- ટુકડો ત્યાં હરિ ઢુકડો કહેવતને સાર્થક કરતા શિક્ષક દંપતી
- 23 વર્ષ અગાઉ શરૂ થયેલા આ સેવાકાર્ય હોસ્પિટલોને પહોંચાડે છે ભોજન
- સંસ્થાએ અત્યાર સુધી 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને ભોજન પહોંચાડ્યું
સુરત: શહેરના કિમ વિસ્તારમાં એક દંપતી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. આ દંપતી છેલ્લા 23 વર્ષથી વિસ્તારમાં કોઈ માણસ ભૂખ્યો ન સુવે તેની ચિંતા કરી શિક્ષક દંપતીએ એક સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. આ સેવાયજ્ઞની શરૂઆત તેઓએ પોતાના ઘરેથી કરી હતી. તેઓ પોતાના ઘરે રાંધેલો ખોરાક વધ્યો હોય એ કિમ રેલવે સ્ટેશન પર જઈને ભુખ્યાઓની જમાડતા હતા. આમ, થોડો સમય જતાં ધીમે ધીમે આ સેવાયજ્ઞમાં ગામલોકો જોડાતા ગયા અને લોકો આ સંસ્થાને મદદ કરતા ગયા. ત્યારે, 23 વર્ષ પહેલાં શરૂ કરેલો સેવા યજ્ઞ આજે માત્ર કિમ રેલવે સ્ટેશન પર જ નહીં પણ હોસ્પિટલો સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચો: સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી
સંસ્થાએ 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને જમવાનું પહોંચાડ્યું
આ દંપતી અને અન્ય લોકો દ્વારા કિમની તમામ હોસ્પિટલોમા દાખલ દર્દીઓને તેમજ દર્દીના પરિવારજનો સવાર સાંજ નિઃશુક ભોજન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ સંસ્થાએ 5 લાખ 50 હજારથી વધુ દર્દીઓને જમવાનું પહોંચાડ્યું છે. આથી, આ શિક્ષક દંપતીના કાર્યને હાલ સૌ કોઈ આવકારી રહ્યા છે.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં 24 કલાકમાં 1,350 લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું
દંપતીએ પોતાના ઘરેથી જ આ કાર્યની શરૂઆત કરી
શિક્ષક દંપતીએ ભુખ્યાઓને જમવાનું આપવાનું નક્કી કરી પોતાના ઘરેથી જ આ કાર્યની શરૂઆત કરી હતી. તેઓ પોતાના ઘરેથી જ જમવાનું બનાવી ભુખ્યાઓને પીરસી રહ્યા હતા. ત્યારે, હાલ ગામલોકોના તેમજ દાતાઓના સાથ સહકાર થતી આજે 1.25 કરોડના સુવિધાયુક્ત સંસ્થાના મકાનમાં કાર્યરત થઈ આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોની માતાની જેમ સાબિત થઈ રહી છે.