ETV Bharat / state

બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત

author img

By

Published : May 16, 2021, 8:33 PM IST

બારડોલી સહિત સમગ્ર જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રવિવારે બપોર બાદ કાળા વાદળો અને ઝડપી પવન સાથે વરસાદ વરસ્યો હતો. બારડોલી ઉપરાંત જિલ્લાના પલસાણા, મહુવા અને કામરેજ તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ હતી.

બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત
બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત
  • જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો
  • ઝડપી પવન સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતિત
  • બારડોલી, કામરેજ, પલસાણા અને મહુવામાં છૂટોછવાયો વરસાદ

બારડોલી: અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે, 18મીના રોજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાવવાની સંભાવના છે. જેની અસર આજે રવિવારથી જ શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત પર તોળાતા વાવાઝોડા 'તૌકતે'ના જોખમને અનુલક્ષીને તંત્ર સજ્જ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

ધૂળની ડમરી ઉડવા લાગતા રસ્તા પર લોકોની દોડધામ

સુરત જિલ્લાના બારડોલી ઉપરાંત પલસાણા, મહુવા અને કામરેજ તાલુકામાં રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો છવાય જવાની સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડવા લાગી હતી. જેના કારણે રસ્તાઓ પર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઉપરાંત, પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. દસેક મિનિટ વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી.

કેરી અને ડાંગરના પાકને નુકસાનની આશંકા

ખાસ કરીને કેરી અને ઉનાળુ ડાંગરના પાકમાં નુકસાનની આશંકા સેવાઇ રહી છે. હાલ કેરીની સિઝન હોવાથી વરસાદથી કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. તો બીજી તરફ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોએ કાપણી શરૂ કરી છે. આથી ડાંગરનો પણ બગાડ થઈ શકે છે. આ ઉપરાંત, પવનને કારણે શેરડી અને કેળના પાક ઢળી પડવાથી નુકસાન થવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત
બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા બાબતે રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ જુઓ અમારો આ અહેવાલ

17 અને 18 મેના રોજ પણ થશે વરસાદ

હજી 17 અને 18 મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આથી, ખેડૂતોએ સાવચેતી રાખે તે જરૂરી બની ગયુ છે.

  • જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો
  • ઝડપી પવન સાથે વરસાદ થતા ખેડૂતો ચિંતિત
  • બારડોલી, કામરેજ, પલસાણા અને મહુવામાં છૂટોછવાયો વરસાદ

બારડોલી: અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે, 18મીના રોજ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાવવાની સંભાવના છે. જેની અસર આજે રવિવારથી જ શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત પર તોળાતા વાવાઝોડા 'તૌકતે'ના જોખમને અનુલક્ષીને તંત્ર સજ્જ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

ધૂળની ડમરી ઉડવા લાગતા રસ્તા પર લોકોની દોડધામ

સુરત જિલ્લાના બારડોલી ઉપરાંત પલસાણા, મહુવા અને કામરેજ તાલુકામાં રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો છવાય જવાની સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડવા લાગી હતી. જેના કારણે રસ્તાઓ પર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઉપરાંત, પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. દસેક મિનિટ વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી.

કેરી અને ડાંગરના પાકને નુકસાનની આશંકા

ખાસ કરીને કેરી અને ઉનાળુ ડાંગરના પાકમાં નુકસાનની આશંકા સેવાઇ રહી છે. હાલ કેરીની સિઝન હોવાથી વરસાદથી કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. તો બીજી તરફ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોએ કાપણી શરૂ કરી છે. આથી ડાંગરનો પણ બગાડ થઈ શકે છે. આ ઉપરાંત, પવનને કારણે શેરડી અને કેળના પાક ઢળી પડવાથી નુકસાન થવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.

બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત
બારડોલી સહિત જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર, ખેડૂતો બન્યા ચિંતિત

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા બાબતે રાજ્ય સરકારની કેવી છે તૈયારીઓ જુઓ અમારો આ અહેવાલ

17 અને 18 મેના રોજ પણ થશે વરસાદ

હજી 17 અને 18 મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આથી, ખેડૂતોએ સાવચેતી રાખે તે જરૂરી બની ગયુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.