સુરત: રાત-દિવસ કામગીરી કરી શહેરની તમામ સરકારી રાશનની દુકાનોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકડાઉનના સમયે લોકોને રાશનની અછત ન સર્જાય.
![Free grain distribution to APL-1 card holders in Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-apl-7200931_13042020122351_1304f_1586760831_129.jpg)
APL-1 રાશનકાર્ડ ધારકોને 13થી 17 એપ્રિલ દરમિયાન લોકોને રાશનનું વિતરણ કરવામાં આવશે. આ માટે સુરત શહેર અને જિલ્લાના દરેક રાશનની દુકાનોમાં તલાટી અને પોલીસના સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
![Free grain distribution to APL-1 card holders in Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-apl-7200931_13042020122351_1304f_1586760831_650.jpg)
સમગ્ર ગુજરાતમાં પાત્રતા અને અગ્રતા ધરાવતા APL-1 રાશનકાર્ડ ધારકોને વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. જે બાદ વિવિધ જિલ્લામાં મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
![Free grain distribution to APL-1 card holders in Surat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-apl-7200931_13042020122351_1304f_1586760831_581.jpg)