ETV Bharat / state

ચોમાસામાં સંભવિત મુશ્કેલીઓને પહોંચી વળવા કલેક્ટરે બોલાવી બેઠક

પોરબંદરઃ આગામી વર્ષાઋૃતુ દરમિયાન પોરબંદર જિલ્લામાં સંભવિત કુદરતી આફતો પૂર-વાવાઝોડા કે માનવ સર્જીત આફતો સંદર્ભે આગોતરા આયોજન અને ચર્ચા માટે જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

author img

By

Published : May 11, 2019, 11:40 PM IST

આગામી ચોમાસા દરમ્યાન સંભવિત મુશ્કેલીઓને પહોંચી વળવા આગોતરા આયોજન માટે બેઠક યોજાઇ હતી

આ બેઠકમાં પ્રિમોનસુન અને ડ્યુરીંગ મોનસુન બાબતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કલેક્ટરે જણાવ્યું કે, તાલુકા તથા શહેરી લેવલે સંબંધિત કચેરીઓએ કંટ્રોલરૂમ 1લી જૂનથી શરૂ કરવા અને જિલ્લાના કંટ્રોલરૂમને રીપોર્ટ આપવા સાથે પૂર, વાવાઝોડું, વરસાદના સમયે દર 2 કલાકે જિલ્લા કંટ્રોલરૂમને રીપોર્ટ આપવો જરૂરી છે. છેવાડાના ગામડા સાથે પણ જોડાઇ રહેવું શેલ્ટર હોમ નક્કી કરવા તેમજ પ્રિમોનસૂન કામગીરીથી ચોકસાઇ પૂર્વક કરવી જેથી આફત ટાળી શકાય.

કલેક્ટરે ડેમના પાળા મજબૂત કરવા, રસ્તા પર રહેલા બાવળિયા જે પાણીના નિકાલને રોકે છે તેને સાફ કરાવવા, વાવાઝોડા કે પૂરના સમયે તરવૈયા સાથે સંપર્કમાં રહેવું. વરસાદના કારણે જિલ્લાનું એક પણ ગામ સંપર્ક વિહોણું ન રહે તેની પૂરી કાળજી લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Porbandar
આગામી ચોમાસા દરમ્યાન સંભવિત મુશ્કેલીઓને પહોંચી વળવા આગોતરા આયોજન માટે બેઠક યોજાઇ હતી

વરસાદ દરમ્યાન ટી.ડી.ઓ.તથા મામલતદારોએ ગામડાઓ સાથે જીવંત સંપર્ક રાખવો તેમજ રોગચાળો ના ફેલાય તેની તકેદારી લેવી. આ ઉપરાંત કલેકટરએ ચોમાસુ સારૂ જાય અને કોઇ મુશ્કેલી વગર જાય તેવી આશા વ્યકત કરી હતી.અધિક કલેકટર એમ.એચ.જોષીએ અધિકારીઓને વર્ષાઋૃતૃ સમયે પોતાની કચેરીના ફરજમાં આવતા કામ 10 દિવસમાં પૂર્ણ કરીને રીપોર્ટ આપવા જણાવ્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ,પ્રાંત અધિકારી , કુતિયાણાનાં પ્રાંત અધિકારી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક , મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા અને વિવિધ કચેરીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પ્રિમોનસુન અને ડ્યુરીંગ મોનસુન બાબતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કલેક્ટરે જણાવ્યું કે, તાલુકા તથા શહેરી લેવલે સંબંધિત કચેરીઓએ કંટ્રોલરૂમ 1લી જૂનથી શરૂ કરવા અને જિલ્લાના કંટ્રોલરૂમને રીપોર્ટ આપવા સાથે પૂર, વાવાઝોડું, વરસાદના સમયે દર 2 કલાકે જિલ્લા કંટ્રોલરૂમને રીપોર્ટ આપવો જરૂરી છે. છેવાડાના ગામડા સાથે પણ જોડાઇ રહેવું શેલ્ટર હોમ નક્કી કરવા તેમજ પ્રિમોનસૂન કામગીરીથી ચોકસાઇ પૂર્વક કરવી જેથી આફત ટાળી શકાય.

