ETV Bharat / state

બારડોલીના માંગરોલિયામાં વૃદ્ધાનું ઘર તૂટી પડ્યું - ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુક્સાન પહોંચાડ્યું

ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ભારે નુક્સાન પહોંચાડ્યું છે. ત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ પૈકી સુરતના બારડોલી તાલુકામાં આવેલા માંગરોલિયા ગામે રહેતા એક વૃદ્ધાના મકાનના નળિયા વાવાઝોડાના કારણે ફૂંકાયેલા પવનથી ઉડી ગયા હતા. ઘરવિહોણા બનેલા વૃદ્ધાની તંત્ર દ્વારા મદદ કરવામાં આવી હતી.

બારડોલીના માંગરોલિયામાં વૃદ્ધાનું ઘર તૂટી પડ્યું
બારડોલીના માંગરોલિયામાં વૃદ્ધાનું ઘર તૂટી પડ્યું
author img

By

Published : May 19, 2021, 3:58 AM IST

  • તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં બારડોલી પણ સમાવિષ્ટ
  • વાવાઝોડામાં વિધવા મહિલાના ઘરના નળિયા ઉડી જતા ઘરવિહોણા બન્યા
  • તંત્ર દ્વારા તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માંગરોલિયા ગામના રેલવે ફળિયામાં રહેતી એક આદિવાસી વિધવા મહિલાના કાચા મકાનની છતના નળિયા ભારે પવનમાં ઊડી ગયા હતા અને મકાન ધરાશયી થઈ ગયું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી

રેલવે ફળિયાના હળપતિ વાસમાં રહેતા બબલીબેન રાઠોડ નામની વિધવા મહિલાનું કાચું મકાન તૌકતે વાવાઝોડાની અસરને લઈ ધરાશયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ગ્રામ પંચાયત દ્વારા હાલ આ મહિલાને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મહિલાનું મકાન તૂટી પડવા અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતમાં લેખિત જાણ કરવામાં આવી છે.

  • તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં બારડોલી પણ સમાવિષ્ટ
  • વાવાઝોડામાં વિધવા મહિલાના ઘરના નળિયા ઉડી જતા ઘરવિહોણા બન્યા
  • તંત્ર દ્વારા તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માંગરોલિયા ગામના રેલવે ફળિયામાં રહેતી એક આદિવાસી વિધવા મહિલાના કાચા મકાનની છતના નળિયા ભારે પવનમાં ઊડી ગયા હતા અને મકાન ધરાશયી થઈ ગયું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી

રેલવે ફળિયાના હળપતિ વાસમાં રહેતા બબલીબેન રાઠોડ નામની વિધવા મહિલાનું કાચું મકાન તૌકતે વાવાઝોડાની અસરને લઈ ધરાશયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ગ્રામ પંચાયત દ્વારા હાલ આ મહિલાને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મહિલાનું મકાન તૂટી પડવા અંગે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતમાં લેખિત જાણ કરવામાં આવી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.