ETV Bharat / state

કમોસમી વરસાદના લીધે પોરબંદરના ઘેડ પંથકમાં ખેડુતોને નુકસાન

પોરબંદરઃ પંથકમાં છેલ્લા બે વર્ષથી વરસાદ નહીવત પ્રમાણમાં આવતો હતો. જેના કારણે ખેડૂતો ખેતી કરી શકતા ન હતા અને પાક ઉગાડી શકતા ન હતાં. પરંતુ, આ વર્ષે વરસાદને લઇને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોએ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

author img

By

Published : Oct 30, 2019, 8:08 PM IST

કમોસમી વરસાદના લીધે પોરબંદરના ઘેડ પંથકમાં ખેડુતોને મોટું નુકસાન

ચોમાસામાં વરસાદ પડવાનો શરૂ થયો તો વરસાદે એટલી હદે માઝા મૂકી કે ખેડૂતોના પાકનું સંપૂર્ણ પણે ધોવાણ થયું અને જમીનનું પણ ધોવાણ થયું હતું. જેના પગલે હાલમાં પણ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. પોરબંદરના ઘેડ પંથકના નવાગામ, એરડા, દેરોદર, મિત્રાળા, કેશોદ, લુશાળા, ચિકાસા સહિતના ૨૨ જેટલા ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ભરાઇ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદના લીધે પોરબંદરના ઘેડ પંથકમાં ખેડુતોને મોટું નુકસાન

આ અંગે ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજા તથા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકને પણ રજૂઆતો કરી હતી. તેઓએ કૃષિ પ્રધાન સહિત મુખ્યપ્રધાનને પણ 1 મહિના પહેલા રજૂઆત કરી હતી.

ચોમાસામાં વરસાદ પડવાનો શરૂ થયો તો વરસાદે એટલી હદે માઝા મૂકી કે ખેડૂતોના પાકનું સંપૂર્ણ પણે ધોવાણ થયું અને જમીનનું પણ ધોવાણ થયું હતું. જેના પગલે હાલમાં પણ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે. પોરબંદરના ઘેડ પંથકના નવાગામ, એરડા, દેરોદર, મિત્રાળા, કેશોદ, લુશાળા, ચિકાસા સહિતના ૨૨ જેટલા ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ભરાઇ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદના લીધે પોરબંદરના ઘેડ પંથકમાં ખેડુતોને મોટું નુકસાન

આ અંગે ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજા તથા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકને પણ રજૂઆતો કરી હતી. તેઓએ કૃષિ પ્રધાન સહિત મુખ્યપ્રધાનને પણ 1 મહિના પહેલા રજૂઆત કરી હતી.

Intro:કમોસમી વરસાદ ના લીધે પોરબંદર ના ઘેડ પંથકમાં ખેડુતોને મોટું નુકસાન


પોરબંદર પંથકમાં છેલ્લા બે વર્ષથી વરસાદ નહીવત પ્રમાણમાં આવતો હતો જેના કારણે ખેડૂતો ખેતી કરી શકતા ન હતા અને પાક ઉગાડી શકતા ન હતા પરંતુ આ વર્ષે વરસાદે એટલી કહેર વરસાવ્યો છે કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરીને પોરબંદરના ઘેડ પંથકમાં ખેડૂતોના તમામ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી સહિતના પાકનું નુકસાન થયું છે તો ભરાયેલા પાણીને ઉલેચવા માટે પણ ખેડૂતોને માથે ખર્ચનો બોજો પડ્યો છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે


Body:પોરબંદરમાં ચોમાસા અગાઉ આવેલ વાયુ વાવાઝોડા ની અસર ના વાગ્યે વરસાદ આવ્યો હતો જેને લઇને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી પરંતુ ત્યારબાદ એક મહિના સુધી વરસાદ પડયો ન હતો આથી ખેડૂતો વરસાદ ન પડવાથી નુકસાનીમાં તરફ થયા હતા અને જ્યારે ચોમાસામાં વરસાદ પડવાનો શરૂ થયો તો વરસાદે એટલી હદે માઝા મૂકે ખેડૂતોને પાક સંપૂર્ણ પણ એ ધોવાણ થયું અને જમીન પણ ધોવાણ થયું હાલ પણ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે જે દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે તો પોરબંદરના ઘેડ પંથકના નવાગામ એરડા દેરોદર મિત્રાળા કેશોદ લુશાળા ચિકાસા સહિતના ૨૨ જેટલા ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં પાણી ભરાઇ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ અંગે ખેડૂતોએ ધારાસભ્ય કાંધલ જાડેજા તથા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ને પણ રજૂઆતો કરી હતી અને તેઓએ કૃષિ પ્રધાન સહિત મુખ્ય પ્રધાનને પણ રજૂઆત કરી છે 1 મહિના પહેલા રજૂઆત કરવામાં આવી છે અને પ્રયત્નો સતત ચાલુ રહ્યા છે છતાં ખેડૂતોને જો વહેલુ વળતર મળે તો આગામી સમયનું પાક લઈ શકે અને આ બીમારીમાંથી બચી શકે મોટાભાગના પોરબંદરના ઘેડ પંથકના ખેડૂતો મગફળી કપાસ સહિત ચણાના વાવેતર કરતા હોય છે પરંતુ આ સમયે પાણી ફરી વળતા પાકને નુક્સાન પામ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લાને નજીક જુનાગઢ રાજકોટ ની મીનસાર, ઓજત અને ભાદર નદીઓમાં પાણી ભરાતા તે નદીનું પાણી અને પહોંચે છે અને સમગ્ર પંથક માં તારાજી સર્જે છે તો પાક વીમા અંગે પણ ખેડૂતોએ રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો પાક વીમો પણ આપવામાં આવ્યો નથી સામાન્યમાં સામાન્ય ખેડૂત ને નુકસાન પેટે ૩ લાખ જેટલું નુકસાન થાય છે આ ઉપરાંત ખેતરમાંથી પાણી ઉલેચવા ના 25 હજાર જેટલો ખર્ચો પણ થાય છે ત્યારે આ બાબતે સરકાર વહેલી તકે સજાગ બને અને ખેડૂતોને સહાય કરે તેવી રજૂઆત ખેડૂતોએ ઈ ટીવીના માધ્યમથી કરી હતી જ્યારે ખેતરમાં પાણી ભરાઈ રહેતા વાવેતર કરી શકાતું નથી આથી હાલ તો ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે


Conclusion:ચોપાલ કરેલ છે જે લેવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.