- તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીના નવા 11 કેસ
- 30 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી
- 247 દર્દી લિ રહ્યા છે કોરોનાની સારવાર
સુરતઃ તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીના નવા 11 કેસ મળી આવ્યા છે. સાથે વધુ 30 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. હાલ 247 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કુલ કોરોનાનો આંક 3,785 પર પહોચ્યો છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં વધારો, 222 નવા કેસ નોંધાયા
જિલ્લા આરાગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલ આપી જાણ કારી
જિલ્લા આરાગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર 22 મેના રોજ તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 11 કેસ નોંધાયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝિટિવ દર્દીઓના કુલ 3,785 કેસ નોંધાઈ ચૂક્યા છે, અત્યાર સુધી કુલ 3,419 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લાભર માંથી કોરોના ટેસ્ટ માટે 825 સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડિસ્ચાર્જ
જિલ્લામાં વધુ 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
ડોલવણના બેડચીતની 65 વર્ષીય વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 101 દર્દીઓ મોત નિપજ્યા છે. જ્યારે કોરોનાથી 18 દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ 119 દર્દીઓના મોત નિપજ્યા છે.