ETV Bharat / state

કોરોના ઈફેક્ટ: માધવપુર મેળાના તમામ સરકારી કાર્યક્રમ રદ થવાની શક્યતા - માધવપુર મેળો

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે માધવરાય સાથે રૂકમણીના લગ્ન પ્રસંગનો ભવ્યાતિભવ્ય મેળો આગામી 2 એપ્રિલથી 6 એપ્રિલ સુધી યોજાવાનો છે. જેમાં કોરોના વાયરસના કારણે તમામ સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કોરોના ઇફેક્ટ : માધવપુર મેળાના તમામ સરકારી કાર્યક્રમ રદ થવાની શક્યતા
કોરોના ઇફેક્ટ : માધવપુર મેળાના તમામ સરકારી કાર્યક્રકોરોના ઇફેક્ટ : માધવપુર મેળાના તમામ સરકારી કાર્યક્રમ રદ થવાની શક્યતામ રદ થવાની શક્યતા
author img

By

Published : Mar 16, 2020, 7:39 PM IST

Updated : Mar 16, 2020, 10:59 PM IST

પોરબંદરઃ જિલ્લાના માધવપુર ગામે ભાતીગળ સંસ્કૃતિ મુજબનો ઐતિહાસિક મેળો દર વર્ષે યોજાય છે. ત્યારે સરકાર દ્વારા નેશનલ લેવલના કાર્યક્રમ કોરોના વાયરસના કારણે બંધ રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વર્ષે વડાપ્રધાન મોદી પણ આવવાના હોવાનું મનાતું હતું, પરંતુ કોરોના વાયરસના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવા તથા લોકોમાં મેળાવડા ન કરવા જણાવાયું છે.

કોરોના ઇફેક્ટ : માધવપુર મેળાના તમામ સરકારી કાર્યક્રમ રદ થવાની શક્યતા

પોરબંદર સહિત માધવપુરની હોટલોમાં બુકીંગ કરવામાં આવ્યું હતું, તે પણ રદ કરવામાં આવ્યા હોવાનું જણાયું છે. જોકે આ કાર્યક્રમો રદ થવાના કારણે અનેક વેપારીઓને મોટું નુકસાન થશે તેવું વર્તાઈ રહ્યું છે.

પોરબંદરઃ જિલ્લાના માધવપુર ગામે ભાતીગળ સંસ્કૃતિ મુજબનો ઐતિહાસિક મેળો દર વર્ષે યોજાય છે. ત્યારે સરકાર દ્વારા નેશનલ લેવલના કાર્યક્રમ કોરોના વાયરસના કારણે બંધ રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વર્ષે વડાપ્રધાન મોદી પણ આવવાના હોવાનું મનાતું હતું, પરંતુ કોરોના વાયરસના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવા તથા લોકોમાં મેળાવડા ન કરવા જણાવાયું છે.

કોરોના ઇફેક્ટ : માધવપુર મેળાના તમામ સરકારી કાર્યક્રમ રદ થવાની શક્યતા

પોરબંદર સહિત માધવપુરની હોટલોમાં બુકીંગ કરવામાં આવ્યું હતું, તે પણ રદ કરવામાં આવ્યા હોવાનું જણાયું છે. જોકે આ કાર્યક્રમો રદ થવાના કારણે અનેક વેપારીઓને મોટું નુકસાન થશે તેવું વર્તાઈ રહ્યું છે.

Last Updated : Mar 16, 2020, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.