ETV Bharat / state

કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન

author img

By

Published : Jun 29, 2019, 7:29 AM IST

પોરબંદરઃ રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વડીલો માટે દિવસભર ગેમ શો ,રાસગરબા,સંગીત, હાસ્ય સહીતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ માં 500 જેટલા વડીલો ઉત્સાહભેર જોડાયા હતા.

porbandar

આપણા દેશની સાંસ્કૃતિક વારસા પ્રમાણે આપણે માતાને માતૃ દેવો ભવ અને પિતાને પિતૃ દેવો ભવ તરીકે ગણવામાં આવે છે. આપણા આ સાંસ્કૃતિક વારસા ને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા જીવંત રખાયો છે. દિલ્હી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશનના ચીફ ડો. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ પોરબંદરના કુતિયાણા માં યોજાયેલા વડીલોના ભાવવંદના સમારોહમાં જણાવ્યું હતું.

porbandar
કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું
આંતરરાષ્ટ્રીય સમાજ સેવી સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કુતિયાણા ખાતે આવેલ મહેર સમાજની વાડીમાં વડિલોને પ્રોત્સાહિત કરવા ભાવ વંદના કાર્યક્રમમાં ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ વધુમાં “જણાવ્યું હતું કે, રીઝવાન ફાઉન્ડેશન દ્વારા દેશ-વિદેશમાં માનવ ઉત્કર્ષના ઘણ કાર્યક્રમો કરી રહ્યા છે. તાજેતરમાં આફ્રિકાના મોઝાબિંકમાં આવેલું તુફાનના કારણે ખાનાખરાબી થઇ ત્યારે રીઝવાન અને તેની ટીમે ખડેપગે સેવા કરી હતી. વડીલો પ્રત્યે તેની સંવેદના સરાહનીય છે. ‘
porbandar
કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું
આ ફાઉન્ડેશનના કર્તાહર્તા સ્થાપક પોરબંદરના ઉદ્યોગપતિ અગ્રણી અને વિશ્વના અનેક દેશોમાં સમાજ સેવા ક્ષેત્રે નામના ધરાવતા રીઝવાન આડતીયાએ જણાવ્યું હતું કે, જીવનમાં બાળપણ, યુવાની અને ઘડપણ આવે જ છે. જેમ-જેમ ઉમર વધતી જાય તેમ તેમ સાથે જીવેલા સાથીઓની સંખ્યા ઘટતી જાય છે અને જે વૃધ્ધો એકલા પડે તેમને એકલાની લાગણી મૃત્યુ કરતાં પણ વિકરાળ લાગે છે અને જેનો જીવન સાથી કે જેની જીવનસંગીની વિદાય લે છે તેને માટે તો જીવન અત્યંત આકરૂ અને બોજા રૂપ બને છે. અત્યારની ફાસ્ટલાઇફમાં યુવાન સભ્યો સબંધોના વર્તુળ માંથી વૃદ્ધ સભ્યો માટે ભાગ્યે જ સમય ફાળવી શકે છે. આથી વૃધ્ધોની એકલતાને જડમૂળમાંથી દૂર કરવી મુશ્કેલ કાર્ય છે, પરંતુ આ વડીલોના જીવનની અમુક ક્ષણો યાદગાર બનાવી તેમના માટે જીવનની સમી સંધ્યાએ ખુશી પુષ્પ અર્પણ કરવું એ મારો ઉદેશ રહ્યો છે, આપ સૌનો સહયોગ જ મને સમાજ સેવાનું બળ આપે છે.
porbandar
કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું

