પોરબંદર પોરબંદરની ગોપાલ શિપિંગ કંપનીનું જહાજ એમ એસ વી દેવીકૃપા પીબીઆર 3330 તારીખ 29 નવેમ્બરે રોજ શાહજહાં પોટથી બોસાશો આફ્રિકા જવા નીકળ્યું હતું જ્યાં માલ ભરીને રવાના થયું હતું.આ જહાજ ડૂબી ગયું (Porbandar ship sank in Oman sea ) હતું.
આ પણ વાંચો પોરબંદરથી UAE જતું જહાજ ડૂબ્યું, આ રીતે કરાયું રેસ્ક્યુ ઓપરેશન
ઓમાન રોયલ પોલીસ દ્વારા રેસ્ક્યૂ ત્યારે એમ એસ વી દેવીકૃપા પીબીઆર 3330 તારીખ 9 ડીસેમ્બરના રોજ બપોરના સમયે હવામાન ખામીના કારણે વહાણ ડૂબી ગયું હતું. આ બાબતની જાણ થતા ઓમાન રોયલ પોલીસ દ્વારા રેસ્ક્યુ (Crew members rescued by Oman Royal Police )કરવામાં આવ્યું હતું અને તમામ 9 ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતાં હાલ તેઓ ઓમાનના સુર બંદર પર સુરક્ષિત છે જહાજ 1200 ટનની ક્ષમતા ધરાવતું હતું.