ETV Bharat / state

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની 2 લાખ ગુણીની આવક

author img

By

Published : Oct 26, 2020, 5:52 PM IST

રાજ્યમાં સોમવારના રોજથી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે. ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બેડી યાર્ડ ખાતે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને આવી પહોંચતા હતા અને યાર્ડ ખાતે 2 લાખ મગફળીની ગુણીની આવક થઇ હતી. જેથી યાડ દ્વારા આગામી 5 દિવસ સુધી મગફળી લેવાનું બંધ કરવામાં આવ્યું છે.

rjd
rjd
  • બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ દિવસે જ 2 લાખ મગફળીની ગુણીની આવક
  • બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધ
  • મગફળીના ભાવ રૂપિયા 1200થી 1300 સુધી બોલાયા

રાજકોટઃ રાજ્યમાં આજથી સોમવારના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે. ત્યારે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો જોઈએ એટલા પ્રમાણમાં યાર્ડ ખાતે આવી નથી રહ્યા, બીજી તરફ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બેડી યાર્ડ ખાતે આજે સોમવારના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને આવી પહોંચતા યાર્ડ દ્વારા આગામી 5 દિવસ સુધી મગફળી લેવાનું બંધ કરવામાં આવ્યું છે.

બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ મગફળીની ગુણીની આવક
બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ મગફળીની ગુણીની આવક
2 લાખ મગફળીની ગુણીની આવક નોંધાઇરાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ થયો હોવાના કારણે એક અનુમાન પ્રમાણે ચાલુ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થવાનું પણ કૃષિ તજજ્ઞો પણ માની રહ્યા હતા. જેને લઈને હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. જેને લઈને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે રવિવારે બંધ હોવા છતાં પણ રાતના સમયે મોટાભાગના ખેડૂતો મગફળી લઈને આવી પહોંચ્યા હતા. જેની આજ સવારે નોંધ કરવામાં આવતા અંદાજીત 2 લાખથી વધુ મગફળીની ગુણીઓ યાર્ડ ખાતે આવી હોવાનું સામે આવ્યું હતું.
બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધ
બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધ
બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધરાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સોમવારના રોજ 2 લાખ જેટલી મગફળીની ગુણીઓનો જથ્થો આવતા યાર્ડના સત્તાધીશો દ્વારા હવે જ્યાં સુધી હાલ યાર્ડમાં રહેલી મગફળીની હરાજી ન થાય ત્યાં સુધી નવી મગફળી ન લેવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આગામી પાંચ દિવસ સુધી બેડી યાર્ડમાં મગફળીનો નવો પાક લેવામાં આવશે નહીં. જ્યારે હાલ યાર્ડમાં મગફળીની ગુણીઓ રાખવા માટેની જગ્યા પણ ઓછી પડી રહી હોવાનું યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.મગફળીના રૂપિયા 1200થી 1300 બોલાયાસરકાર દ્વારા સોમવારથી ટેકના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા મણે રૂપિયા 1055 નક્કી કરવામાં આવ્યા છે પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ખુલ્લી બજારમાં સારી ગુણવત્તા વાળી મગફળીના રૂપિયા 1200થી 1300 સુધીના ભાવ મળી રહ્યા છે. જે સરકારના ટેકના ભાવ કરતા પણ વધારે છે. જેને લઈને મોટાભાગના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં પોતાની મગફળી વહેંચવાનો આગ્રહ રાખી રહ્યા છે.

  • બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રથમ દિવસે જ 2 લાખ મગફળીની ગુણીની આવક
  • બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધ
  • મગફળીના ભાવ રૂપિયા 1200થી 1300 સુધી બોલાયા

રાજકોટઃ રાજ્યમાં આજથી સોમવારના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે. ત્યારે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો જોઈએ એટલા પ્રમાણમાં યાર્ડ ખાતે આવી નથી રહ્યા, બીજી તરફ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બેડી યાર્ડ ખાતે આજે સોમવારના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને આવી પહોંચતા યાર્ડ દ્વારા આગામી 5 દિવસ સુધી મગફળી લેવાનું બંધ કરવામાં આવ્યું છે.

બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ મગફળીની ગુણીની આવક
બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે 2 લાખ મગફળીની ગુણીની આવક
2 લાખ મગફળીની ગુણીની આવક નોંધાઇરાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ થયો હોવાના કારણે એક અનુમાન પ્રમાણે ચાલુ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થવાનું પણ કૃષિ તજજ્ઞો પણ માની રહ્યા હતા. જેને લઈને હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. જેને લઈને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ગઈકાલે રવિવારે બંધ હોવા છતાં પણ રાતના સમયે મોટાભાગના ખેડૂતો મગફળી લઈને આવી પહોંચ્યા હતા. જેની આજ સવારે નોંધ કરવામાં આવતા અંદાજીત 2 લાખથી વધુ મગફળીની ગુણીઓ યાર્ડ ખાતે આવી હોવાનું સામે આવ્યું હતું.
બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધ
બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધ
બેડી યાર્ડમાં 5 દિવસ સુધી નવી મગફળી લેવાનું બંધરાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સોમવારના રોજ 2 લાખ જેટલી મગફળીની ગુણીઓનો જથ્થો આવતા યાર્ડના સત્તાધીશો દ્વારા હવે જ્યાં સુધી હાલ યાર્ડમાં રહેલી મગફળીની હરાજી ન થાય ત્યાં સુધી નવી મગફળી ન લેવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આગામી પાંચ દિવસ સુધી બેડી યાર્ડમાં મગફળીનો નવો પાક લેવામાં આવશે નહીં. જ્યારે હાલ યાર્ડમાં મગફળીની ગુણીઓ રાખવા માટેની જગ્યા પણ ઓછી પડી રહી હોવાનું યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.મગફળીના રૂપિયા 1200થી 1300 બોલાયાસરકાર દ્વારા સોમવારથી ટેકના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા મણે રૂપિયા 1055 નક્કી કરવામાં આવ્યા છે પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ખુલ્લી બજારમાં સારી ગુણવત્તા વાળી મગફળીના રૂપિયા 1200થી 1300 સુધીના ભાવ મળી રહ્યા છે. જે સરકારના ટેકના ભાવ કરતા પણ વધારે છે. જેને લઈને મોટાભાગના ખેડૂતો હાલ ખુલ્લી બજારમાં પોતાની મગફળી વહેંચવાનો આગ્રહ રાખી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.