આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે, સુરત જિલ્લામાં હાર્ટ માટેની એક માત્ર કૅથ લેબ પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સંજીવની હોસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. હંમેશા લોકો માટે સેવાકીય કાર્યો કરતી સંજીવની ટ્રષ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલના ટ્રષ્ટિઓ દ્વારા જિલ્લાની સામાન્ય જનતા માટે હાર્ટને લગતી કૅથ લેબ 3.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે લેબનું લોકાર્પણ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.
જરૂરિયાત મંદ દર્દીઓને મેડિકલ સહાય પુરી પાડતી સંજીવની હોસ્પિટલે કૅથ લેબ તો તૈયાર કરી જ છે. સાથે સાથે આગામી સમયમાં સરકારની 'માઁ અમૃતમ યોજના' નો લાભ પણ ગરીબ દર્દીઓને સંજીવની હોસ્પિટલમાં મેળવી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.