ETV Bharat / state

સુરતના મહુવામાં કોઢાર જમીનદોસ્તઃ બે ગાયનું મૃત્યુ

author img

By

Published : Jun 30, 2019, 11:42 PM IST

સુરતઃ જિલ્લાના મહુવા તાલુકામાં શનિવારે 24 કલાકમાં 116 મીમી વરસાદ ખાબકયો હતો ત્યારે મહુવા તાલુકાના કવીઠા ગામે કોઢાર ધરાશાયી થયું હતું.જેમાં અંદર બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે ગાયનું મૃત્યુ થયું હતુ. સમગ્ર ઘટનાની તંત્રને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી

SUR

મહુવા તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે શનિવારે મહુવા તાલુકાના કવીઠા ગામે ખાર ફળિયામાં રહેતા પશુપાલક ભરતભાઇ પટેલ અને અને અનિલભાઈ પટેલનું સહિયારું કોઢારની પાકી દીવાલ ધરાશાયી થઈ હતી ત્યાર બાદ આખું કોઢાર જ જમીનદોસ્ત થતાં કોઢારમાં બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે ગાયનું મૃત્યુ થયું હતુ. ઘટનાને પગલે પશુપાલકો ચિંતાતુર થયા હતા.

sur
સુરતના મહુવામાં કોઢાર જમીનદોસ્તઃ બે ગાયનું મૃત્યુ

એક સાથે બે કિંમતી દુધાળા પાલતુ ગાયના મોતની જાણ પશુપાલકો દ્વારા સરપંચને કરવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ પર તલાટી મંત્રી પહોંચી મૃત ગાયોની નોંધ કરી,પશુપાલકોને સહાય આપવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ દીવાલ ઘર તરફ નહીં અને બહાર તરફ ધરાશાયી થતાં ઘરના સદસ્યોનો ચમત્કારી બચાવ થયો હતો અને અન્ય કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી.

મહુવા તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે શનિવારે મહુવા તાલુકાના કવીઠા ગામે ખાર ફળિયામાં રહેતા પશુપાલક ભરતભાઇ પટેલ અને અને અનિલભાઈ પટેલનું સહિયારું કોઢારની પાકી દીવાલ ધરાશાયી થઈ હતી ત્યાર બાદ આખું કોઢાર જ જમીનદોસ્ત થતાં કોઢારમાં બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે ગાયનું મૃત્યુ થયું હતુ. ઘટનાને પગલે પશુપાલકો ચિંતાતુર થયા હતા.

sur
સુરતના મહુવામાં કોઢાર જમીનદોસ્તઃ બે ગાયનું મૃત્યુ

એક સાથે બે કિંમતી દુધાળા પાલતુ ગાયના મોતની જાણ પશુપાલકો દ્વારા સરપંચને કરવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ પર તલાટી મંત્રી પહોંચી મૃત ગાયોની નોંધ કરી,પશુપાલકોને સહાય આપવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, આ દીવાલ ઘર તરફ નહીં અને બહાર તરફ ધરાશાયી થતાં ઘરના સદસ્યોનો ચમત્કારી બચાવ થયો હતો અને અન્ય કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી.

Intro:સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગતરોજ 24 કલાકમાં 116 મીમી વરસાદ ખાબકયો હતો ત્યારે મહુવા તાલુકાના કવીઠા ગામે કોઢાર ધરાશાયી થયું હતું આ કોઢાર ધરાશાયી થતા અંદર બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે દુધાળા ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બે દુધાળા ગાયનું મોત નિપજતા પશુપાલકો ચિંતાતુર બન્યા હતા ઘટના બાબતે તલાટીને જાણ થતાં પંચક્યાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.....


Body:
મહુવા તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદના પગલે ગતરોજ મહુવા તાલુકાના કવીઠા ગામે ખાર ફળિયામાં રહેતા પશુપાલક ભરતભાઇ રમણભાઈ પટેલ અને અને અનિલભાઈ રમણ ભાઈ પટેલનું સહિયારું કોઢારની પાકી દીવાલ ધરાશાયી થઈ હતી ત્યાર બાદ આખું કોઢાર જ જમીનદોસ્ત થતા કોઢારમાં બાંધેલા પાલતુ પશુઓ પૈકી બે દુધાળી પાલતુ ગાયનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પશુપાલકો ચિંતાતુર થઈ ગયા હતા ...Conclusion: એક સાથે બે કિંમતી દુધાળા પાલતુ ગાયના મોતની જાણ પશુપાલકો દ્વારા સરપંચને કરવામાં આવી હતી સરપંચ દ્વારા તલાટીને જાણ કરાતા તલાટીએ ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃત ગાયોનો પંચક્યાસ કરી ગરીબ પશુપાલકોને સહાય આપવાની તજવીજ હાથ ધરી હતી જોકે આ દીવાલ ઘર તરફ નહીં અને બહાર તરફ ધરાશાયી થતા ઘરના સદસ્યોનો ચમત્કારી બચાવ થયો હતો અને અન્ય કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહત અનુભવી હતી.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.