ETV Bharat / state

સુરત જિલ્લાના ત્રણ સ્થળોએ આઝાદીના ૭પ વર્ષની ઉજવણી કરવામાં આવશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે. જેના અનુસંધાને રાજયના વિવિધ જિલ્લાઓમાં ૭૫ સ્થળોએ દેશભકિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં સવારે ૧૦ કલાકે બારડોલીના ટાઉન હોલ ખાતે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બારડોલી તાલુકાના હરિપુરા ખાતે રમત ગમત, સાંસ્કૃતિક રાજય પ્રધાન ઈશ્વરસિંહ પટેલ તથા કામરેજના દાદા ભગવાન મંદિરના પટાંગણ ખાતે પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમો યોજાશે.

સુરત જિલ્લાના ત્રણ સ્થળોએ આઝાદીના ૭પ વર્ષની ઉજવણી કરવામાં આવશે
સુરત જિલ્લાના ત્રણ સ્થળોએ આઝાદીના ૭પ વર્ષની ઉજવણી કરવામાં આવશે
author img

By

Published : Mar 10, 2021, 10:29 PM IST

  • બારડોલી, કામરેજ અને હરિપુરા ખાતે યોજાશે કાર્યક્રમો
  • ૨૮મી માર્ચથી 3 એપ્રિલ દરમિયાન સુરત શહેર-જિલ્લામાં દાંડી-યાત્રા પરિભ્રમણ કરશે
  • વડાપ્રધાન ૧રમી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશે
  • ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મિ.ની દાંડીયાત્રા યોજશે
  • પદયાત્રા દરમ્યાન રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, સાંસદો-ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ યાત્રામાં જોડાશે

બારડોલી: ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ બલિદાનો આપ્યા છે. જેના ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે દેશની સ્વતંત્રતાની ભૂમિકામાં મહત્વનું યોગદાન આપનાર બારડોલી તાલુકા મથકે રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર કાર્યક્રમ યોજાશે. મહાત્મા ગાંધીનો બારડોલી સાથે અનોખો નાતો રહ્યો છે. સરદાર વલ્લભભાઈની આગેવાની હેઠળ ખેડૂતોએ કર વધારા સામે આંદોલન છેડીને ખેડુતોને અન્યાયી વેરામાંથી મુકિત અપાવી હતી. જયારે સુભાષચંદ્ર બોઝે હરિપુરા ખાતે કોગ્રેસના અધિવેશન દ્વારા આઝાદીના જંગમાં પ્રજાજનોમાં નવા જોમનો સંચાર કર્યો હતો.

સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ થશે

વડાપ્રધાનની ઉપસ્થિતીમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ત્રણેય સ્થળના કાર્યક્રમોમાં કરવામાં આવશે. બારડોલી, હરિપુરા અને કામરેજ ખાતે કાર્યક્રમ યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

1930ની દાંડી યાત્રા 81 પદયાત્રીઓ ફરી દોહરાવશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મિ.ની દાંડીયાત્રા યોજશે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવાના હેતુથી આ યાત્રા સાબરમતિથી દાંડી પરિભ્રમણ કરશે.

આ પણ વાંચોઃ દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે

28મી માર્ચે સુરત જિલ્લામાં પ્રવેશ કરશે યાત્રા

મુળ યાત્રા મુજબ તા.૨૮મી માર્ચના રોજ સાંજે ૪.૧૫ વાગે પદયાત્રા ઓલપાડ તાલુકાના વડોલી વાંક હદમાં પ્રવેશ કરશે. જયાં ઉમરાછી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જયાંથી વડોલી, ભાદોલ, કદરામા, એરથાણ, ટકારમા, સોંદામીઠા, ભાટગામ, રાજનગર, ગોલા, અછારણ, સાંધીયેર, પરીયા, દેલાડ, છાપરાભાઠા, ડીંડોલી, ઉધના, દેલાડવા પાટિયા, સણીયા કણદે, ખરવાસા, વાંઝ, પોપડા ગામેથી નવસારી જિલ્લામાં પ્રવેશશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 10.30 કલાકે દાંડી યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે: વિજય રૂપાણી

જિલ્લાના પાંચ ગામોમાં રાત્રી રોકાણ

તા.૨૮મી માર્ચથી 3 એપ્રિલ સુધી સુરત જિલ્લા-શહેરમાં પરિભ્રમણ દરમિયાન દાંડીયાત્રા ઓલપાડના ઉમરાછી, ભટગામ, દેલાડ, છાપરાભાઠા, વાંઝ ગામોમાં રાત્રીરોકાણ કરશે. જયાં રાત્રિ રોકાણ દરમ્યાન રાષ્ટ્ર ભાવનાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ પદયાત્રા દરમ્યાન રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, સાંસદો-ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ યાત્રામાં જોડાશે.

વિવિધ થીમ આધારિત ત્રિદિવસીય પ્રદર્શન યોજાશે

પદયાત્રા દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ તથા માહિતી વિભાગ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે છાપરાભાઠા ખાતે દાંડીયાત્રા તથા અન્ય વિવિધ થીમ આધારિત ત્રિદિવસીય પ્રદર્શન યોજાશે. નોંધનીય છે કે, મહાત્મા ગાંધીજીએ તા.૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ મીઠા ઉપરના કરને નાબૂદ કરવા સવિનય કાનૂન ભંગ માટે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી.

