બારાડી પંથકમાંથી પશુ માટે સુકો ઘાસચારો ભરીને અડવાણા ગામે આવી રહેલો તે દરમિયાન અડવાણા ધીંગેશ્વર મહાદેવ મંદિરના રસ્તે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન PGVCLના વીજ વાયરને અડકી જતા ટ્રક સળગવા લાગ્યો હતો. જેથી ટ્રક ડ્રાઇવરે સમય સુચકતા વાપરી સળગતા ટ્રકને ખુલા મેદાનમાં લઇ ગયો હતો અને આસપાસના વાડી વિસ્તારના ખેડુતો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં લીધી હતી. જો કે સુકો ઘાસચારો સંપૂર્ણ પણે સળગી જતા ખેડુતને અંદાજીત 60 હજાર રૂપિયાનું નુકશન થયું હતું
