રાજકોટઃ આટકોટ આરોગ્ય કેન્દ્રમાં એમપીએસ એચ હેલ્થ સુપરવાઈઝર તરીકે કે સી રાઠોડ ફરજ બજાવી રહ્યા છે. તેઓ નવ વર્ષથી આટકોટમાં ફરજ બજાવે છે. જેમને ત્રણ હાર્ટ એટેક આવવા હોવ છતાં પણ પોતાની ફરજ ચૂક્યા નથી, તેમજ રજા પણ લીધી નથી.
હાલમાં કોરોના વાઇરસ રોગચાળો ફેલાયો છે. જેમાં આટકોટ ગામ તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશથી આવેલા તેમજ ગુજરાતમાંથી આવેલા લોકોને હોમકોરન્ટાઈન કરેલા લોકોની મુલાકાત આ અધિકારી લે છે, તેમજ રોજ ગોંડલથી બાઈક પર આવી ફરજ બજાવી રહ્યા છે.
ખરેખર આવાં ફરજ બજાવતા કર્મચારી પોતાના જાનની જોખમે પણ લોકોની સેવા કરી રહ્યા છે.