કલેક્ટરે ડેમના પાળા મજબૂત કરવા, રસ્તા પર રહેલા બાવળિયા જે પાણીના નિકાલને રોકે છે તેને સાફ કરાવવા, વાવાઝોડા કે પૂરના સમયે તરવૈયા સાથે સંપર્કમાં રહેવું. વરસાદના કારણે જિલ્લાનું એક પણ ગામ સંપર્ક વિહોણું ન રહે તેની પૂરી કાળજી લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Porbandar
આગામી ચોમાસા દરમ્યાન સંભવિત મુશ્કેલીઓને પહોંચી વળવા આગોતરા આયોજન માટે બેઠક યોજાઇ હતી

વરસાદ દરમ્યાન ટી.ડી.ઓ.તથા મામલતદારોએ ગામડાઓ સાથે જીવંત સંપર્ક રાખવો તેમજ રોગચાળો ના ફેલાય તેની તકેદારી લેવી. આ ઉપરાંત કલેકટરએ ચોમાસુ સારૂ જાય અને કોઇ મુશ્કેલી વગર જાય તેવી આશા વ્યકત કરી હતી.અધિક કલેકટર એમ.એચ.જોષીએ અધિકારીઓને વર્ષાઋૃતૃ સમયે પોતાની કચેરીના ફરજમાં આવતા કામ 10 દિવસમાં પૂર્ણ કરીને રીપોર્ટ આપવા જણાવ્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ,પ્રાંત અધિકારી , કુતિયાણાનાં પ્રાંત અધિકારી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક , મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા અને વિવિધ કચેરીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદર જિલ્લામાં આગામી ચોમાસા દરમ્યાન સંભવિત આફતોને પહોંચી વળવા 
આગોતરા આયોજન માટે બેઠક યોજાઇ

          પોરબંદર, આગામી વર્ષાઋુતુ દરમ્યાન પોરબંદર જિલ્લામાં સંભવિત કુદરતી આફતો પૂર-વાવાઝોડા કે માનવ સર્જીત આફતો સંદર્ભે આગોતરા આયોજન અને ચર્ચા માટે જિલ્લા કલેકટર મુકેશ પંડયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. 
         આ બેઠકમાં પ્રિમોનસુન અને ડ્યુરીંગ મોનસુન બાબતે જિલ્લાનાં અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કલેકટરએ જણાવ્યુ કે, તાલુકા તથા શહેરી લેવલે સબંધિત કચેરીઓએ કંટ્રોલરૂમ ૧ લી જુન થી શરૂ કરવા અને જિલ્લાનાં કંટ્રોલરૂમને રીપોર્ટ આપવા સાથે પુર, વાવાઝોડું, વરસાદનાં સમયે દર બે કલાકે જિલ્લા કંટ્રોલરૂમને રીપોર્ટ આપવો જરૂરી છે. છેવાડાનાં ગામડા સાથે પણ જોડાઇ રહેવું સેલ્ટર હોમ નકિક કરવા તેમજ પ્રિમોનસુન કામગીરીથી ચોકસાઇ પૂર્વક કરવી જેથી આફત ટાળી શકાય. 
          કલેકટરએ ડેમનાં પાળા મજબુત કરવા, રસ્તા પર રહેલા બાવળિયા જે પાણીના નિકાલને રોકે છે તેને સાફ કરાવવા, વાવાઝોડા કે પુરના સમયે તરવૈયા સાથે સંપર્કમાં રહેવું. વરસાદનાં કારણે જિલ્લાનું એક પણ ગામ સંપર્ક વિહોણુ ના રહે તેની પુરી કાળજી લેવા માર્ગદર્શન આપ્યુ હતુ. વરસાદ દરમ્યાન ટી.ડી.ઓ.તથા મામલતદારોએ ગામડાઓ સાથે જીવંત સંપર્ક રાખવો તેમજ  રોગચાળો ન ફેલાય તેની તકેદારી લેવી. આ ઉપરાંત કલેકટરએ ચોમાસુ સારૂ જાય અને કોઇ મુશ્કેલી વગર જાય તેવી આશા વ્યકત કરી હતી.. અધિક કલેકટર એમ.એચ.જોષીએ અધિકારીઓને વર્ષાઋુતુ સમયે પોતાની કચેરીના ફરજમાં આવતા કામ ૧૦ દિવસમાં પૂર્ણ કરીને રીપોર્ટ આપવા જણાવ્યુ હતું.
           આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, કુતિયાણાનાં પ્રાંત અધિકારી એ.જે.અંસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલીકા અને વિવિધ કચેરીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.