ETV Bharat / state

રાજકોટના ગોંડલમાં વર્તમાન મહારાજા સાહેબનો જન્મ દિવસ ઉજવવામાં નહીં આવે - Maharaja Saheb birthday will not be celebrated

કોરોના વાઇરસના કારણે દેશ અને સમગ્ર વિશ્વ પર આવી પડેલા અણધારી આફતને ધ્યાને રાખી ગોંડલ વર્તમાન મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબનો આગામી તારીખ 26 મી મેના 80 મો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે રાજવી પરિવાર દ્વારા પ્રજાજનોની સુરક્ષાને ધ્યાને લઇ જન્મદિવસ ઉજવણી રદ્દ કરવામાં આવી છે.

રાજકોટના ગોંડલમાં વર્તમાન મહારાજા સાહેબનો જન્મ દિવસ ઉજવવામાં નહીં આવે
રાજકોટના ગોંડલમાં વર્તમાન મહારાજા સાહેબનો જન્મ દિવસ ઉજવવામાં નહીં આવે
author img

By

Published : May 21, 2020, 7:46 PM IST

રાજકોટ: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી ગોંડલ રાજ્યના તમામ પ્રજાજનોના દિલમાં વસી રહ્યા છે અને હાલના સમયે પણ એ જ લાગણીથી વર્તમાન મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ સાથે પણ પ્રજાજન જોડાયેલા છે. પ્રતિવર્ષ ગોંડલ રાજ્યના ગોંડલ, ધોરાજી અને ઉપલેટા પંથકના બહોળી સંખ્યામાં પ્રજાજન હજુર પેલેસે પહોંચી મહારાજા સાહેબને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા હોય છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જન્મદિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આી છે. રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરા દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ તકે સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરાએ વોટ્સએપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ આપવાની સુવિધા રાખવામાં આવી છે.

રાજકોટ: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી ગોંડલ રાજ્યના તમામ પ્રજાજનોના દિલમાં વસી રહ્યા છે અને હાલના સમયે પણ એ જ લાગણીથી વર્તમાન મહારાજા જ્યોતેન્દ્રસિંહજી સાહેબ સાથે પણ પ્રજાજન જોડાયેલા છે. પ્રતિવર્ષ ગોંડલ રાજ્યના ગોંડલ, ધોરાજી અને ઉપલેટા પંથકના બહોળી સંખ્યામાં પ્રજાજન હજુર પેલેસે પહોંચી મહારાજા સાહેબને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતા હોય છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી જન્મદિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આી છે. રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરા દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ તકે સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરાએ વોટ્સએપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ આપવાની સુવિધા રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.