ETV Bharat / state

ખંભાળા ગામમાં વિનામૂલ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત - Gujaratinews

પોરબંદર: સમગ્ર દેશમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જિલ્લામાં આવેલા ખંભાળામાં પણ વિનામુલ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે.

ખંભાળા ગામમાં વિનામૂલ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત
author img

By

Published : Jul 3, 2019, 5:32 AM IST

પોરબંદર ગુજરાત સરકારનાં 100 ટકા ભંડોળથી મોડેલ-2 પ્રકારની હોસ્ટેલ કાર્યરત છે. આ હોસ્ટેલમાં ધો. 6થી 10 સુધીની બાલિકાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. કુદરતના ખોળે બરડા ડુંગરની ગોદમાં આવેલા રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં SC, ST, OBC અને લઘુમતિ સમાજની ધો. 6થી ધો.10 સુધીની 100 બાલિકાઓ રહે છે. તેઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, રહેવા તેમજ જમવા સહિતની સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે.

Porbandar
હોસ્ટેલમાં સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે

પોરબંદર સર્વ શિક્ષણ અભિયાન ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર વૈશાલી પટેલે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વિશે જાણકારી આપતા જણાવ્યું કે, રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં વર્ષ 2013-14થી આ હોસ્ટેલ કાર્યરત છે. આ હોસ્ટેલમાં ધો. 6થી 10ની બાલીકાઓને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં જે ડ્રોપ આઉટ છે, જેના માતા-પિતામાંથી કોઇનું અવસાન થયું હોય અથવા અનાથ હોય, બાળકીઓનો પરિવાર સ્થળાંતરિત જીવન જીવતા હોય તો તેઓને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મેળવેલી બાળકીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, જમવાનું, રહેવાનું, પહેરવાનાં કપડા, મેડીકલ સુવિધા તેમ બાળકીઓની તમામ જરૂરિયાત સરકાર પુરી પાડે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખંભાળા ગામમાં આવેલી હોસ્ટેલનો વાર્ષિક ખર્ચ 44.2 લાખ રૂપિયા થાય છે જે સરકાર ઉઠાવે છે. બાળકીઓને શિક્ષણની સાથે રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, ખાસ દિવસોની ઉજવણી, વિજ્ઞાન મેળા, શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવે છે. શારિરીક રીતે નબળી બાળકીઓ પર વિશેષ કાળજી રાખવામાં આવે છે. હોસ્ટેલમાં દરરોજ નિયત મેનુ મુજબ સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે. તથા હોસ્ટેલમાં બાળકીઓ માટે દરરોજ 22 લીટર દુધ આવે છે.

પોરબંદરમાં 32 નેસ આવેલા છે. જેમાં ડ્રોપ આઉટ બાળકીઓનું પ્રમાણ સામાન્ય રીતે વધુ હોય છે. જેથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો સ્ટાફ જિલ્લાના નેસ વિસ્તારોમાં જઇને સર્વે કરે છે. તેમજ ડ્રોપ આઉટ થયેલી બાળકીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે હોસ્ટેલમાં લાવવામાં આવે છે. જુદા-જુદા નેસની બાળકીઓ ધો. 5માં ભણીને ડ્રોપ આઉટ થઈ છે, એ વિશે જાણ થતા અમારી ટીમ છોકરીઓને હોસ્ટેલ લઇ આવ્યા અને આ પાંચેય બાળકીઓએ ધો.10 પાસ કરીને ધો. 11માં એડમિશન લીધું છે. દેવભુમિ દ્વારકાના જામખિરસરા ગામની વેસરા સોનલ ધો.7માં અભ્યાસ કરે છે. તેનો પરિવાર માલધારી હોવાથી જુદા-જુદા જિલ્લાઓમાં ફરવાનું રહે છે. જેથી સોનલને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા પ્રવેશ મળ્યો અને તેનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આમ, હાલ 100 બાલિકાઓ અહીં સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી રહી છે.

પોરબંદર ગુજરાત સરકારનાં 100 ટકા ભંડોળથી મોડેલ-2 પ્રકારની હોસ્ટેલ કાર્યરત છે. આ હોસ્ટેલમાં ધો. 6થી 10 સુધીની બાલિકાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. કુદરતના ખોળે બરડા ડુંગરની ગોદમાં આવેલા રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં SC, ST, OBC અને લઘુમતિ સમાજની ધો. 6થી ધો.10 સુધીની 100 બાલિકાઓ રહે છે. તેઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, રહેવા તેમજ જમવા સહિતની સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે.

