ETV Bharat / state

બાળકીને રસીકરણનું ઇન્જેક્શન અપાતા મોત થયું કે પછી..?

પોરબંદર: શહેરના ખાપટ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ પરમારના ઘરે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પુત્રીને રસીકરણનું ઇન્જેક્શન આપ્યું હતું. તેમની પુત્રી રાત્રિના સુઈ ગયા બાદ કોઈ પ્રકારનું હલનચલન ન કરતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબે તેનું મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકીના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે, રસીકરણના કારણે તેમની બાળકીનું મોત થયું છે.

author img

By

Published : Jul 22, 2019, 10:33 PM IST

Updated : Jul 22, 2019, 10:54 PM IST

Porbandar

આ સમગ્ર બાબતે પોરબંદરના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી એ. જી રાઠોડે જણાવ્યું હતું કે, બાળકીના મૃત્યુ અંગે તપાસ ચાલી રહી છે. બાળકીનો મૃતદેહ જામનગર પોસ્ટર્મોટમ અર્થે મોકલવામાં આવ્યો છે. રસીકરણ અભિયાન અંતર્ગત વિસ્તારના અનેક બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય બાળકોમાંથી કોઈ ફરિયાદ આવી નથી.

પોરબંદરમાં રસીકરણ બાદ બાળકીનું મોત !

આથી પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીનું રસીકરણથી મૃત્યુ થયું છે કે કેમ, તેનો ખ્યાલ આવશે.

આ સમગ્ર બાબતે પોરબંદરના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી એ. જી રાઠોડે જણાવ્યું હતું કે, બાળકીના મૃત્યુ અંગે તપાસ ચાલી રહી છે. બાળકીનો મૃતદેહ જામનગર પોસ્ટર્મોટમ અર્થે મોકલવામાં આવ્યો છે. રસીકરણ અભિયાન અંતર્ગત વિસ્તારના અનેક બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય બાળકોમાંથી કોઈ ફરિયાદ આવી નથી.

પોરબંદરમાં રસીકરણ બાદ બાળકીનું મોત !

આથી પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીનું રસીકરણથી મૃત્યુ થયું છે કે કેમ, તેનો ખ્યાલ આવશે.

Intro:પોરબંદરમાં રસીકરણ નું ઈન્જેકશન આપ્યા બાદ બાળકીનું મોત!



પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ પરમારની પોણા બે માસ ની દીકરી કિરણ ને ઘરે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગત શનિવારે આવ્યા હતા અને શનિવારે બાર વાગ્યા આસપાસ કિરણને રસીકરણ નું ઇન્જેક્શન આપ્યું જ્યારે રાત્રીના સાડા દસ કલાક સુધી બાળકી રમતી હતી પરંતુ શનિવારે રાત્રિના સુઈ ગયા બાદ રવિવારે સવારે ૬ કલાકે તેની માતાએ જોયું તો બાળકી કોઈ પ્રકારનું હલનચલન ન કરતી હોવાથી તેના પિતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું જ્યારે બાળકીના માતા પિતાએ આક્ષેપ કર્યો હતો કે રસીકરણ ના કારણે તેની બાળકીનું મોત નીપજ્યું છે

સમગ્ર બાબતે પોરબંદરના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી એ જી રાઠોડે જણાવ્યું હતું કે બાળકીના મોત અંગે તપાસ ચાલી રહી છે બાળકી નો મૃતદેહ જામનગર પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે અને પીએમ રિપોર્ટમાં જ સત્ય હકીકત બહાર પડશે જોકે રસીકરણ અભિયાન અંતર્ગત તેજ વિસ્તારના અનેક બાળકોને રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે અન્ય બાળકોમાંથી કોઈ ફરિયાદ આવી નથી આથી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીનું રસીકરણથી મોત થયું છે કે કેમ તેનો ખ્યાલ આવશે


Body:.બાઈટ મનીષાબેન (બાળકીના માતા)

બાઈટ એ જી રાઠોડ (ઇનચાર્જ આરોગ્ય અધિકારી ,પોરબંદર)


Conclusion:
Last Updated : Jul 22, 2019, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.