્રેન સેવા સદંતર બંધ રહેશે

સુરતથી પ્રતિ દિવસ 300 જેટલી ટ્રેનો અપ અને ડાઉન કરે છે, ત્યારે રેલવે વિભાગ દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, 22 માર્ચના રોજ રાત્રીના 10 વાગ્યા બાદ ફરી ટ્રેન સેવા રાબેતા મુજબ થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.