આ પ્રસંગે વારાણસી ગેસ્ટ ઓફ ઓનર ડો.બ્રિજનંદનજી (ગુરૂજી), દિલ્હીના શ્રી દિગમ્બર જૈન મહાસમિતિના નેશનલ પ્રેસિડન્ટ એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના અનેકવિધ માનવ કલ્યાણ પ્રવૃતિઓમાં પોતાના રૂપિયાને છુટા હાથે ખુલ્લુ મુકાયુ છે. એ આ પોરબંદરની ધરતી માટે ગૌરવરૂપ છે. જેમના હૃદયમાં સંવેદના હોય તે જ ભાવ વંદના કરી શકે છે. માનવ ધર્મ થી મોટો કોઇ ધર્મ દુનિયામાં નથી.
આ ભાવવંદના કાર્યક્રમમાં વડીલો માટે દિવસભર ગેમ-શો, રાસ-ગરબા, સંગીતોત્સવ અને હાસ્યદરબાર યોજાયા હતા. જેમાં સુરેન્દ્રનગરના ડો. દિલીપ શાહે એ વરિષ્ઠ નાગરિક એવી વડીલોને સ્ટેજ પર લાવીને અવનવી રમતો રમાડીને તેનું બાળપણ યાદ કરાવ્યું હતું. પોરબંદરના જાણીતા તરંગ ઓરકેસ્ટ્રા રાજુભાઇ સુદ્રા , ધ્યેય થાનકી ગ્રુપે સંગીત સભર ગીતો રજુ કરીને સૌ વડીલોના મંત્રમુગ્ધ બનાવ્યા હતા અને રાજકોટના હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાએ હાસ્ય દરબાર યોજી અને વડીલોમાં હાસ્યની છોળો ઉડાડી હતી. 500 જેટલા વડીલોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. રીઝવાન આડતીયાનો ઉદેશ ફળીભૂત થતાં સૌના ચહેરાપર પ્રસન્નતા જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક હરીશભાઈ થાનકીએ સંભાળ્યું હતું. આ ગૌરવશાળી વડીલોના ભાવવંદના કાર્યક્રમમાં મુંબઈના રૂપેશભાઈ શાહ ,લંડનના રીઝવાન રહેમતુલ્લાહ ,માળિયાના મહેન્દ્રભાઈ ગાંધી ,મોઝામ્બિકના મેદાસાલાપની ,કોંગોના મીરાજભાઈ ચારણીયા,આફ્રિકાના રશ્મિબેન,પોરબંદરના જાણીતા તબીબ ડો સુરેશભાઈ ગાંધી ,હસુભાઈ બુદ્ધદેવ,અકબરીભાઈ ,જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા,હર્ષિતભાઈ રૂઘાણી સહીત પોરબંદરના નગરશ્રેષ્ઠીઓ ,પ્રબુદ્ધ નાગરિકો,હાજર રહ્યા હતા.ફાઉન્ડેશનનો સ્ટાફ,અને મહેર સમાજના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

આપણા દેશની સાંસ્કૃતિક વારસા પ્રમાણે આપણે માતાને માતૃ દેવો ભવ અને પિતાને પિતૃ દેવો ભવ તરીકે ગણવામાં આવે છે. આપણા આ સાંસ્કૃતિક વારસા ને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા જીવંત રખાયો છે. દિલ્હી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશનના ચીફ ડો. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ પોરબંદરના કુતિયાણા માં યોજાયેલા વડીલોના ભાવવંદના સમારોહમાં જણાવ્યું હતું.

