ETV Bharat / state

રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝઘડો થતા પુત્રીએ કર્યો આપઘાત

author img

By

Published : Jan 10, 2021, 5:37 PM IST

રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝડઘો થતા તેમની 16 વર્ષની પુત્રીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતીએ પોતાના જ ઘરમાં દુપટ્ટા વડે આપઘાત કરી લીધો છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં તાત્કાલિક એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવતીના મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝઘડો થતા પુત્રીએ કર્યો આપઘાત
રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝઘડો થતા પુત્રીએ કર્યો આપઘાત
  • રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝઘડો થતા પુત્રીએ આપઘાત કર્યો
  • એ ડિવીઝન પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે
  • સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ

રાજકોટ : રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝડઘો થતા તેમની 16 વર્ષની પુત્રીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતીએ પોતાના જ ઘરમાં દુપટ્ટા વડે આપઘાત કરી લીધો છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં તાત્કાલિક એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવતીના મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

16 વર્ષની યુવતીનું ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરના રામનાથપરા નજીક આવેલ હુશેની ચોક ખાતે રહેતા અને મૂળ પશ્વિમ બંગાળના તપસભાઈ બાગની 16 વર્ષની પુત્રી અર્પિતા બાગ નામની યુવતીએ શનિવારે ઘરે દૂપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે રાજકોટ એ ડિવીઝન પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ અર્પિતાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

માતાપિતા વચ્ચેના ઝઘડાના કારણે આપઘાત

16 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ કરી હતી. જે દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, માતા-પિતા વચ્ચે ઝગડો થયો હોવાથી અર્પિતાને લાગી આવ્યું હતું અને આ પ્રકારનું પગલું ભર્યુ હતું.

  • રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝઘડો થતા પુત્રીએ આપઘાત કર્યો
  • એ ડિવીઝન પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે
  • સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ

રાજકોટ : રાજકોટમાં માતાપિતા વચ્ચે ઝડઘો થતા તેમની 16 વર્ષની પુત્રીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવતીએ પોતાના જ ઘરમાં દુપટ્ટા વડે આપઘાત કરી લીધો છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં તાત્કાલિક એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવતીના મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

16 વર્ષની યુવતીનું ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરના રામનાથપરા નજીક આવેલ હુશેની ચોક ખાતે રહેતા અને મૂળ પશ્વિમ બંગાળના તપસભાઈ બાગની 16 વર્ષની પુત્રી અર્પિતા બાગ નામની યુવતીએ શનિવારે ઘરે દૂપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે રાજકોટ એ ડિવીઝન પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ અર્પિતાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

માતાપિતા વચ્ચેના ઝઘડાના કારણે આપઘાત

16 વર્ષની યુવતીએ આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ કરી હતી. જે દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, માતા-પિતા વચ્ચે ઝગડો થયો હોવાથી અર્પિતાને લાગી આવ્યું હતું અને આ પ્રકારનું પગલું ભર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.