Porbandar
હોસ્ટેલમાં સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે

પોરબંદર સર્વ શિક્ષણ અભિયાન ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર વૈશાલી પટેલે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વિશે જાણકારી આપતા જણાવ્યું કે, રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં વર્ષ 2013-14થી આ હોસ્ટેલ કાર્યરત છે. આ હોસ્ટેલમાં ધો. 6થી 10ની બાલીકાઓને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં જે ડ્રોપ આઉટ છે, જેના માતા-પિતામાંથી કોઇનું અવસાન થયું હોય અથવા અનાથ હોય, બાળકીઓનો પરિવાર સ્થળાંતરિત જીવન જીવતા હોય તો તેઓને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મેળવેલી બાળકીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, જમવાનું, રહેવાનું, પહેરવાનાં કપડા, મેડીકલ સુવિધા તેમ બાળકીઓની તમામ જરૂરિયાત સરકાર પુરી પાડે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખંભાળા ગામમાં આવેલી હોસ્ટેલનો વાર્ષિક ખર્ચ 44.2 લાખ રૂપિયા થાય છે જે સરકાર ઉઠાવે છે. બાળકીઓને શિક્ષણની સાથે રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, ખાસ દિવસોની ઉજવણી, વિજ્ઞાન મેળા, શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવે છે. શારિરીક રીતે નબળી બાળકીઓ પર વિશેષ કાળજી રાખવામાં આવે છે. હોસ્ટેલમાં દરરોજ નિયત મેનુ મુજબ સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે. તથા હોસ્ટેલમાં બાળકીઓ માટે દરરોજ 22 લીટર દુધ આવે છે.

પોરબંદરમાં 32 નેસ આવેલા છે. જેમાં ડ્રોપ આઉટ બાળકીઓનું પ્રમાણ સામાન્ય રીતે વધુ હોય છે. જેથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો સ્ટાફ જિલ્લાના નેસ વિસ્તારોમાં જઇને સર્વે કરે છે. તેમજ ડ્રોપ આઉટ થયેલી બાળકીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે હોસ્ટેલમાં લાવવામાં આવે છે. જુદા-જુદા નેસની બાળકીઓ ધો. 5માં ભણીને ડ્રોપ આઉટ થઈ છે, એ વિશે જાણ થતા અમારી ટીમ છોકરીઓને હોસ્ટેલ લઇ આવ્યા અને આ પાંચેય બાળકીઓએ ધો.10 પાસ કરીને ધો. 11માં એડમિશન લીધું છે. દેવભુમિ દ્વારકાના જામખિરસરા ગામની વેસરા સોનલ ધો.7માં અભ્યાસ કરે છે. તેનો પરિવાર માલધારી હોવાથી જુદા-જુદા જિલ્લાઓમાં ફરવાનું રહે છે. જેથી સોનલને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા પ્રવેશ મળ્યો અને તેનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આમ, હાલ 100 બાલિકાઓ અહીં સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી રહી છે.

Intro:બરડા ડુંગરની ગોદમાં ખંભાળા ગામે વિનામૂલ્યે શિક્ષણ-રહેવા-જમવાની સુવીધા સાથેની કસ્તુરબા ગાંધી બાલીકા વિધાલય કાર્યરત


“સૈા ભણે સૈા આગળ વધે” ધ્યેય સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિક રૂા. ૪૪.૨ લાખનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