porbandar
કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું
આંતરરાષ્ટ્રીય સમાજ સેવી સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કુતિયાણા ખાતે આવેલ મહેર સમાજની વાડીમાં વડિલોને પ્રોત્સાહિત કરવા ભાવ વંદના કાર્યક્રમમાં ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ વધુમાં “જણાવ્યું હતું કે, રીઝવાન ફાઉન્ડેશન દ્વારા દેશ-વિદેશમાં માનવ ઉત્કર્ષના ઘણ કાર્યક્રમો કરી રહ્યા છે. તાજેતરમાં આફ્રિકાના મોઝાબિંકમાં આવેલું તુફાનના કારણે ખાનાખરાબી થઇ ત્યારે રીઝવાન અને તેની ટીમે ખડેપગે સેવા કરી હતી. વડીલો પ્રત્યે તેની સંવેદના સરાહનીય છે. ‘
porbandar
કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું
આ ફાઉન્ડેશનના કર્તાહર્તા સ્થાપક પોરબંદરના ઉદ્યોગપતિ અગ્રણી અને વિશ્વના અનેક દેશોમાં સમાજ સેવા ક્ષેત્રે નામના ધરાવતા રીઝવાન આડતીયાએ જણાવ્યું હતું કે, જીવનમાં બાળપણ, યુવાની અને ઘડપણ આવે જ છે. જેમ-જેમ ઉમર વધતી જાય તેમ તેમ સાથે જીવેલા સાથીઓની સંખ્યા ઘટતી જાય છે અને જે વૃધ્ધો એકલા પડે તેમને એકલાની લાગણી મૃત્યુ કરતાં પણ વિકરાળ લાગે છે અને જેનો જીવન સાથી કે જેની જીવનસંગીની વિદાય લે છે તેને માટે તો જીવન અત્યંત આકરૂ અને બોજા રૂપ બને છે. અત્યારની ફાસ્ટલાઇફમાં યુવાન સભ્યો સબંધોના વર્તુળ માંથી વૃદ્ધ સભ્યો માટે ભાગ્યે જ સમય ફાળવી શકે છે. આથી વૃધ્ધોની એકલતાને જડમૂળમાંથી દૂર કરવી મુશ્કેલ કાર્ય છે, પરંતુ આ વડીલોના જીવનની અમુક ક્ષણો યાદગાર બનાવી તેમના માટે જીવનની સમી સંધ્યાએ ખુશી પુષ્પ અર્પણ કરવું એ મારો ઉદેશ રહ્યો છે, આપ સૌનો સહયોગ જ મને સમાજ સેવાનું બળ આપે છે.
porbandar
કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરાયું

આ પ્રસંગે વારાણસી ગેસ્ટ ઓફ ઓનર ડો.બ્રિજનંદનજી (ગુરૂજી), દિલ્હીના શ્રી દિગમ્બર જૈન મહાસમિતિના નેશનલ પ્રેસિડન્ટ એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રીઝવાન આડતિયા ફાઉન્ડેશનના અનેકવિધ માનવ કલ્યાણ પ્રવૃતિઓમાં પોતાના રૂપિયાને છુટા હાથે ખુલ્લુ મુકાયુ છે. એ આ પોરબંદરની ધરતી માટે ગૌરવરૂપ છે. જેમના હૃદયમાં સંવેદના હોય તે જ ભાવ વંદના કરી શકે છે. માનવ ધર્મ થી મોટો કોઇ ધર્મ દુનિયામાં નથી.
આ ભાવવંદના કાર્યક્રમમાં વડીલો માટે દિવસભર ગેમ-શો, રાસ-ગરબા, સંગીતોત્સવ અને હાસ્યદરબાર યોજાયા હતા. જેમાં સુરેન્દ્રનગરના ડો. દિલીપ શાહે એ વરિષ્ઠ નાગરિક એવી વડીલોને સ્ટેજ પર લાવીને અવનવી રમતો રમાડીને તેનું બાળપણ યાદ કરાવ્યું હતું. પોરબંદરના જાણીતા તરંગ ઓરકેસ્ટ્રા રાજુભાઇ સુદ્રા , ધ્યેય થાનકી ગ્રુપે સંગીત સભર ગીતો રજુ કરીને સૌ વડીલોના મંત્રમુગ્ધ બનાવ્યા હતા અને રાજકોટના હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાએ હાસ્ય દરબાર યોજી અને વડીલોમાં હાસ્યની છોળો ઉડાડી હતી. 500 જેટલા વડીલોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. રીઝવાન આડતીયાનો ઉદેશ ફળીભૂત થતાં સૌના ચહેરાપર પ્રસન્નતા જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક હરીશભાઈ થાનકીએ સંભાળ્યું હતું. આ ગૌરવશાળી વડીલોના ભાવવંદના કાર્યક્રમમાં મુંબઈના રૂપેશભાઈ શાહ ,લંડનના રીઝવાન રહેમતુલ્લાહ ,માળિયાના મહેન્દ્રભાઈ ગાંધી ,મોઝામ્બિકના મેદાસાલાપની ,કોંગોના મીરાજભાઈ ચારણીયા,આફ્રિકાના રશ્મિબેન,પોરબંદરના જાણીતા તબીબ ડો સુરેશભાઈ ગાંધી ,હસુભાઈ બુદ્ધદેવ,અકબરીભાઈ ,જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા,હર્ષિતભાઈ રૂઘાણી સહીત પોરબંદરના નગરશ્રેષ્ઠીઓ ,પ્રબુદ્ધ નાગરિકો,હાજર રહ્યા હતા.ફાઉન્ડેશનનો સ્ટાફ,અને મહેર સમાજના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Intro:કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમ નું આયોજન કરાયું

રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કુતિયાણા મહેર સમાજ ખાતે વડીલો માટે ભાવવંદના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું જેમાં વડીલો માટે દિવસભર ગેમ શો ,રાસગરબા,સંગીત, હાસ્ય સહીત ના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમ માં ૫૦૦ જેટલા વડીલો ઉત્સાહભેર જોડાયા હતા

આપણા માતૃ દેવો ભવ અને પિતૃ દેવી ભવ ના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા ને રીઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા જીવંત રખાયો છે તેમ દિલ્હી ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ના ચીફ ઈમામ ડો. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ પોરબંદરના કુતિયાણા માં યોજાયેલા વડીલોના ભાવવંદના સમારોહ માં જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સમાજ સેવી સંસ્થા રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા કુતિયાણા ખાતે આવેલ મહેર સમાજ વાડી માં વડીલો ને પ્રોત્સાહિત કરતા ભાવ વંદના કાર્યક્રમમાં ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીએ વધુમાં “જણાવ્યું હતું કે, રીઝવાન ફાઉન્ડેશન દ્વારા દેશ-વિદેશમાં માનવ ઉત્કર્ષના અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. તાજેતરમાં આફ્રિકાના મોઝાબિંકમાં આવેલું તુફાન ના કારણે ખાનાખરાબી થઇ ત્યારે રીઝવાન અને તેની ટીમે ખડેપગે સેવા કરી છે. વડીલો પ્રત્યે તેની સંવેદના સરાહનીય છે. ‘
રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ફોર સોશ્યલ એન્ડ કલ્ચરલ ડેવલપમેન્ટ ના કર્તાહર્તા સ્થાપક પોરબંદરના ઉદ્યોગપતિ અગ્રણી અને વિશ્વના અનેક દેશોમાં સમાજ સેવા ક્ષેત્રે નામના ધરાવતા રીઝવાન આડતીયાએ સ્વાગત કરતા જણાવ્યું હતું કે, જીવનમાં બાળપણ, યુવાની તેમજ ઘડપણ આવે જ છે. જેમ-જેમ ઉમર વધતી જાય તેમ તેમ સાથે જીવેલા સાથીઓની સંખ્યા ઘટતી જાય છે અને જે વૃધ્ધો એકલા પડે તેમને એકલાની લાગણી મૃત્યુ કરતાં પણ વિકરાળ લાગે છે અને જેનો જીવન સાથી કે જેની જીવનસંગીની વિદાય લે છે તેને માટે તો જીવન અત્યંત આકરૂ અને બોજા રૂપ લાગે છે. અત્યાર ફાસ્ટલાઇફમાં પરિવારના યુવાન સભ્યો સબંધોના વર્તુળ માંથી વૃદ્ધ સભ્યો માટે ભાગ્યે જ સમય ફાળવી શકે છે. આથી વૃધ્ધોની એકલતા ને જડમૂળમાંથી દૂર કરવી મુશ્કેલ કાર્ય છે પરંતુ આ વડીલોના જીવનની અમુક ક્ષણો યાદગાર બનાવી તેમના માટે જીવનની સમી સંધ્યાએ ખુશી પુષ્પ અર્પણ કરવું એ મારો ઉદેશ રહ્યો છે આપ સૌનો સહયોગ જ મને સમાજ સેવાનું બળ આપે છે

