ETV Bharat / state

સરદાર પટેલના જીવન યાત્રા મુદ્દે લેખક રમેશ તન્નાનું ઈન્ટરવ્યું

author img

By

Published : Oct 30, 2020, 10:13 AM IST

સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સરદાર વલ્લભ ભાઈ પટેલના જીવનને લઈ અમદાવાદના લેખક રમેશ તન્ના પાસેથી સરદારના જીવન વિશેની માહિતી મેળવીએ.

સરદાર પટેલના જીવન યાત્રા મુદ્દે લેખક રમેશ તન્નાનું ઈન્ટરવ્યું
સરદાર પટેલના જીવન યાત્રા મુદ્દે લેખક રમેશ તન્નાનું ઈન્ટરવ્યું
  • 145મી સરદાર પટેલની જન્મ જયંતી
  • ભારતના આર્યન મેનની દેશની સેવા અમૂલ્ય
  • સરદાર પટેલનું જીવન અત્યંત રૂચીથી ભરપુર
  • બેરીસ્ટરની પદવી 36 વર્ષની ઉંમરે મેળવી
  • ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો

સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિની તૈયારીઓ શરૂ

અમદાવાદઃ સરદાર વલ્લભ ભાઈ પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સરદાર વલ્લભ ભાઈ પટેલના જીવનને લઈ અમદાવાદના લેખક રમેશ તન્ના પાસેથી સરદારના જીવન વિશેની માહિતી મેળવી હતી શું માની રહ્યા છે અને સરદારના જીવન વિશે તેમનું શું કહેવું છે તે જાણીએ આ અહેવાલમાં.

સરદાર પટેલના જીવન યાત્રા મુદ્દે લેખક રમેશ તન્નાનું ઈન્ટરવ્યું
દેશની અજોડ પ્રતિભા

સરદાર વલ્લભભાઈ પટેલે દેશની અજોડ પ્રતિભા હતા. દેશને આઝાદ કરાવવાની ચળવળમાં સરદાર પટેલની ભૂમિકા મહત્વની રહી છે. 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઈ 1917માં ચૂટણી લડ્યા

મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચૂંટણીમાં ઉતરી 1917માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના બ્રિટિશ અધિકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે, પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે.

જન્મજયંતિને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
સરદાર વલ્લભભાઈ તમામ લોકો માટે એક આદર્શ છે. આજે એમની જન્મજયંતિને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે સરદારના જન્મજયંતીના દિવસે ગુજરાતના અમદાવાદમાં સી પ્લેનની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત મહત્વનું છે કે જે તે સમયે સરદાર પટેલને જો વડાપ્રધાન હોત તો દેશને અનેક ફાયદા થયા હોત અને ભારતની પ્રતીભા વિશ્વમાં અલગ જ હોત.

  • 145મી સરદાર પટેલની જન્મ જયંતી
  • ભારતના આર્યન મેનની દેશની સેવા અમૂલ્ય
  • સરદાર પટેલનું જીવન અત્યંત રૂચીથી ભરપુર
  • બેરીસ્ટરની પદવી 36 વર્ષની ઉંમરે મેળવી
  • ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો

સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિની તૈયારીઓ શરૂ

અમદાવાદઃ સરદાર વલ્લભ ભાઈ પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સરદાર વલ્લભ ભાઈ પટેલના જીવનને લઈ અમદાવાદના લેખક રમેશ તન્ના પાસેથી સરદારના જીવન વિશેની માહિતી મેળવી હતી શું માની રહ્યા છે અને સરદારના જીવન વિશે તેમનું શું કહેવું છે તે જાણીએ આ અહેવાલમાં.

સરદાર પટેલના જીવન યાત્રા મુદ્દે લેખક રમેશ તન્નાનું ઈન્ટરવ્યું
દેશની અજોડ પ્રતિભા

સરદાર વલ્લભભાઈ પટેલે દેશની અજોડ પ્રતિભા હતા. દેશને આઝાદ કરાવવાની ચળવળમાં સરદાર પટેલની ભૂમિકા મહત્વની રહી છે. 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઈ 1917માં ચૂટણી લડ્યા

મિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચૂંટણીમાં ઉતરી 1917માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધિકારી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમના બ્રિટિશ અધિકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે, પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે.

જન્મજયંતિને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
સરદાર વલ્લભભાઈ તમામ લોકો માટે એક આદર્શ છે. આજે એમની જન્મજયંતિને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે સરદારના જન્મજયંતીના દિવસે ગુજરાતના અમદાવાદમાં સી પ્લેનની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત મહત્વનું છે કે જે તે સમયે સરદાર પટેલને જો વડાપ્રધાન હોત તો દેશને અનેક ફાયદા થયા હોત અને ભારતની પ્રતીભા વિશ્વમાં અલગ જ હોત.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.