રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર તારીખ 8થી 20 ઓગસ્ટ સુધી એટલે કે 12 દિવસ સુધી બંધ રહેશે. વધતા કોરોના સંક્રમણને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પૂજ્ય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.