આ પ્રસંગે વારાણસી ગેસ્ટ ઓફ ઓનર ડો.બ્રિજનંદનજી (ગુરૂજી), દિલ્હીના શ્રી દિગમ્બર જૈન મહાસમિતિના નેશનલ પ્રેસિડન્ટ એ પોતાના પ્રાસંગિક ઉદબોધન માં રીઝવાન આડતિયા ફાઉન્ડેશન ના અનેકવિધ માનવ કલ્યાણ પ્રવૃતિઓમાં પોતાના દ્રવ્ય (રૂપિયા)ને છુટા હાથે ખુલ્લુ મુકાયુ છે. એ આ પોરબંદરની ધરતી માટે ગૌરવરૂપ છે. જેમના હૃદયમાં સંવેદના હોય તે જ ભાવ વંદના કરી શકે છે. માનવ ધર્મ થી મોટો કોઇ ધર્મ દુનિયામાં નથી,
Body:આ ભાવવંદના કાર્યક્રમમાં ગેમ-શો, રાસ-ગરબા, સંગીતોત્સવ અને હાસ્યદરબાર યોજાયા હતા. જેમાં સુરેન્દ્રનગરના ડો. દિલીપ શાહે એ વરિષ્ઠ નાગરિક એવી વડીલોને સ્ટેજ પર લાવીને અવનવી રમતો રમાડીને તેનું બાળપણ યાદ કરાવ્યું હતું. પોરબંદર ના જાણીતા તરંગ ઓરકેસ્ટ્રા રાજુભાઇ સુદ્રા , ધ્યેય થાનકી ગ્રુપે સંગીત સભર ગીતો રજુ કરીને સૌ વડીલોના મંત્રમુગ્ધ બનાવ્યા હતા અને રાજકોટ ના હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા એ હાસ્ય દરબાર યોજી અને વડીલોમાં હાસ્યની છોળો ઉડાડી હતી. પ૦૦ જેટલા વડીલોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. રીઝવાન આડતીયા નો ઉદેશ ફળીભૂત થતાં સૌના ચહેરાપર પ્રસન્નતા જોવા મળી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઉદઘોષક હરીશભાઈ થાનકી એ સંભાળ્યું હતું આ ગૌરવશાળી વડીલો ના ભાવવંદના કાર્યક્રમ માં મુંબઈ ના રૂપેશભાઈ શાહ ,લંડન ના રીઝવાન રહેમતુલ્લાહ ,માળિયા ના મહેન્દ્રભાઈ ગાંધી ,મોઝામ્બિક ના મેદાસાલાપની ,કોંગો ના મીરાજભાઈ ચારણીયા,આફ્રિકા ના રશ્મિબેન,પોરબંદર ના જાણીતા તબીબ ડો સુરેશભાઈ ગાંધી ,હસુભાઈ બુદ્ધદેવ,અકબરીભાઈ ,જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા,હર્ષિતભાઈ રૂઘાણી સહીત પોરબંદર ના નગરશ્રેષ્ઠીઓ ,પ્રબુદ્ધ નાગરિકો,હાજર રહ્યા હતા .રીઝવાન આડતિયા ફાઉન્ડેશન નો સ્ટાફ,અને મહેર સમાજ ના કાર્યકર્તાઓ એ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.