શહેરના કપિલ હનુમાન મંદિર પાસે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 7 લાખ રૂપિયાની ચોરી કરી બે વ્યક્તિઓ ફરાર થયા હતા. જેની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે લૂંટરાઓની પ્રાથમિક માહિતી મેળવી તેમની પૂછપરછ કરાઈ હતી.
પોલીસ તપાસ દરમિયાન પેઢીના સંચાલક વિક્રમસિંહે (ફરિયાદી) જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતુું. જેને આરોપી પ્રભુભાઈ વેગડા અને અમરસિંગ તંબોડીયા સાથે મળી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.