વિઠ્ઠલભાઈ રાદડીયાના અંતિમ દર્શન માટે જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ખાતે જયેશભાઈ રાદડીયા, રાજકીય આગેવાનો, લલિત વસોયા સહિતના લોકો પહોચ્યા હતા. મંગળવારે બપોરે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી જામકંડરોણા ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરશે, વિજયભાઈ રૂપાણી બપોરે ૧:૨૫ કલાકે જામકંડરોણા ખાતે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
સોમવારના રોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાનુ દુઃખદ અવસાન થતા મુખ્યપ્રધાનએ ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી સ્વ. વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને મુખ્યપ્રધાન રૂપાણી તેમજ અનેક રાજકીય, સામાજિક અગ્રણીઓ જોડાશે, વિઠ્ઠલભાઇ રાદડીયાના અંતિમ દર્શન તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવ્યા છે, ત્યાર બાદ સ્મશાન યાત્રા
તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે એમના નિવાસ સ્થાન પટેલ ચોક જામકંડોરણા ખાતેથી નીકળશે.