  • બારડોલી, કામરેજ અને હરિપુરા ખાતે યોજાશે કાર્યક્રમો
  • ૨૮મી માર્ચથી 3 એપ્રિલ દરમિયાન સુરત શહેર-જિલ્લામાં દાંડી-યાત્રા પરિભ્રમણ કરશે
  • વડાપ્રધાન ૧રમી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવશે
  • ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મિ.ની દાંડીયાત્રા યોજશે
  • પદયાત્રા દરમ્યાન રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, સાંસદો-ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ યાત્રામાં જોડાશે

બારડોલી: ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ બલિદાનો આપ્યા છે. જેના ૭૫ વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે દેશની સ્વતંત્રતાની ભૂમિકામાં મહત્વનું યોગદાન આપનાર બારડોલી તાલુકા મથકે રાષ્ટ્રપ્રેમ-જનચેતના સભર કાર્યક્રમ યોજાશે. મહાત્મા ગાંધીનો બારડોલી સાથે અનોખો નાતો રહ્યો છે. સરદાર વલ્લભભાઈની આગેવાની હેઠળ ખેડૂતોએ કર વધારા સામે આંદોલન છેડીને ખેડુતોને અન્યાયી વેરામાંથી મુકિત અપાવી હતી. જયારે સુભાષચંદ્ર બોઝે હરિપુરા ખાતે કોગ્રેસના અધિવેશન દ્વારા આઝાદીના જંગમાં પ્રજાજનોમાં નવા જોમનો સંચાર કર્યો હતો.

સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ થશે

વડાપ્રધાનની ઉપસ્થિતીમાં યોજાનારા સાબરમતી આશ્રમના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ ત્રણેય સ્થળના કાર્યક્રમોમાં કરવામાં આવશે. બારડોલી, હરિપુરા અને કામરેજ ખાતે કાર્યક્રમ યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

1930ની દાંડી યાત્રા 81 પદયાત્રીઓ ફરી દોહરાવશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી તા.૧રમી માર્ચે ૧૯૩૦ના યોજેલી દાંડીયાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઊજાગર કરતાં ૮૧ પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની ૩૮૬ કિ.મિ.ની દાંડીયાત્રા યોજશે. દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરો સાથોસાથ રાષ્ટ્રની પ્રગતિ-વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને તેમની સ્મૃતિ સાથે આગળ ધપાવવાના હેતુથી આ યાત્રા સાબરમતિથી દાંડી પરિભ્રમણ કરશે.

આ પણ વાંચોઃ દાંડી યાત્રાનું 91મું વર્ષઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે

28મી માર્ચે સુરત જિલ્લામાં પ્રવેશ કરશે યાત્રા

મુળ યાત્રા મુજબ તા.૨૮મી માર્ચના રોજ સાંજે ૪.૧૫ વાગે પદયાત્રા ઓલપાડ તાલુકાના વડોલી વાંક હદમાં પ્રવેશ કરશે. જયાં ઉમરાછી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જયાંથી વડોલી, ભાદોલ, કદરામા, એરથાણ, ટકારમા, સોંદામીઠા, ભાટગામ, રાજનગર, ગોલા, અછારણ, સાંધીયેર, પરીયા, દેલાડ, છાપરાભાઠા, ડીંડોલી, ઉધના, દેલાડવા પાટિયા, સણીયા કણદે, ખરવાસા, વાંઝ, પોપડા ગામેથી નવસારી જિલ્લામાં પ્રવેશશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી 12 માર્ચે 10.30 કલાકે દાંડી યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે: વિજય રૂપાણી

જિલ્લાના પાંચ ગામોમાં રાત્રી રોકાણ

તા.૨૮મી માર્ચથી 3 એપ્રિલ સુધી સુરત જિલ્લા-શહેરમાં પરિભ્રમણ દરમિયાન દાંડીયાત્રા ઓલપાડના ઉમરાછી, ભટગામ, દેલાડ, છાપરાભાઠા, વાંઝ ગામોમાં રાત્રીરોકાણ કરશે. જયાં રાત્રિ રોકાણ દરમ્યાન રાષ્ટ્ર ભાવનાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ પદયાત્રા દરમ્યાન રાજ્ય પ્રધાનમંડળના પ્રધાનો, સાંસદો-ધારાસભ્યો, પદાધિકારીઓ, અગ્રણીઓ યાત્રામાં જોડાશે.

વિવિધ થીમ આધારિત ત્રિદિવસીય પ્રદર્શન યોજાશે

પદયાત્રા દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ તથા માહિતી વિભાગ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે છાપરાભાઠા ખાતે દાંડીયાત્રા તથા અન્ય વિવિધ થીમ આધારિત ત્રિદિવસીય પ્રદર્શન યોજાશે. નોંધનીય છે કે, મહાત્મા ગાંધીજીએ તા.૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ મીઠા ઉપરના કરને નાબૂદ કરવા સવિનય કાનૂન ભંગ માટે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા કરીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.