ETV Bharat / state

સુરતમાં કોમન પ્લોટ મામલે વિવાદ: પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

author img

By

Published : Feb 13, 2020, 6:34 PM IST

એ.કે.રોડ પર આવેલી સોસાયટીનો કોમન પ્લોટ બિલ્ડર દ્વારા અન્યને વેચી નાખવામાં આવતા કબ્જો લેવા માટે આવેલા પ્લોટ માલિકના માણસો અને સોસાયટીવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન પોલીસ બોલાવતા ઘર્ષણના જોવા મળ્યા હતા. સ્થાનિક સોસાયટીની મહિલાઓ, પુરુષો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જે ફરિયાદ લઈ સોસાયટીના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.

aa
કોમન પ્લોટ કબ્જા મામલે વિવાદ : પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

સુરત: એ.કે.રોડ પર આવેલી સોસાયટીનો કોમન પ્લોટ બિલ્ડર દ્વારા અન્યને વેચી નાખવામાં આવતા કબ્જો લેવા માટે આવેલા પ્લોટ માલિકના માણસો અને સોસાયટીવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમ્યાન પોલીસ બોલાવતા ઘર્ષણ થયું હતું. સ્થાનિક સોસાયટીની મહિલાઓ, પુરુષો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જે ફરિયાદ લઈ સોસાયટીના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.

કોમન પ્લોટ કબ્જા મામલે વિવાદ : પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
વરાછાના એ.કે.રોડ પર આવેલી શ્રીનાથ દ્વાર સોસાયટી વર્ષ 1993માં ઉભી કરવામાં આવી હતી. જે તે સમયે સોસાયટીમાં બિલ્ડર દ્વારા સીઓપીની જગ્યા છોડવામાં આવી હતી. જ્યાં સોસાયટીમાં બાળકોના રમત- ગમત માટેનું મેદાન અથવા ગાર્ડન બનાવવા આ જગ્યા મૂકી રાખવામાં આવી હતી. જો કે, બિલ્ડર દ્વારા આ સીઓપીની જગ્યા અન્ય કોઈને વેચી મારતા મોટો વિવાદ ઉભો થયો છે. અન્ય માલિક દ્વારા આજ રોજ જગ્યાનો કબ્જો લેવામાં આવી રહ્યો હતો.

જે દરમિયાન સ્થાનિક સોસાયટી અને માલિકીના માણસો વચ્ચે ઉગ્ર બોલાચાલ બાદ મામલો વધુ વણસ્યો હતો. જ્યાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જે દરમિયાન મામલો થાળે પાડવા વચ્ચે પડેલી પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે રીતસર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. જગ્યા પર કબ્જો જમાવવા આવેલા બિલ્ડરને રોકવા ગયેલા સોસાયટીના લોકો સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા. જ્યાં મહિલાઓ અને પુરૂષોને પણ માર મારી ઘસડ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ લઈ સોસાયટીવાસીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. પોલીસ કમિશ્નરને રૂબરૂમાં મળી આ અંગે રજૂઆત કરતા તેમને યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

સુરત: એ.કે.રોડ પર આવેલી સોસાયટીનો કોમન પ્લોટ બિલ્ડર દ્વારા અન્યને વેચી નાખવામાં આવતા કબ્જો લેવા માટે આવેલા પ્લોટ માલિકના માણસો અને સોસાયટીવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમ્યાન પોલીસ બોલાવતા ઘર્ષણ થયું હતું. સ્થાનિક સોસાયટીની મહિલાઓ, પુરુષો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જે ફરિયાદ લઈ સોસાયટીના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.

કોમન પ્લોટ કબ્જા મામલે વિવાદ : પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
વરાછાના એ.કે.રોડ પર આવેલી શ્રીનાથ દ્વાર સોસાયટી વર્ષ 1993માં ઉભી કરવામાં આવી હતી. જે તે સમયે સોસાયટીમાં બિલ્ડર દ્વારા સીઓપીની જગ્યા છોડવામાં આવી હતી. જ્યાં સોસાયટીમાં બાળકોના રમત- ગમત માટેનું મેદાન અથવા ગાર્ડન બનાવવા આ જગ્યા મૂકી રાખવામાં આવી હતી. જો કે, બિલ્ડર દ્વારા આ સીઓપીની જગ્યા અન્ય કોઈને વેચી મારતા મોટો વિવાદ ઉભો થયો છે. અન્ય માલિક દ્વારા આજ રોજ જગ્યાનો કબ્જો લેવામાં આવી રહ્યો હતો.

જે દરમિયાન સ્થાનિક સોસાયટી અને માલિકીના માણસો વચ્ચે ઉગ્ર બોલાચાલ બાદ મામલો વધુ વણસ્યો હતો. જ્યાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જે દરમિયાન મામલો થાળે પાડવા વચ્ચે પડેલી પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે રીતસર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. જગ્યા પર કબ્જો જમાવવા આવેલા બિલ્ડરને રોકવા ગયેલા સોસાયટીના લોકો સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા. જ્યાં મહિલાઓ અને પુરૂષોને પણ માર મારી ઘસડ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ લઈ સોસાયટીવાસીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. પોલીસ કમિશ્નરને રૂબરૂમાં મળી આ અંગે રજૂઆત કરતા તેમને યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.