         પોરબંદર, આજનું બાળક કાલનું ભવિષ્ય છે. દેશનાં બાળકોને જો શિક્ષણ મળે નહીં તો દેશ પ્રગતિ કરી શકે નહીં. વ્યક્તિ, સમાજ અને દેશના ઘડતર અને વિકાસ માટે શિક્ષણ સૈાથી મહત્વનું અને ખુબ જ જરૂરી છે. ત્યારે છેવાડાના બાળકો પણ ભણી-ગણીને આગળ વધી શકે તે માટે સમગ્ર દેશમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે.
         પોરબંદર જિલ્લામાં ગુજરાત સરકારનાં ૧૦૦ ટકા ભંડોળથી મોડેલ-૨ પ્રકારની હોસ્ટેલ કાર્યરત છે. આ હોસ્ટેલમાં ધો. ૬ થી ૧૦ સુધીની બાલિકાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. કુદરતના ખોળે બરડા ડુંગરની ગોદમાં આવેલા રાણાવાવ તાલુકાનાં ખંભાળા ગામમાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., અને લઘુમતિ સમાજની ધો. ૬ થી ધો.૧૦ સુધીની ૧૦૦ બાલિકાઓ રહે છે. તેઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, રહેવા તેમજ જમવા સહિતની સુવિધા જવિનામુલ્યે આપવામાં આવે છે.
         પોરબંદર સર્વ શિક્ષણ અભિયાન ગર્લ્સ એજ્યુકેશન ઓફીસર વૈશાલીબેન આર. પટેલે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વિશે જાણકારી આપતા જણાવ્યું કે, રાણાવાવ તાલુકાનાં ખંભાળા ગામે વર્ષ ૨૦૧૩-૧૪ થી આ પ્રકારની હોસ્ટેલ કાર્યરત છે. આ પ્રકારની હોસ્ટેલમાં ધો. ૬ થી ધો. ૧૦ ની એવી બાલીકાઓને પ્રવેશ આપવામાં આવે છે કે, જે ડ્રોપ આઉટ છે, તેના માં-બાપ માંથી કોઇનું અવસાન થયુ હોય અથવા અનાથ હોય, બાળકીઓનો પરિવાર સ્થળાંતરીત જીવન જીવતા હોય તો તેઓને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મેળવેલી બાળકીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, જમવાનું, રહેવાનું, પહેરવાનાં કપડા, મેડીકલ સુવિધા આમ બાળકીઓની તમામ જરૂરીયાત સરકાર પુરી પાડે છે.
         વૈશાલી બહેને જણાવ્યું કે, ખંભાળા ગામમાં આવેલી હોસ્ટેલનો વાર્ષિક ખર્ચ ૪૪.૨ લાખ રૂપિયા થાય છે જે સરકાર ઉઠાવે છે. બાળકીઓને શિક્ષણની સાથે રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, ખાસ દિવસોની ઉજવણી, વિજ્ઞાન મેળા, શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવે છે. શારિરીક રીતે નબળી બાળકીઓ પર વિશેષ કાળજી રાખવામાં આવે છે. હોસ્ટેલમાં દરરોજ નિયત મેનુ મુજબ સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે. તથા હોસ્ટેલમાં બાળકીઓ માટે દરરોજ ૨૨ લીટર દુધ આવે છે.
         Body:પોરબંદર જિલ્લામાં ૩૨ નેસ આવેલા છે. જેમાં ડ્રોપ આઉટ બાળકીઓનું પ્રમાણ સામાન્ય રીતે વધું હોય છે. જેથી કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયનો સ્ટાફ જિલ્લાનાં નેસ વિસ્તારોમાં જઇને સર્વે કરે છે અને ડ્રોપ આઉટ થયેલી બાળકીઓનું શિક્ષણ બગડે નહી તે માટે હોસ્ટેલમાં લાવવામાં આવે છે. વૈશાલી બહેને જણાવ્યું કે, જુદા-જુદા નેસની બાળકીઓમાં મોરી લીલુ પુનાભાઇ, મોરી હીરૂ બોઘાભાઇ, મોરી રાજુ જીવાભાઇ તથા મોરી ધર્મિષ્ઠા સુરાભાઇ ધો. પાંચમાં ભણીને ડ્રોપ આઉટ થયેલી બાળકીઓ વિશે જાણ થતા અમારી ટીમ છોકરીઓને હોસ્ટેલ લઇ આવ્યા અને આ ચારેય દિકરીઓએ ધો. ૧૦ મુ પાસ કરીને ધો. ૧૧ મા એડમિશન લીધુ છે. દેવભુમિ દ્રારકા જિલ્લાના જામખિરસરા ગામની વેસરા સોનલબેન ધો. ૭ માં અભ્યાસ કરે છે . તેનો પરિવાર માલધારી હોવાથી જુદા જુદા જિલ્લાઓમા ફરવાનુ રહે છે. જેથી સોનલને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમા પ્રવેશ મળ્યો અને તેનુ શિક્ષણ શરૂ કરવામા આવ્યું છે, આમ હાલ ૧૦૦ બાલીકાઓ અહિં સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી રહી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.