ETV Bharat / state

મામી ભાણેજ વચ્ચે આડા સંબંધનો કરૂણ અંત, મામાએ ભાણેજને દારૂ પિવડાવી કુવામાં ફેંકી દીધો

author img

By

Published : Dec 16, 2020, 8:15 PM IST

Updated : Dec 16, 2020, 8:30 PM IST

જેતપુર તાલુકાના અને વિરપુર તાબેના કેરાળી ગામની સીમમાં પંદરેક દિવસ પૂર્વે એક કૂવામાંથી શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા ચોપડે અકસ્માતે મોતની નોંધ કરી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા મૃતકને કૌટુંબિક મામી સાથેના પ્રેમ પ્રકરણને કારણે મામાએ દારૂ પીવડાવી કૂવામાં ફેંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી મામાની અટકાયત કરી છે.

મામી ભાણેજ વચ્ચે આડા સંબંધ
મામી ભાણેજ વચ્ચે આડા સંબંધ
  • મામી અને ભાણેજ વચ્ચે આડા સંબંધોને કારણે થઇ હતી હત્યા
  • મામાએ ભાણેજને દારૂ પીવડાવી કુવામાં ફેંકી દીધો
  • આડા સંબંધનો કરૂણ અંત

રાજકોટ : મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વતની નિલેશભાઈ વસાવા ગત 4 વર્ષથી પોતાના પરિવાર સાથે રહીને જેતપુર તાલુકાના કેરાળી ગામે વજુભાઈ બાલધાની વાડીએ રહીને ખેત મજૂરી કામ કરતા હતા. જે દરમિયાન તેમને ગત તારીખ 27 નવેમ્બરના રોજ સાંજે વાડીએથી ગુમ થઈ જતા તેમના પત્ની કૈલાશબેને વિરપુર પોલીસ મથકમાં ગુમ થયા અંગેની અરજી કરી હતી.

મામાએ ભાણેજને દારૂ પિવડાવી કુવામાં ફેંકી દીધો

નિલેશની મૃતદેહ કેરાળી ગામથી 20 કિલોમીટર દૂર વાડીના કુવામાંથી મળ્યો

વિરપુર પોલીસે તે સમયે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતની તપાસમાં કોલ ડિટેઇલ અને લોકેશનની તપાસ કરતા આ બનાવ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક નીલેશના ફોન કોલ ડિટેઈલમાં તેને કોઈ મહિલા સાથે સંબંધ હોવાની વાત પોલીસના ધ્યાનમાં આવી હતી. જે બનાવ અંગેની તપાસ બાદ આ યુવકની હત્યા હોવાનું ખુલતા પોલીસ અચંબિત થઈ ગઈ હતી.

કૂવામાં ફેંકી કરી હતી હત્યા

મૃતક નિલેશને તેના કૌટુંબિક મામા વિનુભાઈ વસાવા (રહેવાસી ગુંદિયા, તાલુકો- વાલિયા)ની પત્ની સાથે આડા સંબંધ હતા. જે અંગેની વિનુભાઈને જાણ થઇ જતા તેમને નિલેશને રણછોડભાઈ રામોલિયાની વાડીએ બોલાવી અને ચિક્કાર દારૂ પીવડાવીને ત્યાં આવેલા કૂવામાં ધક્કો મારીને ફેંકીને તેની હત્યા કરી હતી.

  • મામી અને ભાણેજ વચ્ચે આડા સંબંધોને કારણે થઇ હતી હત્યા
  • મામાએ ભાણેજને દારૂ પીવડાવી કુવામાં ફેંકી દીધો
  • આડા સંબંધનો કરૂણ અંત

રાજકોટ : મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વતની નિલેશભાઈ વસાવા ગત 4 વર્ષથી પોતાના પરિવાર સાથે રહીને જેતપુર તાલુકાના કેરાળી ગામે વજુભાઈ બાલધાની વાડીએ રહીને ખેત મજૂરી કામ કરતા હતા. જે દરમિયાન તેમને ગત તારીખ 27 નવેમ્બરના રોજ સાંજે વાડીએથી ગુમ થઈ જતા તેમના પત્ની કૈલાશબેને વિરપુર પોલીસ મથકમાં ગુમ થયા અંગેની અરજી કરી હતી.

મામાએ ભાણેજને દારૂ પિવડાવી કુવામાં ફેંકી દીધો

નિલેશની મૃતદેહ કેરાળી ગામથી 20 કિલોમીટર દૂર વાડીના કુવામાંથી મળ્યો

વિરપુર પોલીસે તે સમયે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મોતની તપાસમાં કોલ ડિટેઇલ અને લોકેશનની તપાસ કરતા આ બનાવ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક નીલેશના ફોન કોલ ડિટેઈલમાં તેને કોઈ મહિલા સાથે સંબંધ હોવાની વાત પોલીસના ધ્યાનમાં આવી હતી. જે બનાવ અંગેની તપાસ બાદ આ યુવકની હત્યા હોવાનું ખુલતા પોલીસ અચંબિત થઈ ગઈ હતી.

કૂવામાં ફેંકી કરી હતી હત્યા

મૃતક નિલેશને તેના કૌટુંબિક મામા વિનુભાઈ વસાવા (રહેવાસી ગુંદિયા, તાલુકો- વાલિયા)ની પત્ની સાથે આડા સંબંધ હતા. જે અંગેની વિનુભાઈને જાણ થઇ જતા તેમને નિલેશને રણછોડભાઈ રામોલિયાની વાડીએ બોલાવી અને ચિક્કાર દારૂ પીવડાવીને ત્યાં આવેલા કૂવામાં ધક્કો મારીને ફેંકીને તેની હત્યા કરી હતી.

Last Updated : Dec 16, 2020, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.