રેલવે પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક સુનિલ નામનો ઈસમ અને ભંગારનું સામાન ઉઘરાવતો હોવાનું બહાર આવ્યું હતું.
સુનિલને ધર્મા ઉર્ફે ધનસિંગ જાતે ભીલની પત્ની સાથે આડા સંબંધ હોવાનું વહેમ હતો અને એ અદાવત રાખીને ધર્માએ સુનિલ સાથે ઝગડો કરી રેલવેની હદમાં સુગર કોલોની નજીક ભંગારની દુકાન પાસે હત્યા કરી હતી. સુનિલને માથાના ભાગે 20 કિલોનું વજન કાટલુ મારી હત્યા કરાઈ હતી. સમગ્ર ઘટના બાબતે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.